SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ આપ્તવાણી-૧૧ કર્મ હોય છે. યશનામ કર્મ એટલે એને તમે માગણી કરી એટલે યશ અમને મળવાનો હોય એટલે એ ફળે જ. યશનામ કર્મ મોટું લાવેલા હોય, તે હાથ અડે એટલે એનું કામ થઈ જાય. એટલે એને ફળે. એટલે પછી લોકો યશ આપે કે ‘દાદાએ આ શું કર્યું !” અમે કહીએ, ‘જો ભઈ અમે નથી કર્યું. આ તો યશનામ કર્મનું ફળ છે”. એ કહે કે ‘તમે જ ચમત્કાર કર્યો.’ મેં કહ્યું, ‘ચમત્કાર ન્હોય, આ યશનામ કર્મ છે.' આ જેમ અપયશ હોય છે ને તે ઘણાં માણસ કામ કરે તો ય અપયશ મળે અને અમે કામ ના કરીએ તો ય યશ મળ્યા કરે ને એનું કામ થઈ જ જાય અડીએ એટલે. યશનામ કર્મ અને અપયશ નામ કર્મ એમ બે જાતના કર્મ હોય છે. હવે અપયશ લઈને આવ્યો હોય ને અહીં ગમે તેટલી મહેનત કરે તો ય એને અપયશ જ મળ્યા કરે. અને અમને જશ ચોગરદમનો મળે. અમે એવું લઈને આવેલા. એટલે પેલાનું કામ થઈ જાય. દેવ-દેવીઓ પણ વ્યવસ્થિતની સત્તામાં ! આપ્તવાણી-૧૧ એનો અર્થ એવો ન કરવો જોઈએ કે હવે થઈ જશે આ. કાર્ય કરવું જોઈએ આપણે, વી આર ડ્યુટી બાઉન્ડ. એટલે માણસે વર્ક કર્યા કરવું જોઈએ અને પછી નિશ્ચિત હશે એ પ્રમાણે થશે. વર્ક તો કર્યા જ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : દેવ-દેવીઓની આપણે પૂજા કરીએ, એની ભક્તિ કરીએ, તો આપણને આપણી કંઈ મનોકામના સિદ્ધ થાય, તો મારું કહેવું એમ છે કે જે વસ્તુ નક્કી જ થયેલી છે, એમાં દેવ-દેવીઓ ફેરફાર કેવી રીતે કરે ? પ્રશ્નકર્તા : આપણે કોઈપણ માણસ જન્મે છે, ત્યારથી કહે છે કે એની જે આખી જીંદગી છે, એ નક્કી થયેલી હોય છે, ડિટરમાઈન્ડ હોય છે, નિશ્ચિત થયેલી હોય છે, એની આખી લાઈફમાં શું શું થવાનું છે. તો કહે, આપણે આર્શીવાદ લઈએ, તો આપણે એ જે ટ્રેક આપણી નક્કી થયેલી છે, એમાં આપણું ફેરફાર થાય ? દાદાશ્રી : એ નક્કી થયું તેમાં આવી ગયું. જે નક્કી થયું છે ને તેમાં આ આર્શીવાદ પણ નક્કી થઈ ગયેલું છે મહીં. નક્કી થયું છે તેની મહીં આ પણ નક્કી થઈ ગયેલું છે, તે આ કરે તો જ થાય. પ્રશ્નકર્તા : બહુ સિમ્પલ આન્સર છે, સહેલો ને સરળ જવાબ છે. દાદાશ્રી : નિશ્ચિત છે તો એનો અર્થ આવો નહીં કરવાનો, કે બંધ આંખે ગાડી ચલાવાય, નિશ્ચિત છે એટલે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : નિશ્ચિત થયેલું છે. પણ ઉઘાડી આંખે નિશ્ચિત થયેલું છે અને સાવધાનીપૂર્વક નિશ્ચિત થયેલું છે, પછી અથડાય એ નિશ્ચિત. તો દાદાશ્રી : એવું નક્કી થયેલું હોતું જ નથી. નક્કી થયેલું હોય, ત્યાર પછી ઘેર સૂઈ જ રહેવાનું ને ? પ્રશ્નકર્તા એટલે પુરુષાર્થ કરવાનો રહે છે ? દાદાશ્રી : ભ્રાંતિમાં બ્રાંત પુરુષાર્થ અને જ્ઞાન થયા પછી સાચો પુરુષાર્થ. બેઉ પુરુષાર્થની જરૂર છે. એમ ને એમ સૂઈ રહેવાનું નથી. પછી માતાજીની સેવા કરતો હોય, તો તે ફળ મળે એને, રિલેટીવ ફળ મળે. પ્રશ્નકર્તા : પણ જે, એ લોકોની ભક્તિ કરે, માતાજીની દેવીની તો એનું વ્યવસ્થિતમાં ફેરફાર થાય, એનો અર્થ એ થયો ને ? દાદાશ્રી : વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ છે જ નહીં. પ્રશ્નકર્તા એનો અર્થ એ થયો કે વ્યવસ્થિત આવું આવવાનું હતું, એટલે દેવ-દેવીની પૂજા કરે છે. દાદાશ્રી : હા. હા. બરાબર છે. પણ વ્યવસ્થિત લાવનાર પોતે જ છે. વ્યવસ્થિત કંઈ કોઈ એવી સત્તા નથી કે જે આપણા સિવાય વ્યવસ્થિત ઊભું થઈ જાય. વ્યવસ્થિત પોતાના આધારે જ આવે છે. તમને માતાજી આવે ને બીજાને માતાજી ના આવે, દર્શન કરે તો. એટલે પોતે જ લાવેલા છે બધું. આ વ્યવસ્થિત પોતે બનાવેલું છે. પ્રશ્નકર્તા પુદ્ગલ પરમાણુઓ ઉપર જે સંસ્કાર પડ્યા હોય તે રીતે થાય ને ?
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy