SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ આપ્તવાણી-૧૧ દાદાશ્રી : બહુ મોટી, બધા મહાત્માઓ કહેલું. બહુ મોટી ભૂલ થઈ ત્યારે એ હા કહે, એ કબૂલ કરે, કે “આ આવી આવી ભૂલ ચાલે છે તો અમે રસ્તા પર આવીએ જ નહીં ને ?” તું માની લે તેથી આવી ગયું ?! પ્રશ્નકર્તા : હા, ના ચાલે, કરેક્ટનેસ જોઈએ એમાં. એ ચાલે નહીં પેલું. ૧૮૮ આપ્તવાણી-૧૧ વાંચી ગયા, વાંચી ગયા એ તો કંઈ અર્થ સરે નહીં ! હું તો જાણતો હતો આમને, કે કેવી રીતે આ માની લે છે. કરેક્ટનેસ જોવી પડશે ને ? વોટ ઈઝ કરેક્ટ ? જ્ઞાનીને પૂછીએ, કોઈએ પૂછેલું જ નહીંને, બસ એને ઠંડક થઈ ગઈ. પેલું નુકસાન જયા જ કરે. પણ પ્રોગ્રેસ અટકી ગયો. સમજણ પડી ? પ્રશ્નકર્તા : એવું જ થયું હતું. દાદાશ્રી : એટલે આ બધા વાક્યો જે મનમાં સમજ્યાં છે, કહો છો ને, એ બધામાં ભૂલ જ છે. એટલા માટે આજે તમને આપ્યુંને કે તમે શું માનો છો તે. અને હું જાણુંને કે પ્રગતિ થઈ નથી. વ્યવસ્થિત સમજે ત્યારે કેવળજ્ઞાન થાય પૂરેપૂરું. આ મેં કહ્યું એટલું વ્યવસ્થિત પૂરું નથી. એથી આગળ જવાનું છે. અમે કહ્યું છે ને વ્યવસ્થિત સમજે તેને કેવળજ્ઞાન થાય અને તમે માનતા હતા, અમે સમજી ગયા છીએ. તો કેવળજ્ઞાન કેમ અટક્યું છે ? પ્રશ્નકર્તા : ના, એમાં તો ભૂલ જ છે ને. દાદાશ્રી : આખી ભૂલ. બ્લેડર્સ કહેવાય એને. આવું માનીને બધા ચાલ્યા. કોઈ વાક્ય બુદ્ધિનું એ કરેલું એ ચાલે નહીં. બુદ્ધિથી નાના સ્ટેજમાં હોય ત્યારે બુદ્ધિ ચલાવી લેવાય એમ. આ તો સંપૂર્ણ ટોપ પર જવાનું છે ને. એની જ માથાકૂટ છે ને. પ્રશ્નકર્તા : હા. દાદા. દાદાશ્રી : પૂરેપૂરું. અત્યારે વ્યવસ્થિતનો અર્થ તમને પૂછે. ‘તમે’ કહો તો પછી અવળું ચાલે. પેલા ય સમજી જાય કે આ વ્યાજબી નથી, બરોબર નથી. આ તો ‘દાદા ભગવાન તમે બોલો’ એવું કહેવાથી બધું કરેક્ટનેસ આવે. સમજવું પડે ને ? જ્યાં ઠોકર વાગે, જ્યાં બહુ ઠોકરો ખાધી, પણ ના સમજણ પડી. ભૂલ છે કે નહીં ? પ્રશ્નકર્તા : હા, મોટી ભૂલ છે આમાં ! દાદાશ્રી : અમને જ્ઞાનમાં નથી આવ્યું. કેવળજ્ઞાન, પણ સમજમાં આવેલું છે અને સમજ પૂરેપૂરી સમજાય ત્યારે પછી જ્ઞાનમાં આવે. કંઈક બાકી રહી ગયું. બુદ્ધિથી માનેલું બધું ય ખોટું. બુદ્ધિથી છેલ્લી વાત નહીં જડે. એટલે અહીં આવ્યા તો બધું નીકળવા માંડ્યો કચરો. ત્યાં ને ત્યાં રહ્યા હોત તો દાબેલું જ રહ્યું હોત. આ લોકોને રોજ સત્સંગમાં શા માટે આવવું પડે છે ? ધરાતા જ નથી ? આ આગ્રહનો ખેલ નથી, જ્ઞાની પુરુષનું માની લેવામાં ખેલ નથી. એક ભૂલ પોતાની પોતાને સમજાય તો ભગવાન થઈને ઊભો રહે. હું શું કહેવા માંગું છું એ સમજાયું નહીં ? પોઈન્ટ સમજાયો ? એવી ભૂલ બધાને ચાલી રહે છે ને ? બધાને કેટલાને આમાં સમજણ પડતી નથી. ત્યાર પછી સમજ્યા વ્યવસ્થિતનો અર્થ. પણ જોડે જોડે કહું ય ખરો, વ્યવસ્થિત જ્યારે પુરું સમજાશે ત્યારે કેવળજ્ઞાન થયું હશે. વ્યવસ્થિતનો અર્થ એટલો મોટો છે એ વ્યવસ્થિત, જો કે હજુ તો સ્થૂળ અર્થ કરો છો, સૂક્ષ્મ લેવલે સમજવું પડશેને ? સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ ! સમજાયું તમને ? વ્યવસ્થિતનો આ અર્થ તો બધા ય ચલાવે છે, પણ એ સ્થળનો અર્થ છે. સ્થળ તો બધાને સમજાઈ જાય, પણ સૂક્ષ્મ અર્થ જોઈએને ? પછી સૂક્ષ્મતરનો અર્થ જોઈએ, સૂક્ષ્મતમનો અર્થ જોઈએ. કેવડી ભૂલ હતી ? પ્રશ્નકર્તા : સૂક્ષ્મ બાજુ તો દ્રષ્ટિ જ નહોતી ગઈ. મોટી ભૂલ કહેવાય. દાદાશ્રી : આપણા બધા ય મહાત્માઓ એ માર ખાધો. તમે એકલાએ નહીં. અમે કહી દીધેલું, તમે વ્યવસ્થિત સમજો છો તે હોય
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy