SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ ૨૮૭ આપણે સાધારણ કહીએ કે, વ્યવસ્થિત હશે તો થઈ રહેશે. પણ નિયતિ હશે તો થઈ રહે, એવું ના બોલાય આપણાથી. જુદાં છે નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય ! ૨૮૮ આપ્તવાણી-૧૧ જો સહેજા સહેજ મળી આવે, તો પ્રાપ્તિ કરવી. નહીં તો ત્યાં જંગલોમાં દોડધામ કરવાની જરૂર નથી. આપણી ફરજો બજાવવાની છે. પ્રશ્નકર્તા : નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય એક જ છે ? દાદાશ્રી : ના. નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય એક છે નહીં, બે જુદા છે. એ વાત જ જુદી છે. નિયતિ તદન જુદી છે અને બિલકુલ સગાઈ જ નથી એને. તેને આ લોકો ઝાલી બેઠા છે ! નિયતિ એ બિલકુલ તદન, નિયતિ વસ્તુ અમે તમને કહીએ, એ તો સમજવું આ લોકોનું કામ જ નહીં ; કોઈ આચાર્ય મહારાજનું કામ નહીં, નિયતિ શું છે તે ! નિયતિ બોલે ખરા, પણ સરખામણી કરે આની જોડે, ક્રમબદ્ધ પર્યાયની જોડે વ્યવસ્થિત જોડે, પ્રારબ્ધ જોડે, પણ ના થાય. એ અજોડ વસ્તુ છે નિયતિ તો. કશું જ ચાલે નહીં ત્યાં આગળ ! આ બધું કલ્પિત. નિયતિ કલ્પિત નથી. એ વસ્તુ છે. પણ એને જાણવા માટે શબ્દ મૂક્યો છે કલ્પિત. | નિયતિ તદન જુદી વસ્તુ છે, એ તો કુદરતી છે અને પ્રારબ્ધ, ક્રમબદ્ધ પર્યાય, એ તો આપણે કલ્પિત ગોઠવેલા છે અને પેલી ગોઠવણી છે, પણ કુદરતી છે એ વસ્તુ, નિયતિ ! સમુચ્ચય કારણોમાંનું “એ' એક કારણ ! પ્રશ્નકર્તા ઃ જે ક્ષેત્રે, જે સમયે જે કંઈ થવાનું છે એ થાય છે જ. તો પછી એમાં શુદ્ધાત્માનું શું કાર્ય રહ્યું ? દાદાશ્રી : એ ખોટી વાત છે. પ્રશ્નકર્તા : એટલે કે બનવાનું છે એ નિશ્ચિત હોય છે ને ? દાદાશ્રી : નિશ્ચિત હોતું જ નથી. અનિશ્ચિતે ય હોતું નથી. નિશ્ચિતમાં રહે ત્યારે નિયતિ થઈ જાય પછી. આ ફેડરલ કોઝ છે. આપને સમજાયું? પ્રશ્નકર્તા : નથી બેસતું. કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે. પછી એમાં શુદ્ધાત્માનું શું ? દાદાશ્રી : તો પછી આ બધી સ્કૂલો ને આ બધું શેને માટે ? ધર્મ શા માટે ? ઉપદેશ શા માટે ? આ તો નિયતિ એકલું થઈ જાય પછી. પ્રશ્નકર્તા: તો એકલું નિયતિવાદ નથી ? દાદાશ્રી : નહીં, નહીં. નિયતિવાદ હોત તો પછી જોઈતું'તુ જ શું? કશું કરવાનું જ નથી રહેતું ને ! એવું નથી. આ બધું સમુચ્ચય કારણથી બનેલું છે. પ્રશ્નકર્તા : પણ પુદ્ગલનું પરિણમન થાય છે, જે પર્યાયોમાં થાય છે એ તો નિયતિવાદ પ્રમાણે જ થાય છે ને ? દાદાશ્રી : ના, નિયતિવાદ પ્રમાણે નહીં. નિયતિને એને લેવાદેવા નથી. નિયતિ વન ઓફ ધી મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ (સમુચ્ચય કારણોમાંનું એક કારણો છે. અને પુદ્ગલ તો સ્વાભાવિક છે. પુદ્ગલની અવસ્થાઓ થાય છે. ને અવસ્થાઓ સ્વાભાવિક બદલાયા કરે છે. નિયતિવાદને કશું લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલની અવસ્થાને કોઈ બદલાવી શકે નહીં ? પ્રશ્નકર્તા : આપશ્રી એ કહ્યું કે જીવનમાં બધું ‘વ્યવસ્થિત ગોઠવાયેલું છે. તો પછી જે તે વ્યક્તિનો મોક્ષ પણ અમુક સમયે નિશ્ચિત હોય કે નહીં ? કે પછી તેનાં માટે મનુષ્યની પોતાની આગવી શક્તિ જોઈએ ? દાદાશ્રી : વ્યવસ્થિત તો છે જ જગત, પણ આપણે સ્કૂલમાં ભણવા જવું અને પછી વાંચીએ. અને પછી નાપાસ થઈએ એનું નામ વ્યવસ્થિત. પણ વાંચીએ જ નહીંને, પછી નાપાસ થઈએ એ વ્યવસ્થિત ના કહેવાય. આપણે આપણું કામ કર્યું જવાનું, અને જો મોક્ષ મળે તો સાચો, ના મળે તો કંઈ નહીં, એટલે એવું નથી, કે તમારે મોક્ષને માટે દોડધામ કરવાની.
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy