SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આપ્તવાણી-૧૧ પ્રકૃતિમાં હુંપણાનો આરોપ થયો છે, કે ‘હું આ છું, ચંદુલાલ તે જ હું છું.’ જે તમે નથી ત્યાં હું છું, એવો આરોપ કરવામાં આવ્યો છે એનાથી જગત ઊભું રહ્યું છે. પ્રશ્નકર્તા : જો પ્રકૃતિ ચંચળ છે, મિકેનિકલ છે તો પછી પ્રકૃતિ એ નાશવંત હોવી જોઈએ ? દાદાશ્રી : પ્રકૃતિ નાશવંત જ છે અને એ ક્ષણે ક્ષણે વિનાશી છે. ક્ષણે ક્ષણે આયોજન થઈ રહ્યું છે ને ક્ષણે ક્ષણે વિનાશ થઈ રહ્યો છે ! પ્રશ્નકર્તા ઃ તો તો પુરુષ અને પ્રકૃતિ બેઉનું અસ્તિત્વ માનવું પડશે. દાદાશ્રી : હા અસ્તિત્વ છે જ. પણ પ્રકૃતિનું અસ્તિત્વ રિલેટિવ છે અને વિનાશી છે. જ્યારે પેલું પુરુષનું અસ્તિત્વ રિયલ છે અને અવિનાશી છે. પ્રકૃતિ કોના આધારે ? પ્રશ્નકર્તા તો પ્રકૃતિનું અસ્તિત્વ કોઈના ઉપર ડીપેન્ડેડ છે ? દાદાશ્રી : એવું કોઈના ઉપર ડીપેન્ડેડ નથી. પણ એ રીલેટિવ છે. પ્રશ્નકર્તા : રીલેટિવ એટલે કોના કોનાં આધારે પ્રકૃતિનું અસ્તિત્વ આપ્તવાણી-૧૧ ૨૩૫ છે, એમાં પુરુષને મુક્ત થવાનું છે, તો એ કેવી રીતે મુક્ત થાય? દાદાશ્રી : પુરુષ અને પ્રકૃતિ સંકળાયેલા નથી. બે સામિપ્યભાવમાં છે અને આ સામિપ્યભાવમાં હોવાથી પોતાના ‘જ્ઞાન’માં એને વિભ્રમતા ઉત્પન્ન થાય છે. કારણ કે પુરુષ જ્ઞાનમય છે. તે એને વિભ્રમતા ઉત્પન્ન થાય છે કે ‘આ કોણે કર્યું ?’ પછી ‘મેં કર્યું” કહેશે અને ખરેખર આ બધું ય પ્રકૃતિ કરે છે. બાકી ‘જ્ઞાન’ બદલાય છે એટલે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન સ્વભાવમાં આવી જાય એટલે પ્રકૃતિ નાશ થઈ જાય. અત્યારે આ જ્ઞાન વિશેષભાવમાં છે અને એ સ્વભાવમાં આવી જાય તો પ્રકૃતિ નાશ થઈ જાય. કોણ કર્તા પ્રકૃતિનો ? છે ? દાદાશ્રી : એવું છે ને, મહીં અંદર બધા બહુ જાતના આધાર છે, એક બે આધાર નથી, અનંત આધાર છે બધા. એટલે પ્રકતિ એ સામસામી આધારે કરીને બનેલી છે. વાયુના આધારે પિત્ત રહેલું છે ને પિત્તના આધારે કફ રહેલો છે. કફના આધારે આમ રહેલું છે. હાડકાના આધારે આ શરીર રહેલું છે અને શરીરના આધારે આ હાડકા રહેલાં છે. એટલે જાતજાતનું આ આધારી સંબંધ છે અને એને બહારે ય આધાર છે. પણ બહારનાં જોડે એને લેવાદેવા નથી, પણ એ તો ભ્રાંતિથી એમ માને છે કે મારે આ સંબંધ છે. ‘જ્ઞાત', સ્વભાવમાં, વિભાવમાં ! પ્રશ્નકર્તા : પ્રકૃતિ જડ છે તો તેને કતૃત્વ શક્તિ કોણ આપે છે ? દાદાશ્રી : ના, આ પ્રકૃતિ એ તદન જડ નથી. એ નિશ્ચેતન-ચેતન છે અને નિશ્ચેતન-ચેતન એ કંઈ અચેતન નથી. પ્રશ્નકર્તા: એને નિરંતર બદલાતી કહી શકાય ? દાદાશ્રી : એ તો બદલાયા કરે છે, પણ આ પ્રકૃતિ એ નિશ્ચેતનચેતન છે. પ્રશ્નકર્તા : નિશ્ચેતન-ચેતન એટલે કઈ શક્તિ કહી શકાય ? દાદાશ્રી : નિશ્ચેતન-ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન છે. કોઈ પણ વસ્તુ “આપણે” ચાર્જ કરી હોય તો પછી ડિસ્ચાર્જ એની મેળે થાય કે ના થાય ? એમાં “આપણે” કશું કરવું પડે ? એટલે આ બધું ડિસ્ચાર્જ છે, ઇફેકિટવ છે અને ઈફેકિટવ શક્તિને હું નિશ્ચતન-ચેતન કહું છું. ઇફેકિટવમાં ચેતન નહીં હોવા છતાં ચેતન જેવું દેખાય એટલે નિચેતન-ચેતન કહું છું. સ્વરૂપ જ્ઞાત પછી ચાર્જ બંધ !! પ્રશ્નકર્તા: આ પ્રકૃતિ અને પુરુષ, બેઉ એકબીજા જોડે સંકળાયેલાં પ્રશ્નકર્તા : પ્રકૃતિને કોઈ ચાર્જ કરે છે ? ને ચાર્જ કરતું હોય તો
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy