SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) રોડ ઉપર ફરવા માંડ્યું, એટલે આપણે મારી-ઠોકીને, સીધા કરીને સીધા રસ્તે લઈ જવાના. કારણ કે ધ્યેય ચૂકાવડાવે છે એ. અભિપ્રાય, ગમતાતો જ ! ૩૮૪ પ્રશ્નકર્તા ઃ એવો મારો અભિપ્રાય હોય કે સત્સંગમાં જવું છે, દાદાની સાથે જ રહેવું છે. એ પોતાનો અભિપ્રાય જ હોય છે ને ? દાદાશ્રી : એ અભિપ્રાય હોય પણ મન નહીં રહેવા દે. તું મનના કહ્યા પ્રમાણે ચાલે તો એ બ્રહ્મચર્ય નહીં પાળવા દે. એ તો તને પૈણાવશે. પ્રશ્નકર્તા : પણ એ કઈ રીતે, મને સમજાતું નથી. દાદાશ્રી : તું મનનું માનું. મનના કહ્યા પ્રમાણે ચાલે તું, તારા અભિપ્રાયનું ઠેકાણું જ નથી. તારું સ્ટ્રોંગ નથી. પ્રશ્નકર્તા : આપની પાસે આવ્યો ને, ત્યારથી જ એવું હતું કે દાદાની સાથે જ રહેવું છે એમ. દાદાશ્રી : એ બધું હોય. એ તો આ મન કહે છે પછી. પ્રશ્નકર્તા : મન કહેતું હોય તો આ પાંચ વર્ષ થયાં. આ પાંચ વર્ષમાં એવું બતાવેને કે હવે નથી જવું, પણ એવુ ક્યારેય નથી બતાવ્યું. દાદાશ્રી : એ મન જ કહે છે. મન આડું નથી થયું એટલે રહ્યું છે. બાકી આ નોકરી છોડવાનું કોણ કહે છે ? એ બધું મન જ કહે છે. પ્રશ્નકર્તા : એકચ્યુઅલી (ખરેખર) કેવું છે કે પહેલેથી જ નોકરી કરવા જવું જ નહોતું. પણ આમ સંજોગ એવા હતા એટલે છૂટકો નહોતો એટલે જતો'તો. પણ જેમ જેમ સંજોગ બાઝતો ગયો એમ પેલું છૂટતું ગયું. મન કા ચલતા તન ચલે... દાદાશ્રી : એ મન જ ના પાડે છે. તું કહેતો'તોય ખરો કે નોકરીમાં ત્યાં જઉં તોય મને ગમતું નથી. તે તું કહું અને જનાર તું, ‘ગમે નહીં’ એનું શું કારણ ? પેલું મન ના પાડે એટલે. ૩૮૫ પ્રશ્નકર્તા : એ તો મને ક્યાંય ગમતું નથી, કોઈ જગ્યાએ ગમતું જ નથી મને. દાદાશ્રી : એટલે તારું આ મન જ એવું છે. તને તો આ પગાર આપતા હતા તોય નહોતું ગમતું. ત્યાંથી ના સમજી જઉં કે આ કોના આધીન ચાલે છે ? બ્રહ્મચર્ય પાળવાની વાતો આ મનને આધીન ચાલે છે. પ્રશ્નકર્તા : દાદાનો સત્સંગ છોડીને ત્યાં નોકરીએ જવાનું થાય તો ના જ ગમે ને ! દાદાશ્રી : ના ગમે એ વસ્તુ જુદી છે. પણ પહેલાં આપણે સંસારી કાર્યો છોડી ના દેવાય. તું નોકરી છોડી દઉં તે ચાલે ? પ્રશ્નકર્તા : નોકરી કરવાની ઇચ્છા જ નથી થતી. દાદાશ્રી : કોઈ પણ માણસ નોકરી-ધંધા વગર ભાગ્યે જ રહી શકે. ના રહી શકે. પ્રશ્નકર્તા : અત્યારે પછી મારે શું કરવું જોઈએ ? દાદાશ્રી : એ થાય તો બહુ સારું. પ્રશ્નકર્તા ઃ તમારા આશીર્વાદ હોય ને ? દાદાશ્રી : આશીર્વાદ હોય. આખી દુનિયાના મોટામાં મોટા માણસો, સંતોય મનના ચલાવ્યા ચાલે, તો ગબડી જાય છે. આ તો આપણે જ્ઞાન આપીએ એટલે થોડું મન ઉપર વિજય મેળવે છે, તોય મન ચાર-પાંચ કલાક માથાકૂટ કરે ને, તો પછી ગબડી જાય માણસ.
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy