SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) મતતી અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં... એ કહેવાય મતઃપર્યવ જ્ઞાત ! પ્રશ્નકર્તા : સામાની વિચાર શ્રેણી જાણીએ એ શું કહેવાય ? એ કયું જ્ઞાન કહેવાય ? દાદાશ્રી : એ મન:પર્યવ જ્ઞાન કહેવાય. મનની અવસ્થા જાણીએ. મનની અવસ્થા જાણનાર એવા મન:પર્યવ જ્ઞાની કહેવાય. પ્રશ્નકર્તા : એનો શું પ્રયોગ કરવો પડે ? દાદાશ્રી : કશુંય નહીં. પોતાના મનમાં જુએ અને સામાના મનના પડઘા પડે. એવી ખબર પડે કે આના મનમાં આવું જ હોય. પ્રશ્નકર્તા : એવું કરવું હોય તો શું કરવું પડે ? તમારા વિચાર મારે જાણી લેવા હોય તો હું શું કરું તો જણાય ? દાદાશ્રી : એ તો પહેલું છે ને, રોજ એક કલાક બાણશૈયા ઉપર સૂઈ જવું પડે, ત્યારે જ ને ! પ્રશ્નકર્તા : તમે સુવાડશો ? દાદાશ્રી : જેને એ જ્ઞાન જોઈતું હોય તે બાણશૈયા પર સૂઈને કરે ! પણ શું ફાયદો કાઢશો એ જ્ઞાન લઈને ? બધાના મનના વિચાર જાણશો તો શું ફાયદો કાઢશો ? સામાના વિચાર જાણો કે આમના ગજવામાંથી મારે કાઢી લેવું છે, તો શું થાય ? ૧૮૨ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એ તો બહુ મુશ્કેલી થાય. દાદાશ્રી : આખી જિંદગી બહુ મુશ્કેલી ! એનાં કરતાં આ જ્ઞાન નથી તે સારું છે. પ્રશ્નકર્તા (મહાત્મા) : આ જે પદ્ધતિ છે, આંખ બંધ રાખીને ધ્યાનમાં બેસીને વાંચવાની, એનાથી મનના વિચારો જોઈ શકાય ખરા ? દાદાશ્રી : હા. મનના વિચારો તો વાંચી શકાય હઉ. મનમાં જે જે વિચાર આવતા હોય એ બેઠાં બેઠાં વાંચી શકાય. પહેલો વિચાર આવે છે, કેમ નથી જતો ? પછી બીજો વિચાર આવે, સત્સંગમાં જઈશું કે નહિ ? ગાડીમાં જઈશું કે બસમાં જઈશું ? એમ વિચારો વંચાય બધા. મનના વિચાર, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બધા જ વિચાર વાંચે એ છે તે સીધું ડિરેક્ટ આત્માપણું છે અગર તો આપણા આ પદો વાંચે તેય આત્માપણું છે. મનઃપર્યવ જ્ઞાન એટલે મન શું શું વિચારી રહ્યું છે, શું શું કરી રહ્યું છે, એને સંપૂર્ણ જાણે. પ્રશ્નકર્તા : બીજાના મનને ? દાદાશ્રી : પોતાના મનનેય જાણે અને સામાનાં મનનેય જાણે. હવે તે સામાનાં મનને શી રીતે જાણે ? ત્યારે કહે, જે પોતાનાં મનને જાણે તે અહીં બેઠો છે, પોતાનું મન કઈ સ્થિતિમાં છે એ જાણે છે અને એક માણસ આમથી આવ્યો, ને કંઈ બોલ્યો-ચાલ્યો ના હોય ને આવીને બેઠો. એટલે આપણા મનની સ્થિતિ બદલાઈ, આપણા મનમાં ભાંજગડ થઈ, તે ઉપરથી અમે સમજીએ કે આનું મન ભાંજગડવાળું છે. શેના ઉપરથી જાણીએ ? આપણું મન તો આપણે જોયેલું હોય, વાંચેલું હોય અને એમાં કશું છે નહીં; તો આ ક્યાંથી નવો પર્યાય ઉત્પન્ન થયો ? આપણું મન બદલાયું. ડિપ્રેશન આવ્યું કે એલિવેશન આવ્યું અગર તો ખેંચાણ થયું, તો એનું શું કારણ ? એના મનમાં જે છે, તે પ્રભાવ આપણા મન ઉપર પડ્યો. એની ઇફેક્ટ પડી. તેના
SR No.008832
Book TitleAptavani 10 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size95 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy