SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૧૩૩ ૧૩૪ આપ્તવાણી-૮ જઈશ’ એવું માને છે. આપને સમજાયું ને ? જીવ અને આત્મા એ વસ્તુ એકે ય નથી અને અલગે ય નથી. ‘અલગ’ કહીએ ત્યારે તો જુદો વિભાગ થઈ ગયો, એવું નથી. અને “એક છે' કહીએ તો આત્મામાં અશુદ્ધિ ઉત્પન્ન થઈ, આત્માને ભ્રાંતિ ઉત્પન્ન થઈ કહેવાય, પણ એવું ય થયું નથી. કારણ કે આત્મા પોતે થયો જ નથી. આ તો આત્માની બ્રાંત અવસ્થા ઉત્પન્ન થઇ છે અને એ જીવ છે. એટલે જીવ અને આત્મા એક જ છે. રસોઈ કરતી વખતે રસાયણ કહેવાય અને બહાર નાચ કરતી વખતે નાચનારી કહેવાય. પણ બઇ એની એ જ ! “, ‘બાવો', “મંગળદાસ ! આપણે ત્યાં પહેલાં કહેતા હતા ને, આપણે પૂછીએ “કોણ આવ્યું ?” ત્યારે કહે, ‘હું આવ્યો છું.’ ત્યારે કહે, ‘હું પણ કોણ ? બોલ ને !' ત્યારે કહેશે, “હું બાવો ત્યારે પૂછીએ કે, ‘બાવો કોણ ?” ત્યારે કહે, ‘હું બાવો મંગળદાસ !' ત્યારે પેલો ઓળખે. નહિ તો ‘હું એકલું જ કહે તો કોઈ ઓળખે નહિ. હું બાવો કહે, તો ય પેલો કહેશે કે, ‘આ બાવો આવ્યો કે પેલો બાવો આવ્યો ?” એટલે હું, બાવો, મંગળદાસ એમ ત્રણ બોલે ત્યારે પેલો ઓળખે કે હા, પેલો મંગળદાસ બાવો. એને આમ છબી દેખાય હઉં ! પછી બારણું ખોલે !! પાછો મંગળદાસ બે-ત્રણ હોય તો એમ કહેવું પડે કે, ‘હું બાવો મંગળદાસ મહાદેવજીવાળો.” ત્યારે ઓળખાણ પડે ! એટલે હું બાવો મંગળદાસ. બોલો, હવે કેટલા માણસ હશે ? આમાં હું કોણ ? બાવો કોણ ? મંગળદાસ કોણ ? એવું તમે નહિ સાંભળેલું ? પણ તમને કામ લાગ્યું નહિ, ને મેં તો સાંભળ્યું કે તરત મને કામ લાગે. એકેએક વાક્ય સાંભળું છું ને મને વાક્ય કામ લાગે છે. રસ્તામાંથી જડ્યું હોય તો યુ મને કામ લાગે. એટલે ‘હું કોણ છે, એને ઓળખવો તો પડે ને ? અને એ પોતાની ગેડમાં બેસાડવું પડે ને, કે “હું” એ કોણ છે ? એવું આમાં ‘હું” એ આત્મા છે, આ ‘હું' ને ઓળખે ને તો ઉકેલ આવી ગયો ! ..એ ભાત જ થવાની જરૂર !! પ્રશ્નકર્તા : એટલે આત્માથી જ પરમાત્મા થાય છે એમ ? દાદાશ્રી : આત્મા પોતે જ પરમાત્મા છે. ફક્ત એને ભાન થવું જોઇએ. તમને ભાન થાય, એક મિનિટ પણ ભાન થાય કે ‘હું પરમાત્મા છું’ ત્યારથી તમે પરમાત્મા થવા માંડો ! પ્રશ્નકર્તા : તો ‘હું પરમાત્મા છું' એવું અમારાથી બોલાય ? દાદાશ્રી ઃ તમે એવું કહો કે ‘હું પરમાત્મા છું’ તો લોકો તમને ઠપકો આપશે, ગાળો ભાંડશે, મશ્કરી કરશે. જ્યારે તમારી મશ્કરી ના કરે, તમને ગાળો ના આપે ત્યારે “” પરમાત્મા છું' કહેજો. આપણે બનાવટી કેરી લઇને જઇએ તો રસ નીકળે ખરો ? ના નીકળે ને ! એવી આપને સમજ પડે છે ને ? એટલે તમે પરમાત્મા છો જ. પણ તમે પરમાત્મા થયા નથી. એ સ્વરૂપનું તમને ભાન થયું નથી. અત્યારે તમને ‘હું ચંદુભાઈ છું' એ ભાન છે. ‘હું પરમાત્મા છું' એ ભાન થવું જોઇએ. તો હવે પરમાત્મા છું, તમારાથી બોલાય ? પ્રશ્નકર્તા : ના કહેવાય. દાદાશ્રી : હા, નહિ તો લોક મશ્કરી કરશે. આ લોક તો યથાર્થ વાત હોય, સાચો હોય તેની ય મશ્કરી કરે એવાં છે. આ તો જગત છે. એને પહોંચી ના વળાય. હવે ‘તમે આત્મા છો’ એની ખાતરી થઇ છે ? ‘તમે આત્મા છો’નો તમને શું અનુભવ થયો ? શી રીતે ખાતરી થઈ ? પ્રશ્નકર્તા એટલી ખાતરી તો છે કે મહીં આત્મા છે, એમ. દાદાશ્રી: પણ શેનાથી એ ખાતરી થઈ ? એવું કંઈ થર્મોમીટર નથી આવતું કે આમ મુકીએ કે તરત આપણને ખબર પડે કે મહીં આત્મા છે? થર્મોમીટર આવે છે એવું ?
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy