SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ ૨૫૧ ૨૫. આપ્તવાણી-૮ દહાડો ય ઉધાર નથી, રોકડું જ છે. જે જોઈએ એ રોકડું મળે અહીં આગળ ! બાકી સહેલો રસ્તો ‘જ્ઞાની પુરુષ'ના સત્સંગમાં આવવું. નહીં તો આપણે એમનું એક ફેરો અપમાન કરી નાખીએ એટલે ખબર પડી જાય કે આ રૂપિયો કલદાર છે કે બોદો છે. આ રૂપિયાને આમ ખખડાવીએ, રૂપિયાનું અપમાન કરીએ છીએ ને ? તે તરત ખબર પડી જાય છે ને, કે આ કાપી નાખવા જેવો નથી, કબાટમાં મૂકી દો ? અને કાપી નાખવા જેવો હોય તો કાપી નાખીએ. પ્રશ્નકર્તા : કસોટી કરવા જઈએ તો કર્મ બંધાય. દાદાશ્રી : ના. તે કસોટી કરનારને અમે રક્ષા આપીએ છીએ. કારણ કે કેવી રીતે પરીક્ષા કરશે ? અમારી પાસે જો અમારી કસોટી કરવી હોય તો અમે રક્ષા આપીશું. તમને પડવા નહીં દઈએ ને તમારી કસોટીમાં તમે પાસ થશો. પ્રશ્નકર્તા: આપ રક્ષા આપો, પણ બીજા કોઈની પાસે એ કસોટી કરવા ગયા તો ? દાદાશ્રી : બીજી જગ્યાએ એવું કરશો ય નહીં અને કરો તો પાસે સો રૂપિયા તૈયાર રાખજો. પગ દબાવજો અને કહેવું ‘સાહેબ, મગજ ગાંડું છે' એમ તેમ કરીને પાછું ફરી જવું. અને સો રૂપિયાની વસ્તુ લાવી આપીએ ને, તો સાહેબ ખુશ થઈ જાય, ને પગ દબાવીએ. કારણ કે અહંકારીને ખુશ કરવામાં કંઈ વાર નથી લાગે એવું. ગલીપચી કરો તો ય ખુશ થઈ જાય. આત્મજ્ઞાન રોકડું આપે તો એ ‘પ્રત્યક્ષ” “જ્ઞાની” ! બાકી, ઉધાર હોય ત્યાં આગળ ‘પ્રત્યક્ષ' ‘જ્ઞાની’ છે જ નહીં. રોકડું આપી દે, “કેશ” આપી દે, એટલે આપણે પરીક્ષા કરવાની રહે જ નહિ ને ! જે બેન્ક ‘કેશ પેમેન્ટ કરતી હોય એની પરીક્ષા કરવાની હોય ? જે બેન્ક એમ કહેતી હોય કે છ મહિના પછી પૈસા આપવામાં આવશે તો આપણે પરીક્ષા કરવી પડે કે આજુબાજુ પૂછવું પડે. બાકી, જ્યાં રોકડું જ આપવાનું હોય ત્યાં એની પરીક્ષા શું કરવાની હોય ? પ્રશ્નકર્તા : જીવને ખ્યાલ કેવી રીતે આવે કે આ રોકડું છે કે નહિ ? દાદાશ્રી : એ તો તરત જ ખ્યાલ આવે. રોકડાનો ખ્યાલ ના આવે તો મહીં આત્મા જ નથી. જો દેહમાં આત્મા હોય તો ખ્યાલ આવે જ ! બાકી, પછી પોતાને આડું ચાલવું હોય તો ચાલે. એની પોતાને છૂટ હોય છે જ ને ! અગર તો ‘જ્ઞાની” પાસેથી લીધા પછી ઢોળી દેવું હોય તો ય છૂટ હોય છે. એને કોઈ એવી ના નથી ! જેને રોકડું સમજાય, એ કોઈ ઢોળે જ નહિ ને ! ‘વસ્તુ' “પ્રાતિ'ની પ્રતીતિ.... પ્રશ્નકર્તા : “મને' વસ્તુ મળી છે કે નહિ, એની પ્રતીતિ કેવી રીતે થાય ? પ્રશ્નકર્તા : આ બધી કસોટી કર્યા વગર જ સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : એમની વાણી સ્યાદ્વાદ હોય, કોઈ ધર્મને કિંચિત્માત્ર અહિત ના થાય એવી હોય, એમની વાણી કોઈને દુઃખદાયી ના હોય અને એમના વાણી, વર્તન, વિનય મનોહર હોય, આપણા મનનું હરણ કરે એવાં હોય. ધીસ ઇઝ ધી કેશ બેન્ક ઓફ ડીવાઈન સોલ્યુશન’ બિલકુલ કોઈ દાદાશ્રી : “આત્મા’ની ‘તમને પ્રતીતિ થઈ જ જાય ને ! તમે “જે' છો ‘તે” જ પ્રતીતિ ‘તમને’ થઈ જાય ને ! અત્યારે જે ભ્રાંતિ છે, એ તમારું અસ્તિત્વ જ જતું રહે. ‘હું ચંદુભાઈ છું' એ તો ભ્રાંતિ છે. ‘તમે ખરેખર આત્મા” છો ‘તે આત્મા’ જ ‘તમે' થઈ જાવ, એટલે પછી ભ્રાંતિ રહે જ નહિ. અને એટલે પછી પૂછવાનું રહ્યું જ નહિ ને ! ‘ચંદુભાઈ’ તો જતાં રહે, ‘ચંદુભાઈ’ એને ઘેર જતાં રહે ! આ ‘ચંદુભાઈ’ એ શંકાવાળા છે અને તે પોતે જ જતો રહે છે. “હું ચંદુભાઈ છું' એ “રોંગ બિલીફ” છે.
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy