SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ આપ્તવાણી-૨ હું હતો કે નહીં ? પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દહાડે તે ૩૫ માળના ફલેટ બાંધવાના કામમાં પડ્યો હતો ! બધા સંજોગ ભેગા થાય પણ આ ‘અક્રમ-જ્ઞાન’નો સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં ‘સત્ સંજોગ’ છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દહાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય ! મહાવીર ભગવાનના નિર્વાણને ૨૫00 વર્ષ પૂરાં થાય છે. ત્યારે સાધન પણ કેવાં ગજબનાં પ્રગટ થયાં છે ! નહીં તો ‘અક્રમ માર્ગ' તે વળી હોતો હશે ? ભગવાનના ૨૫00 વર્ષ પૂરાં થશે એટલે સાધનો ય આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાનને કહેલું કે, ‘ભસ્મક ગ્રહની’ અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો ત્યારે ભગવાને કહ્યું, ના, એ તો નિરાંતે લોકો ભોગવશે. ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઇ જશે. અને એ પૂરું થશે ત્યારે એનું ય ફળ મળશે ! અત્યારે એ વિષમ કાળ પૂરો થવાનો છે. એનું ફળ ‘અક્રમ’ આવ્યું છે ! નહીં તો ‘અક્રમ’ તે હોતો હશે ? ‘સકળ બ્રહ્માંડ ઝંખે તે જ્ઞાન વર્ષા ને અસહય ઉનાળે’ – નવનીત. આખું બ્રહ્માંડ જે “જ્ઞાન’ના વરસાદની ઇચ્છા કરે છે તે ‘જ્ઞાન’નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં ‘જ્ઞાનવર્ષા’ થઇ. જયાં મનુષ્ય માત્ર સાધુ, આચાર્ય, બાવા, બાવલી બધાં તરફડે છે એવા કાળમાં! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય. વીતરાગોનાં બે પ્રકારનાં જ્ઞાન એક ‘ક્રમિક' અને બીજું ‘અક્રમિક' કે જે આજે અહીં “અમારી પાસે પ્રગટ થયું છે !!! કો'ક વખત દસ લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઇ ઉપરી નથી. અને આ ઉપર તારો બાપ કોઇ નથી. પછી રહે કોઇ ભો ભડકાટ ? જેને ‘આકુળતા-વ્યાકુળતા” મટી એને અંતરંગ પચ્ચખાણ જ છે. એ તો ‘ક્રમિક માર્ગ'ના ‘જ્ઞાનીને આકુળતા-વ્યાકુળતા રહે. ‘ક્રમિક માર્ગ જ આકુળતા-વ્યાકુળતાનું કારખાનું છે ! આ તો “અક્રમ માર્ગ’ તે અહીં જ જયાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારું છે ! હવે તો નવા અનુભવ થશે ! જે હીલ ઉપર ચઢયા છો, એનો એક ખૂણો ય હજુ તો પૂરો જોયો નથી, પણ હવે હીલ ઉપર ચોગરદમ જુઓ, ફરો. ગજબનું છે ! જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો. એની યોગ્યતા ને એની સમજણે લાભ લે. એનાથી માથે ઊંચકી ના શકાય તો અમે એને માથે ઊંચકાવી આપીએ. ‘આ’ તો ઓર જ જાતનું બન્યું છે. માટે કામ કાઢી લેવાનું છે.
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy