SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-ર ૨૦૫ ] અર- ગમન. એકીભાવપૂર્વક અર્થાતુ સર્વાશે બાહ્ય-ભૌતિક ભાવોથી પાછા ફરીને આત્મભાવો તરફ ગમન કરવું, તે ‘સમય’ છે અને સમયનો ભાવ, તે સામાયિક છે. (૪) સમ = સમભાવ, આય-લાભ. જે ક્રિયા દ્વારા સમભાવનો લાભ થાય, તે સામાયિક છે. સંક્ષેપમાં બાહ્ય દષ્ટિનો ત્યાગ કરીને અંતર્દૃષ્ટિને અપનાવીને મનને આત્મનિરીક્ષણમાં જોડવું, વિષમભાવનો ત્યાગ કરીને સમભાવમાં સ્થિર થવું, પૌગલિક પદાર્થોનું મમત્વ છોડી આત્મસ્વરૂપમાં રમણ કરવું, તે સામાયિકનો ઉચ્ચ આદર્શ છે. સમસ્ત ધર્મ ક્રિયાઓ માટે સામાયિક આધારભૂત છે. સામાયિકનો ૩ઢાઈ- એકાંત સ્થાનમાં શુદ્ધ આસન પાથરી, શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, બે ઘડી-૪૮ મિનિટ પર્યત કરેમિ ભંતે'નામના પ્રતિજ્ઞા પાઠના ઉચ્ચારણ પૂર્વક સર્વસાવધયોગોનો ત્યાગ કરી, સ્વાધ્યાય, ધ્યાન, જપ, ધર્મકથા આદિ ધાર્મિક ક્રિયાઓમાં સમય વ્યતીત કરવો, તેનું નામ સામાયિક છે. સામાયિકના લક્ષણો– સામાયિકના લક્ષણોમાં “સમતા” જ મુખ્ય છે અને સમતા ભાવ તે આત્માના પરિણામ રૂપ હોવાથી અન્ય લોકો જાણી શકતા નથી. તેમ છતાં જે વ્યક્તિની આત્મપરિણતિ સમભાવયુક્ત થાય, તે વ્યક્તિના જીવન વ્યવહાર પણ પરિવર્તન પામે છે, તેના આધારે આચાર્યોએ સામાયિકના મુખ્ય ચાર લક્ષણોનું કથન કર્યું છે. समता सर्वभूतेषु संयमः शुभभावना । आर्तरौद्र परित्यागस्तद्वि सामायिकं व्रतम् ॥ (૧) સર્વ જીવો પ્રતિ સમભાવ (૨) પાંચે ઇન્દ્રિયોનો સંયમ (૩) મૈત્રી આદિ ચાર ભાવના (૪) આર્ત–રોદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ ધ્યાનનું ચિંતન કરવું, તે સામાયિક છે. (૧) સર્વ જીવો પ્રતિ સમભાવ– સમતા તે મનની એક એવી સ્થિતિસ્થાપક દશા છે કે તે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના સંયોગમાં, ઇષ્ટ કે અનિષ્ટ સંયોગમાં વિષમ ભાવોને ધારણ ન કરતાં સમસ્થિતિને ધારણ કરે છે. વેર-ઝેર, રાગ-દ્વેષ આદિ ઢંઢો તેના અંતર મનને વિકૃત બનાવી શકતા નથી. તેની આત્મવત્ સર્વ ભૂતેષુની ભાવના દેઢતમ બનતી જાય છે. તેનો મૈત્રીભાવ જગજીવોમાં વિસ્તૃત બનતો જાય છે. સાધક જેમ જેમ અંતરના અતલ ઊંડાણમાં પ્રવેશ કરે છે. સમભાવ રૂપ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થતો જાય છે. તેમ તેમ તેના ભાવિક ભાવો દૂર થાય છે. તે સ્વયં અલૌકિક આનંદની અનુભૂતિ કરે છે. શ્રી સૂયગડાંગ સૂત્ર, અનુયોગ દ્વાર સૂત્ર તથા આવશ્યક નિર્યુક્તિમાં સર્વ જીવો પ્રતિ સમભાવને સામાયિક કહે છે. जो समो सव्वभूएसु तसेसुथावरेसु य । तस्स सामाइयं होइ इअं केवलिभासियं ॥ ત્રસ અને સ્થાવર જીવો પર જે સમભાવ રાખે છે તેની શુદ્ધ સામાયિક છે. તેમ કેવળી ભગવંતે કહ્યું છે. (૨) સંયમ–જેના જીવનમાં સર્વ જીવો પ્રતિ સમભાવ કે મૈત્રીભાવ પ્રગટ થાય છે, તેનું જીવન સહજ રીતે સંયમિત બની જાય છે. જીવ હિંસા વિના કામભોગોની પ્રાપ્તિ શક્ય નથી. સમભાવમાં સ્થિર થવા માટે પુરુષાર્થશીલ સાધક પાંચે ઈન્દ્રિયોના વિષયોના આકર્ષણને છોડીને પોતાનું જીવન સમ્યક પ્રકારે સંયમિત અને નિયંત્રિત કરે છે. વિષય ભોગનું સેવન, તેનું ચિંતન-મનન કે વિષયોનું દર્શન જીવના પરિણામોને વિષમ બનાવે છે. વિષયોની પ્રાપ્તિ કે તેનો ભોગ જીવનને વ્યાકુળ અને આતુર બનાવે છે. સંયમ સમભાવને
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy