SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] શ્રી આવશ્યક સૂત્ર પ્રવૃત્તિ સીધી કે આડકતરી રીતે પાપપ્રવૃત્તિનું નિમિત્ત બને છે, તેથી તે અનર્થદંડ છે. હિં પ્રદાન :- હિંસાનાં કાર્યોમાં સાક્ષાતુ સહયોગ આપવો. જેમ કે ચોર, ડાકુ તથા શિકારી વગેરેને હથિયાર દેવા, આશ્રય દેવો તથા બીજી રીતે સહાય કરવી. કોઈપણ અવિવેકી વ્યક્તિને શસ્ત્રો આપવા. આ પ્રકારનાં આચરણથી હિંસાને પ્રોત્સાહન અને મદદ મળે છે, તેથી તે હિંસપ્રદાન અનર્થદંડ છે. પાપકર્મોપદેશ :- બીજાને પાપકાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા, ઉપદેશ અથવા સલાહ દેવી, જેમકે કોઈ શિકારીને બતાવવું કે અમુક સ્થાન પર શિકાર યોગ્ય પશુ-પક્ષી ઘણાં છે. બીજી વ્યક્તિને અન્ય વ્યક્તિ હેરાન કરે તે માટે ઉત્તેજિત કરવા, પશુપક્ષીને પીડિત કરવા માટે લોકોને ખરાબ પ્રેરણા કરવી, આ સર્વનો પાપકર્મોપદેશમાં સમાવેશ થાય છે. સંસાર વ્યવહારનાં નાનાં મોટાં કોઈપણ કાર્યોની આવશ્યક ફરજ કે જરૂરિયાત વિના પ્રેરણા દેવી, તે પણ પાપકર્મોપદેશ અનર્થદંડ છે. અનર્થદંડમાં સમાવિષ્ટ આ ચાર પ્રકારનાં દુષ્કાર્યનો પ્રત્યેક ધર્મનિષ્ઠ, શિષ્ટ અને સભ્ય નાગરિકે ત્યાગ કરવો જોઈએ. આધ્યાત્મિક પ્રગતિની સાથે ઉત્તમ અને નૈતિક નાગરિક-જીવનની દૃષ્ટિએ પણ આ અતિ આવશ્યક છે. અનર્થદંડથી દૂર રહેવા માટે શ્રાવકોએ નિમ્નોક્ત સાવધાની રાખવી જોઈએ ઃ (૧) અશુભ ચિંતનને વિવેકથી રોકી દેવું અને સમભાવ, શાંતિ, સંતોષના વિચારોથી આત્માને સંસ્કારિત અને જાગૃત રાખવો. (૨) સાંસારિક કર્તવ્યો, વ્યવહારો, વેપારની પ્રવૃત્તિઓ અને ઘરની પ્રવૃત્તિઓમાં પૂર્ણ વિવેકયુક્ત આચરણોનું લક્ષ્ય અને અભ્યાસ રાખવો. નિરર્થક અથવા અનાવશ્યક પ્રવૃત્તિઓથી તથા કેવળ મનોરંજન અથવા લોકપ્રવાહને વશ થઈ કરવામાં આવતી પ્રવૃત્તિઓથી પણ વૈરાગ્ય અને વિવેકપૂર્વક દૂર રહેવાનો પ્રયત્ન કરવો. (૩) શસ્ત્ર સંગ્રહ-શસ્ત્ર વિતરણ, શસ્ત્ર પ્રયોગની પ્રેરણા કે દલાલી ન કરવી. (૪) પોતાની આવશ્યક લાગણી અથવા જવાબદારી જ્યાં હોય તે સિવાય કોઈના પણ સંસારી કામો, વ્યાપાર અથવા અન્ય વ્યવહારોમાં રસ ન લેવો. (૫) આરંભ, સમારંભથી બનેલાં વિશિષ્ટ દર્શનીય સ્થળોની અતિશય પ્રશંસા ન કરવી. કોઈ ચીજની પ્રશંસા કરવામાં ભાવ અને ભાષાનો વિવેક રાખવો. સંક્ષેપમાં ગૃહસ્થ જીવનની અતિ આવશ્યક પ્રવૃત્તિ સિવાય કોઇપણ અનાવશ્યક ચિંતન, ભાષણ અથવા પ્રવૃત્તિ કરવી નહીં અને મન, વચન, કાયાથી સાવધાન અને સજાગ રહેવું. શ્રાવક માટે આ અનર્થદંડ વિરમણ વ્રતની આરાધના આત્માને અંતર્મુખી બનાવે છે. તેમાં સજાગ રહેવાથી જીવ ક્રમશઃ આત્મવિકાસ કરતો જાય છે. ધાર્મિક સંસ્કારોથી સુસંસ્કારિત તેનું વ્યાવહારિક જીવન અન્ય માટે પણ આદર્શ અને પ્રેરણાભૂત બને છે, તેથી પ્રત્યેક વ્રતધારી શ્રાવકે આ વ્રતના મહત્ત્વને સમજી તેની આરાધના કરવી જોઇએ. પાંચ અતિચાર– અનર્થકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિઓ અનર્થદંડ વેરમણવ્રતના અતિચાર રૂપ છે. તે પ્રવૃત્તિના ત્યાગથી અનર્થદંડ વેરમણવ્રત સફળ થાય છે. (૧) કંદર્પ– કંદર્પનો અર્થ કામવિકાર છે. કામવિકારને ઉત્તેજિત કરે, તેવા તમામ વચન પ્રયોગો, અશ્લીલ મશ્કરી, અશ્લીલ દેશ્યોનું દર્શન વગેરે સર્વ પ્રવૃત્તિઓનો સમાવેશ કંદર્પ નામના અતિચારમાં થાય છે. શ્રાવકો સંયમિત વ્યવહાર કરે, તેમ છતાં ક્યારેક કોઈ પણ નિમિત્તથી વિષયવર્ધક શબ્દપ્રયોગાદિ થઈ જાય, તે અતિચાર છે. (૨) કૌત્સચ્ચ- વિદૂષકની જેમ કચેષ્ટાઓ કરવી. લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી નેત્રાદિના વિકારપૂર્વક ચેષ્ટાઓ કરવી, તુચ્છતાદર્શક ચેનચાળા કરવા.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy