SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૪ ૧૧૩ | વાદ – યથાતથ્ય-યથાર્થ છે, વસંધ-અવ્યવછિન્ન છે, સદા શાશ્વત છે, સળ૬guહીળમાં - બધા દુઃખોના ક્ષયનો માર્ગ છે. ભાવાર્થ - આ નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, અનુત્તર- સર્વોત્તમ છે, કેવલ- અદ્વિતીય છે અથવા કેવળ જ્ઞાનીઓ દ્વારા પ્રરૂપિત છે, મોક્ષ પ્રાપ્ય ગુણોથી પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત અથવા મોક્ષ અપાવનાર છે, પૂર્ણ શુદ્ધ સર્વથા નિષ્કલંક છે, માયા આદિ શલ્યોનો નાશ કરનાર છે, સિદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે, કર્મ બંધનથી મુક્તિનું સાધન છે, સંસારમાંથી નીકળીને મોક્ષ સ્થાનને પામવાનો માર્ગ છે, શાંતિ રૂપ નિર્વાણનો માર્ગ છે, અવિતહ – મિથ્યાત્વ રહિત છે, અવિસન્ધિ – વિચ્છેદ રહિત અર્થાત્ સનાતન નિત્ય છે તથા પૂર્વાપર વિરોધથી રહિત છે, સર્વ દુઃખોનો ક્ષય કરવાનો માર્ગ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રપાઠમાં પ્રયુક્ત વિશેષણો દ્વારા નિગ્રંથ પ્રવચનની મહત્તા પ્રદર્શિત કરી છે. વુિં પાવય- નિથા: વાહષ્યન્તથનિતા સાધવઃા ધન-ધાન્ય આદિ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિ આવ્યંતર પરિગ્રહ રૂ૫ ગ્રંથીથી સર્વથા રહિત હોય, તે નિગ્રંથ છે. અહીં નિગ્રંથ શબ્દથી અરિહંત ભગવાનનું સૂચન થાય છે. વ્યવહારમાં સાધુઓ માટે નિગ્રંથ શબ્દનો પ્રયોગ થાય છે. સાધુ રાગ-દ્વેષ આદિ આવ્યંતર ગ્રંથીથી સર્વથા મુક્ત નથી પરંતુ તેઓ રાગ-દ્વેષ રૂ૫ ગ્રંથીના સર્વનાશ માટે જ સાધના કરતા હોવાથી તેઓ પણ નિગ્રંથ કહેવાય છે અને બાહ્ય અને આત્યંતર ગ્રંથીથી સર્વથા મુક્ત અરિહંત ભગવાન છે, તેથી તેઓ નિશ્ચયથી નિગ્રંથ કહેવાય છે. નિથાનામિ ધ્યપ્રવચનમતિ – આચાર્ય હરિભદ્ર.નિગ્રંથોનું અર્થાત્ અરિહંતોનું પ્રવચન, નિગ્રંથ્ય પ્રાવચન છે. પલયાના બે સંસ્કૃત રૂપાંતર છે– પ્રવચન અને પ્રવચન. જેમાં જીવાદિ પદાર્થો તથા જ્ઞાનાદિ રત્નત્રયની સાધનાનું યથાર્થ રૂપથી નિરૂપણ કરવામાં આપ્યું હોય, તે સામાયિકથી લઈને ચૌદમાં બિંદુસાર પૂર્વ સુધીનું આગમ સાહિત્ય, નિગ્રંથ પ્રવચન કહેવાય છે અને જેમાં જીવાદિ તત્ત્વોનું ચોક્કસ વિધિપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું હોય, તે પ્રવચન કહેવાય છે. પ્રવચન અથવા પ્રવચનનો અર્થ “શ્રુતરૂપ શાસ્ત્ર' થાય છે. નિગ્રંથ પ્રવચન શબ્દનો પ્રયોગ જિન શાસન અર્થમાં પણ થાય છે અને જિન શાસન એટલે જિન ધર્મ. ધર્મ કેવળ શાસ્ત્રરૂપ નથી, પરંતુ ધર્મ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપરૂપ છે. ધર્મ મોક્ષનો માર્ગ છે, આત્માને શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાની સમગ્ર સાધના છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે णाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा।। ૩ મોતિ પૂછતો, નિર્દિ વર-વહિં || ૨૮ ૧/ જિનેશ્વરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને જ મોક્ષનો માર્ગ કહ્યો છે. તેમજ પ્રસ્તુત સૂત્રના રૂલ્ય નવાસિન્નતિ, પુષંતિ, મુવંતિ.......' આદિ પાઠદ્વારા પણ સિદ્ધ થાય છે કે નિગ્રંથ પ્રવચન રૂપ ધર્મમાં સ્થિત થવાથી જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે તે ધર્મ સહન, બાન'માં “ત' શબ્દ પૂર્વ પરામર્શક હોવાથી પૂર્વ ઉલ્લેખ તરફ સંકેત કરે છે અર્થાત્ પૂર્વોક્ત વિશેષણોથી વિશિષ્ટ પ્રવચનને જ ધર્મ કહ્યો છે અને તેની હું શ્રદ્ધા કરું છું. આચાર્ય હરિભદ્ર સૂરિ ટીકામાં પણ અહીં એવો જ ઉલ્લેખ કરે છે– ૨ | જી-વન તક્ષો ધર્મ , સં ધર્મ
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy