SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૭ ] શ્રી આવશ્યક સૂત્ર જેમ સૂર્ય સામે એકીટસે જોવાથી આંખમાં પાણી આવે છે, નેત્રનું તેજ ઘટે છે. સતત સૂર્યની સામે દષ્ટિ રાખવી, તે આંખને માટે હાનિકારક છે. તેમ વિષય બુદ્ધિથી સ્ત્રીઓના અંગોપાંગનું દર્શન કરવું, તે સાધુ માટે હાનિકારક છે. સુજ્ઞ પુરુષ સૂર્ય તરફથી દષ્ટિ તુરંત હટાવી લે છે તેમ સુજ્ઞ સાધક પણ વિજાતીય વ્યક્તિ પર દષ્ટિ સ્થિર કરતા નથી. (૫) કુડાયાન્તર શબ્દ શ્રવણાદિ વર્જન દિવાલ આદિના આંતરે રહીને સ્ત્રીના(સાધ્વીએ પુરુષના) શબ્દ, ગીત આદિ સાંભળવા નહીં અથવા સ્ત્રી રહેતી હોય, ત્યાં એક ભીંતના આંતરે રહેવું નહીં, રહે તો લાખ, અગ્નિ અને મીણનું દષ્ટાંત. જેમ અગ્નિની સમીપે રહેલું લાખ કે મીણ ઓગળી જાય છે. તેમ એક ભીંતના આંતરે અર્થાતુ સ્ત્રીની સમીપે રહીને તેના શબ્દાદિ શ્રવણથી સાધકનો બ્રહ્મચર્યનો ભાવ ઓગળી જાય, સાધક સ્વમાર્ગથી ચલિત થઈ જાય છે. () પૂર્વભોગ–અસ્મરણ– પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ કરવું નહીં. સ્મરણ કરે તો મુસાફરને સાપના વલોણાની છાસનું દષ્ટાંત. તે કથાનક આ પ્રમાણે છે– એકદા એક મુસાફર મુસાફરી દરમ્યાન એક ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. અત્યંત તૃષાતુર બનેલા મુસાફરે એક ડોસીને ત્યાં વલોણાની છાસ પીધી. તે મુસાફર છ મહિને પાછો આવ્યો, ત્યારે ડોસીએ કહ્યું, ભાઈ! તમે હજુ જીવો છો? ભાઈએ કહ્યું, કેમ શું થયું? ડોસીએ કહ્યું, તમે છ મહિના પહેલા મારા ઘેર આવ્યા ત્યારે છાસ પીધી હતી, તે છાસની દોણીમાં સર્પ હતો. તમે ગયા પછી મને ખબર પડી. મને એમ હતું કે તમે સર્પના વિષથી મિશ્રિત છાસથી મૃત્યુ પામી ગયા હશો. પેલા ભાઈને છ મહિના પહેલાની ઘટનાનું સ્મરણ થયું અને વિષમિશ્રિત છાસના સ્મરણથી છ મહિના પછી તેનું વિષ ચડ્યું અને તે ભાઈ મૃત્યુ પામ્યો. તેમ વર્ષો પહેલા ભોગવેલા ભોગોનું સ્મરણ અબ્રહ્મચર્યના ભાવોને જાગૃત કરે છે અને સાધકના વર્તમાનના સાધુજીવનનો નાશ કરે છે. (૭) પ્રણીત ભોજન ત્યાગ– વિકારોત્પાદક ગરિષ્ટ ભોજન કરવું નહીં અથવા પ્રતિદિન વિગયયુક્ત સ્વાદિષ્ટ ભોજન કરવું નહીં. કરે તો સનેપાતવાળાને દૂધ-સાકરનું દષ્ટાંત. જેમ સનેપાતના દર્દી માટે દૂધ, સાકર હાનિકારક છે, તેનાથી સનેપાત વધે છે. તેમ ગરિષ્ટ ભોજનથી સાધુની વૃત્તિઓ વિકૃત બને છે. રસેન્દ્રિયની આસક્તિથી કામવાસના જાગૃત થાય છે, તેથી સાધુઓ લુખો-સૂકો આહાર કરવાનું વધુ પસંદ કરે છે. ૮) અતિમાત્ર ભોજન ત્યાગ– અતિમાત્રામાં આહાર કરવો નહીં, કરે તો શેરની તોલડી ને બશેરનું દિષ્ટાંત. શેર પ્રમાણ પાત્રમાં બશેર વસ્તુ નાંખતા તે માત્ર તૂટી જાય કે નાશ પામે છે અથવા વધારાની વસ્તુ ઢોળાય જાય છે. તેમ અધિક આહાર બ્રહ્મચારી માટે જોખમકારક છે. (૯) વિભૂષા પરિવર્જન- શરીર પર શોભા-વિભૂષા કરવી નહીં કરે તો રાંકના હાથમાં રત્નનું દષ્ટાંત. રાંક-દીન પુરુષ રત્નના મૂલ્યને સમજતો ન હોવાથી રત્નને વેડફી નાંખે અથવા ખોઈ નાખે છે. તે રત્નનું અવમૂલ્યાંકન કરે છે, તેમ સાધકો શરીર પર શોભા-વિભૂષા કરીને આત્માનું અવમૂલ્યાંકન કરે છે. જેમ ખેતરની વાડ પશુ આદિથી ધાન્યની રક્ષા માટે છે. તેમ બ્રહ્મચર્યની આ નવ વાડ વાસના રૂપ
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy