SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૪ | દ૯ ] અધ્યયન કરવું તથા અધ્યયન કર્યું હોય, તેનું મનન અને નિદિધ્યાસન કરવું, તે સ્વાધ્યાય છે. (૫) દ્વવ્યાત્મનો - ધ્વનિન પોત-પોતાનું અધ્યયન કરવું. પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવું, તે સ્વાધ્યાય છે. જૈનશાસ્ત્રકારોએ સ્વાધ્યાયના પાંચ ભેદ કહ્યા છે. વાચના, પૃચ્છના, પરિપટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્મકથા. (૧) વાંચના– ગુરુમુખેથી સૂત્ર તથા અર્થનું વાંચન કરવું, તે વાચના છે, (૨) પૃચ્છનાશાસ્ત્ર પાઠનું ચિંતન-મનન કરતાં કોઈ વિષયમાં શંકા થવા પર સમાધાનના દષ્ટિકોણથી તવિષયક ગુરુદેવને પૂછવું, તે પૃચ્છના છે, (૩) પરિયાણા- સૂત્ર તથા અર્થ વિસ્મૃત ન થઈ જાય, તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું, તે પરિયટ્ટણા છે. તેના માટે પરિવર્તના, ગોખવું, ફેરવવું ઇત્યાદિ શબ્દ પ્રયોગ થાય છે,(૪) અપેક્ષા- સૂત્ર વાચનાના સંબંધમાં સાત્વિક ચિંતન કરવું, તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયનું મહત્ત્વપૂર્ણ અંગ છે, (૫) ધર્મકથા- વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા પછી તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ સુદઢ થઈ જાય ત્યારે જનકલ્યાણ માટે ધર્મોપદેશ કરવો, તે ધર્મકથા છે. - આ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી સાધકને તીર્થકરોની તથા પૂર્વાચાર્યોની પરંપરાથી આવી રહેલી જ્ઞાનરાશિનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થાય છે. તેના દ્વારા સાધક સ્વયં પોતાના સાધના પથને નિહાળી શકે છે. સ્વાધ્યાયના માધ્યમથી જ સાધક સ્વાવલંબી, સુદઢ અને સબળ બને છે. સ્વાધ્યાયની મહત્તાને સ્વીકારીને જ શાસ્ત્રકારોએ સાધકના દૈનિક કૃત્યમાં સ્વાધ્યાયને આગવું સ્થાન આપ્યું છે. અરણા- પ્રમાદને વશ થઈને ચાર પ્રહરમાં સ્વાધ્યાય ન કર્યો હોય. ૩મગોવારં- સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત પહેલા, આ બંને કાલમાં કંડોવIRU– ભંડોપકરણ. ભંડ – પાત્ર અને ઉપકરણ – સંયમી જીવનમાં ઉપયોગી સાધુની અન્ય આવશ્યક ઉપધિ. તે ઉપધિના બે પ્રકાર છે– રજોહરણ, વસ્ત્ર, પાત્ર, ગુચ્છો વગેરે જે ઉપધિ હંમેશાં સાધુની પોતાની નિશ્રામાં રાખી શકાય છે, તેને ઔધિક ઉપધિ કહે છે અને પાટ, પાટલા, સંસ્તારક આદિ આવશ્યકતા પ્રમાણે સાધુ ગૃહસ્થ પાસેથી પાઢીહારી-પાછું આપવાની શરતે લઈ આવે છે, તે ઔપગ્રહિક ઉપધિ છે. આ બંને પ્રકારની ઉપધિનું દિવસમાં બે વાર પ્રતિલેખન અને પ્રમાર્જન કરવાનું હોય છે. અખંડિત્વેદM/..... પ્રતિલેખન ન કર્યું હોય અથવા માઠી રીતે (ઉપયોગ વિના, જેમ-તેમ) પ્રતિલેખન કર્યું હોય, પોંક્યું ન હોય અથવા માઠી રીતે પોંક્યું હોય પ્રતિલેખનઃ પ્રમાર્જન-પ્રત્યક્ષ-મૂર્તિત 4 વાષનિરીક્ષા જીવ રક્ષાની ભાવનાથી વસ્તુનું વ્યવસ્થિત રીતે આંખ દ્વારા નિરીક્ષણ કરવું, તે પ્રતિલેખન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના “સમાચારી’ અધ્યયનમાં વસ્ત્ર પ્રતિલેખન વિધિનું વિસ્તૃત વર્ણન છે. તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિલેખન ન કરવું અથવા શૂન્ય મનસ્ક પણે ઉપયોગ વિના પ્રતિલેખન કરવું, તે દુષ્ટ પ્રતિલેખન છે. પ્રતિલેખન કર્યા પછી જો તે ઉપધિ ઉપર કોઈ જીવજંતુ જણાય, તો તેને ગુચ્છાથી યતનાપૂર્વક દૂર કરવા, ગુચ્છા જેવા મુલાયમ સાધન દ્વારા તે ઉપધિને સાફ કરવાની ક્રિયાને પ્રમાર્જન કહે છે. તે ક્રિયા જીવ દયાના લક્ષ વિના અયતનાપૂર્વક થાય, તો તે દુષ્ટ પ્રમાર્જન છે. સાધુ પોતાના ઉપકરણનું પ્રતિલેખન કરે અને ત્યારપછી પ્રમાર્જન કરે છે, આ રીતે પ્રતિલેખન અને પ્રમાર્જન બંને ક્રમિક ક્રિયાઓ છે.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy