SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] શ્રી આવશ્યક સૂત્ર જેવી મુદ્રા હોય છે તેવી અર્થાત્ બંને હાથ અંજલિબદ્ધ કપાળ પર રાખીને નિદિપદના ઉચ્ચારણ પૂર્વક અવગ્રહમાં પ્રવેશ કરે છે. ત્યારપછી રજોહરણથી ભૂમિનું પ્રમાર્જન કરી ગુરુદેવની પાસે ગોદોહિકા અથવા ઊકડું આસનથી બેસીને સદો જાય શબ્દના ઉચ્ચારણપૂર્વક ત્રણ આવર્તન કરીને સંસં કહેતા ગુરુના ચરણનો મસ્તકથી સ્પર્શ કરે છે. ત્યારપછી હુ નો બે જિનાનો શબ્દ દ્વારા ચરણ સ્પર્શ કરતા સમયે ગુરુદેવને તકલીફ થઈ હોય તેની ક્ષમા યાચના કરે છે. ત્યારપછી મM વિનંતા વ૬ સુમેળ દિવસો વ તી બોલી દિવસ સંબંધી ક્ષેમકુશલતા પૂછે છે. ત્યારે ગુરુદેવ પણ તથા કહીને પોતાના ક્ષેમ કુશલની સૂચના આપે છે અને શિષ્યને ક્ષેમ કુશલતા પૂછે છે. ત્યારપછી સત્તા છે ! કવ િવ ! આ ત્રણ શબ્દોના ઉચ્ચારણપૂર્વક ત્રણ આવર્તન કરીને (તે દ્વારા) ગુરુને સંયમ યાત્રા તથા ઇન્દ્રિય તથા મન સંબંધી સુખશાતા પૂછે છે અને ગુરુચરણોનો સ્પર્શ કરીને હાનિ નાનો રેસિયં વદ શબ્દ દ્વારા નમ્રભાવે દિવસ સંબંધી થયેલા અપરાધોની ક્ષમાયાચના કરે છે. ત્યારપછી આવલિયા કહેતા અવગ્રહથી બહાર આવી પડજમાન થી લઈને અખાનું વસિરામિ સુધીનો સંપૂર્ણ પાઠ બોલીને પ્રથમ વંદન પૂર્ણ કરે અને બીજી વંદના પણ એ જ રીતે કરે, તેમાં વિશેષતા એ છે કે બીજીવાર આવરિયાપદ ન બોલવું અને અવગ્રહથી બહાર ન આવતા ત્યાં જ સંપૂર્ણ પાઠ બોલી લેવો. પ્રસ્તુત પાઠમાં જે વહુસુમેળ ને વિવો વફત પાઠમાં દિવસો વફત પાઠ છે તેમાં રાઈ પ્રતિક્રમણમાં ચા વફાત, પાક્ષિક પ્રતિક્રમણમાં પલ્લી વફાતો, ચાતુર્માસિક પ્રતિક્રમણમાં વોમાણી વાતો તથા સાંવત્સરિક પ્રતિક્રમણમાં વચ્છ વÉવાતો એવો પાઠ બોલાય છે. વંદનના ૨૫ આવશ્યક :- શ્રી સમવાયાંગ સૂત્રના બારમા સમવાયાંગમાં વંદન વિધિની સ્પષ્ટતા માટે વંદનના ૨૫ આવશ્યક કાર્યોનું કથન કર્યું છે. दुओ णयं जहाजायं, कितिकम्मं बारसावयं चउसिरं तिगुत्तं च, दुपवेसं एग-णिक्खमणं કૃતિકર્મ–વંદન વિધિના બે અવનત, એક યથાજાત, બાર આવર્ત, ચાર શિર, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ આ પ્રમાણે કુલ પચીસ આવશ્યક છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– બે અવનત:- અવગ્રહની બહાર રહેલો શિષ્ય સર્વ પ્રથમ પણછ ચઢાવેલ ધનુષ્યની સમાન અર્ધઅવનત થઈને અર્થાત્ અર્ધ શરીર નમેલું હોય તેવી સ્થિતિમાં ઊભા રહીને છામિ નામો વંતિઃ ગાવળજ્ઞાણ નિલહિયારબોલીને ગુરુદેવને વંદન કરવાની ઇચ્છાનું નિવેદન કરે છે. ગુરુદેવના તરફથી આજ્ઞા મળ્યા પછી અર્ધ અવનત કાયાથી જ અજુગાર ને ન ૩ હું બોલીને અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માંગે છે. આ પ્રથમ અવનત આવશ્યક છે. અવગ્રહથી બહાર આવી પ્રથમ વંદન પૂર્ણ કરી બીજીવાર વંદન કરવા માટે ઇચ્છામિ ખમાસમણોનો પાઠ બોલે ત્યાર પછી તે જ રીતે અર્ધ અવનત થઈને વંદન કરવા માટે ઇચ્છા નિવેદન કરવું અને બીજી વાર અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માંગવી આ બીજો અવનત આવશ્યક છે. એક યથાજાત બાળક માતાના ગર્ભમાંથી જન્મ ધારણ કરે ત્યારે તેના બંને હાથ લલાટ ઉપર હોય છે. તે
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy