SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-પ ૨૦૭ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે. ત્યાર પછી આહાર કરતાં સમયે તે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજન સેવનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક-ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ચાર વિકલ્પો દ્વારા રાત્રિ ભોજનના અતિચાર અને તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સૂત્રકારે ચાર વિકલ્પોમાં સાધુના ચાર વિશેષણનો પ્રયોગ કર્યો છે. ચાર વિકલ્પો :– (૧) સંસ્કૃત અને નિર્વિચિકિત્સ સાધુની અપેક્ષાથી, (૨) સંસ્કૃત અને વિચિકિત્સ સાધુની અપેક્ષાથી, (૩) અસંસ્કૃત અને નિર્વિચિકિત્સ સાધુની અપેક્ષાથી, (૪) અસંસ્કૃત અને વિચિકિત્સ સાધુની અપેક્ષાથી છે. સાધુના ચાર વિશેષણો :– (૧) સંથત્તિ- સંસ્કૃત. સમર્થ, સ્વસ્થ અને પ્રતિદિન પર્યાપ્તભોજી સાધુ. (૨) અસથડિ- અસંસ્કૃત. અસમર્થ, અસ્વસ્થ તથા અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરનાર તપસ્વી સાધુ. અસંસ્કૃતના ત્રણ પ્રકાર છે– (૧) તપ અસંસ્કૃત (૨) ગ્લાન અસંસ્કૃત (૩) અઘ્યાન અસંસ્કૃત. ૧. તપ અસંસ્કૃત— તપશ્ચર્યા કરવાથી જે સાધુ અસમર્થ થઈ ગયા હોય તે, ૨. ગ્લાન અસંસ્કૃત– રોગ આદિથી જે સાધુ અશક્ત થઈ ગયા હોય તે, ૩. અધ્વાન અસંસ્કૃત– માર્ગના થાકથી જે સાધુ કલાંત થઈ ગયા હોય તે. (૩) વિનિચ્છાસમાવળે– વિચિકિત્સ. સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થયો છે કે નહીં ? તે વિષયમાં શંકાશીલ, સંશયવાળા સાધુ. (૪) નિષ્વિશિષ્ઠે નિર્વિચિકિત્સ, સંશયરહિત. સૂર્યોદય થઈ ગયો છે અથવા સૂર્યાસ્ત થયો નથી, તેવા નિશ્ચયવાળા સાધુ. ઉપરોક્ત ચાર વિકલ્પોમાંથી બીજા અને ચોથા વિકલ્પવાળા સાધુ સૂર્યોદય અને સૂર્યાસ્તના વિષયમાં શંકાશીલ છે, પહેલા અને ત્રીજા વિકલ્પવાળા સાધુ શંકારહિત હોવા છતાં તેને મેઘાચ્છાદિત આકાશ આદિ કારણથી સૂર્યોદય કે સૂર્યાસ્તના વિષયમાં ભ્રમ થાય અને આહાર-પાણી ગ્રહણ કરે પરંતુ જ્યારે વાસ્તવિકતા સમજાઈ જાય કે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આહાર ગ્રહણ થઈ ગયો છે તો તેણે તુરંત જ તે આહારને પરઠી દેવો જોઈએ. જો તે આહાર પરઠે નહીં તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તેથી તે સાધુ ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. તેનું કથન નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૦માં પણ છે. ઉદ્દગાલ(ઘચરકા) સબંધી વિવેક અને પ્રાયશ્ચિતઃ १० इह खलु णिग्गंथस्स वा णिग्गंथीए वा राओ वा वियाले वा सपा सभोयणे उग्गाले आगच्छेज्जा, तं विगिंचमाणे वा विसोहेमाणे वा णो अइक्कमइ । तं उग्गलित्ता पच्चोगिलमाणे राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ:જો કોઈ સાધુ અથવા સાધ્વીને રાત્રે અથવા સંધ્યા સમયે(પૂર્વે ગ્રહણ કરેલા) પાણી અને આહારનો ઘચરકો આવે અને તે તેને થૂંકી દે, મોઢું ચોખ્ખું કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy