SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭/અગમ . પપ૩] ભાગ પર્યત, સર્વ વિરતિ સામાયિક આઠ ભવ પર્યત અને શ્રુત સામાયિક અનંત કાળ સુધી હોય છે. (૨૪) આકર્ષ:- એક ભવમાં કે અનેક ભવમાં સામાયિકના આકર્ષ કેટલા હોય છે? અર્થાત્ એક કે અનેક ભવમાં સામાયિક કેટલી વાર ધારણ કરી શકાય? ચારે સામાયિકને એક ભવમાં જઘન્ય એક આકર્ષ હોય છે. સમ્યકત્વ, શ્રુત અને દેશવિરતિના એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજાર, આકર્ષ હોય છે અને સર્વવિરતિના અનેક સો આકર્ષ હોય છે. અનેક ભવોની અપેક્ષાએ સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિકના અસંખ્યાત હજાર આકર્ષ હોય છે. સર્વવિરતિના અનેકહજાર આકર્ષ હોય છે. સામાન્ય રૂપે શ્રુત સામાયિકના અનેક ભવોમાં ઉત્કૃષ્ટ અનંત આકર્ષ હોય છે. (૨૫) સ્પર્શ :- સામાયિકવાન જીવ કેટલા ક્ષેત્રનો સ્પર્શ કરે છે? સમ્યકત્વ અને સર્વવિરતિ સામાયિકવાના જીવ જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો અને ઉત્કૃષ્ટ સમસ્ત લોકનો સ્પર્શ કરે છે, તે કેવળી સમુદ્યાતની અપેક્ષાએ શ્રુત અને દેશવિરતિ સામાયિકવાળા જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો ઉત્કૃષ્ટ ૧૪ રાજુ પ્રમાણ લોકના ૭ રાજુ, પાંચ રાજુ, ચાર, ત્રણ, બે રાજુ પ્રમાણ લોકનો સ્પર્શ કરે છે. કોઈ જીવ ઈલિકા ગતિથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તો ૭ રાજુને, વિરાધિત થાય પણ સમ્યકત્વથી પતિત થયા નથી તેવા જીવ જેણે નરકાયુ પૂર્વે બાંધી લીધું હોય અને ઈલિકા ગતિથી છઠ્ઠી નરકે ઉત્પન્ન થાય તો પાંચ રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે. કોઈ દેશવિરતિ ધારણ કરનાર અય્યત દેવલોકમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય તો ચાર રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે. (૨) નિરુક્તિ - સામાયિકની નિરુક્તિ શું છે? નિશ્ચિત ઉક્તિ-કથનને નિરુક્તિ કહે છે. તેથી સમ્યગ્દષ્ટિ અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યય, સુદષ્ટિ વગેરે સામાયિકના નામ છે. સામાયિકનું પૂર્ણ વર્ણન જ સામાયિકની નિયુક્તિ છે. આ ઉપોદઘાત નિર્મુલ્યનગમની વ્યાખ્યા છે. હવે સૂત્રના પ્રત્યેક અવયવની વિશેષ વ્યાખ્યા કરવા રૂપ સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું કથન કરે છે. સૂત્રસ્પર્શિક નિર્યુજ્યનુગમ :५ से किं तं सुत्तप्फासियणिज्जुत्ति अणुगमे ? सुत्तप्फासियणिज्जुत्तिअणुगमे सुत्तं उच्चारेयव्वं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कंठोट्ठविप्पमुकं गुरुवायणोवगयं । तओ णज्जिहिइ ससमयपयं वा परसमयपयं वा बंधपयं वा मोक्खपयं वा सामाइयपयं वा णोसामाइयपयं वा । तओ तम्मि उच्चारिते समाणे केसिंचि भगवंताणं केइ अत्थाहिगारा अहिगया भवंति, केसिंचि य केइ अणहिगया भवंति, तओ तेसिं अणहिगयाणं अत्थाणं अभिगमणत्थाए पएणं पयं वत्तइस्सामि
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy