SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ શ્રી અનુયોગદ્વાર સૂત્ર સંક્લેશની અધિકતા હોય છે. પતનનું કારણ જ સંક્લેશ છે. ઃ ૫. યથાખ્યાત ચારિત્ર :– યથાર્થ રૂપે સર્વાત્મના જે ચારિત્ર કષાય રહિત હોય તે થયાખ્યાત ચારિત્ર કહેવાય છે અથવા આત્માનું જેવું કષાય રહિત સ્વરૂપ છે, તે રૂપે જ ચારિત્ર ખ્યાત એટલે પ્રસિદ્ધિને પામે છે તે યથાખ્યાત ચારિત્ર. યશાખ્યાત ચારિત્રના ભેદ :– આ ચારિત્રના બે ભેદ છે. પ્રતિપાતી અને અપ્રતિપાતી. પ્રતિપાની– જે જીવોના કષાય ઉપશાંત થયા છે, તેવા અગિયારમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચારિત્ર પ્રતિપાતી યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. તેઓનું આ ચારિત્ર અંતર્મુહૂર્ત પર્યંત જ રહે છે. અપ્રતિપાતી– જેઓએ કષાયનો સર્વથા ક્ષય કર્યો છે, તેવા બારમા—તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચારિત્ર અપ્રતિપાતી હોય છે. આશ્રયભેદથી આ ચારિત્રના છાસ્થિક અને કૈવલિક એવા બે ભેદ થાય છે. અગિયારમા, બારમા ગુણસ્થાનવર્તી જીવનું ચારિત્ર છાાસ્થિક કહેવાય છે. અગિયારમા અને બારમા ગુણસ્થાનવી જીવોને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી વીતરાગ છે પરંતુ શેષ ત્રણ થાતીકર્મ હોય છે. તેથી તેઓ છદ્મસ્ય જ કહેવાય છે. તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી કેવળજ્ઞાની જીવોનું આ ચારિત્ર કૈવલિક કહેવાય છે. આ રીતે ચારિત્રગુણ પ્રમાણ, જીવ ગુણ પ્રમાણ અને ભાવપ્રમાણના પ્રથમ ભેદરૂપ ગુણ પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે. ॥ પ્રકરણ-ર સંપૂર્ણ ॥
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy