SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ ગાથાઓ. ૨૫ જ વૃદ્ધિ થાય છે. ગાથાના ઉત્તરાર્ધમાં તેમની વિદ્વત્તાનો પરિચય આપ્યો છે. તેમજ વ્યાકરણ શબ્દથી તેઓને સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ અને પ્રશ્નવ્યાકરણ આદિ વિષયના જાણકાર બતાવ્યા છે અથવા તેઓને પ્રશ્નોના ઉત્તર આપવામાં નિપુણ બતાવેલ છે તથા વાચક નાગહસ્તીજી સપ્તભંગી, પ્રમાણભંગી, નયભંગી, ગાંગેય અણગારના ભંગ તથા અન્ય જેટલા પ્રકારના ભંગ છે તે દરેકના જાણકાર હતા. અંતમાં તેઓને કર્મ પ્રકૃતિ સંબંધિજ્ઞાનમાં પણ નિષ્ણાત હોવાનું બતાવેલ છે. ३५ (રપ) શ્રી રેવતિનક્ષત્ર આચાર્ય : जच्चंजणधाउसमप्पहाणं, मुद्दियकुवलय-णिहाणं । वड्डउ वायगवंसो, रेवइणक्खत्त-णामाणं ॥ શબ્દાર્થ – કન્વનાથ૪ ઉત્તમ જાતિની અંજણ ધાતુ, સમMi= સમાન પ્રભાવાન, મchવતા = દ્રાક્ષ અને નીલકમળ સમાન નીલ કાંતિવાન, દેવ-પાર્વત-માણ = રેવતિ નક્ષત્ર નામના, વાયવસો = વાચકવંશ, વકૃ૩ = વૃદ્ધિ પ્રાપ્ત કરે. ભાવાર્થ :- ઉત્તમ જાતિની અંજન ધાતુ તુલ્ય કાંતિવાન અને પાકેલી દ્રાક્ષ તેમજ નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિવાન, આર્ય રેવતિનક્ષત્રનો વાચકવંશ વૃદ્ધિ પામો. વિવેચન : આ ગાથામાં નાગહસ્તિના શિષ્ય આચાર્ય રેવતિનક્ષત્રનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય રેવતિનક્ષત્ર જાતિ સંપન્ન હોવા છતાં તેમના શરીરની કાંતિ અંજનધાતુ સદશ હતી. અંજન આંખોમાં ઠંડક પેદા કરે છે અને તેથી ચક્ષુરોગ શાંત થાય છે. એમ તે આચાર્યના દર્શનથી પણ ભવ્યજીવોના નેત્રોમાં શીતળતા પ્રાપ્ત થતી હતી. માટે સ્તુતિકારે તેમના શરીરની કાંતિની તુલના અંજન ધાતુ સાથે કરી છે. પરિપક્વ દ્રાક્ષના ફળ અને નીલોત્પલ કમળના વર્ણ જેવી તેના દેહની કાંતિ હતી. કુવલય શબ્દનો અર્થ મણિવિશેષ યા નીલકમળ છે. તેમની દીક્ષા સમયે અઠ્યાવીસ નક્ષત્રો પૈકી રેવતિનક્ષત્રનો સંયોગ હતો તેથી તેમનું નામ રેવતિનક્ષત્ર રાખ્યું. (ર૬) શ્રી સિંહ આચાર્ય : अयलपुरा णिक्खंते, कालिय-सुय-आणुओगिए धीरे । ૨૬ વંમદીવિકા(સા)વી, વાયા-પ-મુક્તકં પરે ! શબ્દાર્થ – નયનપુર = અચલપુરથી, જિતે - જે દીક્ષિત થયા, વાલિય = કાલિક, સુવ = શ્રુતના, બાપુગણિ = વ્યાખ્યાતા, ધીરે ધૈર્યવાન, વાયTય-= ઉત્તમ વાચક પદને, પત્તે = પ્રાપ્ત કરનાર, વમવલા હ = બ્રહ્મદીપિક શાખાના, સીદ = શ્રી સિંહ આચાર્ય. ભાવાર્થ :- જે અચલપુરમાં દીક્ષિત થયા હતા અને કાલિકશ્રુતની વ્યાખ્યા કરવામાં નિપુણ હતા તથા
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy