SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદી સૂત્ર ચંદ્રપ્રધોતનને તેમના સેવકોની વાત સમજાઈ ગઈ. તેને અભયકુમાર પર બહુ ક્રોધ આવ્યો. તેણે નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ માણસ અભયકુમારને પકડીને મારી પાસે લઈ આવશે તેને બહુમૂલ્ય પુરસ્કાર આપવામાં આવશે. ૧૫૦ નગરમાં ઘોષણા તો થઈ પરંતુ બિલાડીના ગળામાં ઘંટી બાંધવા જાય કોણ ? રાજાના મંત્રીઓ, સેનાપતિઓ આદિથી લઈને સાધારણ વ્યક્તિ સુધી દરેકને આ વાત પહોંચાડી પણ કોઈની હિંમત ચાલી નહીં. અંતે એક વેશ્યાએ આ કાર્ય કરવાની હામ ભરી. તે રાજગૃહ ગઈ. ત્યાં જઈને આદર્શ શ્રાવિકા જેવી ધર્મ કરણી કરવા લાગી. ક્યારેક ક્યારેક તે અભયકુમારને પણ મળતી. થોડો સમય વીત્યા બાદ તે પાખંડી શ્રાવિકાએ એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રણ મોકલ્યું. શ્રાવિકા સમજીને અભયકુમારે નોતરુ સ્વીકારી લીધું. વેશ્યાએ ખાવાલાયક દરેક વસ્તુઓમાં નશો ચડે એવો પદાર્થ નાંખ્યો હતો. તે વસ્તુને આરોગતાં આરોગતાં જ અભયકુમાર મૂર્છિત થઈ ગયો. ગણિકા આ પળની જ રાહ જોઈ રહી હતી. તેણીએ વિલંબ કર્યા વગર અભયકુમારને પોતાના રથમાં નાંખીને, ઉજ્જયિની જઈને ચંદ્રપ્રદ્યોત રાજાને સોંપી દીધો. અભયકુમારને જોઈને રાજા હર્ષિત થયો. અભયકુમાર જ્યારે હોંશમાં આવ્યો ત્યારે વ્યંગમાં પરિહાસપૂર્વક રાજાએ કહ્યું– કેમ બેટા ! કપટનું ફળ મળી ગયુંને ? અભયકુમારે જરા પણ ગભરાયા વગર નિર્ભયતાપૂર્વક કહ્યું– માસા ! આપે તો મને બેહોશીમાં રથમાં નાંખીને અહીં મંગાવ્યો છે પરંતુ હું તો આપને હોશપૂર્વક રથમાં બેસાડીને જૂતાનો માર મારતો મારતો રાજગૃહમાં લઈ જઈશ. રાજાએ અભયકુમારની વાતને ઉપહાસ સમજીને ટાળી નાંખી અને અભયકુમારને ત્યાં જ રાખી લીધો. પરંતુ અભયકુમારે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. તે તકની રાહ જોતો હતો. થોડા દિવસ વ્યતીત થવા પર અભયકુમારે એક યોજના બનાવી. યોજના અનુસાર એક એવી વ્યક્તિની ખોજ કરી કે જેનો અવાજ બિલકુલ ચંદ્રપ્રધોતન રાજા જેવો જ હતો. એવી ગરીબ વ્યક્તિને બહુ મોટા ઈનામની લાલચ આપીને પોતાની પાસે રાખી લીધો અને પોતાની યોજના તે માણસને અભયકુમારે સમજાવી દીધી. એક દિવસ એ ગરીબ માણસને અભયકુમારે રથમાં બેસાડ્યો અને નગરના મધ્યભાગમાં તેનાં મસ્તક પર જૂતાનો માર મારતો મારતો અભયકુમાર નીકળ્યો. જૂતાનો માર ખાનાર બૂમાબૂમ કરતો હતો કે અભયકુમાર મને જૂતાથી મારે છે માટે મને બચાવો..બચાવો.. પોતાના રાજા જેવો અવાજ સાંભળીને લોકો દોડીને પેલા માણસને છોડાવવા માટે ત્યાં આવ્યા. તેઓને જોઈને જૂતા મારનાર અને જૂતા ખાનાર બન્ને ખડખડાટ હસી પડ્યા. અભયકુમારનો ખેલ જોઈને લોકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. અભયકુમારે નિરંતર પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા કરી, તેથી ત્યાર પછી બજારના લોકો કુમારની આ ક્રીડા સમજીને હસતા હતા પરંતુ કોઈ પણ માણસ તેને છોડાવવા માટે જતા નહીં. છઠ્ઠા દિવસે મોકો જોઈને અભયકુમારે રાજા ચંદ્રપ્રધોતનને બાંધી લીધા અને બળપૂર્વક રથમાં બેસાડીને તેના મસ્તક પર જૂતા મારતો મારતો તે મધ્ય બજારથી નીકળ્યો. રાજા બૂમાબૂમ કરવા લાગ્યો
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy