SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ શબ્દાર્થ – સત્કાર = શસ્ત્રગ્રહણ-શસ્ત્ર દ્વારા આત્મઘાત કરવો વિષમ = વિષભક્ષણ કરવું, ઝેર ખાઈને મરી જવું ગત = અગ્નિમાં સળગી જવું ગનવેલો = જળ પ્રવેશ કરવો, પાણીમાં ડૂબી મરવું અવાર-ભંડવી = મોટા અનાચારનું સેવન કરનાર, લોકોમાં ભંડના–હીલના થાય તેવા દોષ સેવનાર જન્મમરણપ = અનેક જન્મમરણની વતિ = વૃદ્ધિ કરે છે. ભાવાર્થ:- શસ્ત્ર પ્રહાર, વિષભક્ષણ, અગ્નિમાં પ્રવેશ અને જળમાં પ્રવેશ કરી આત્મઘાત કરનાર અને સંયમના મોટા અનાચાર એટલે શીલવ્રત વગેરેમાં દુરાચરણ કરનાર સાધક જન્મમરણની પરંપરા વધારે છે. વિવેચન : પ્રસ્તુત ગાથામાં પાંચમી મોહભાવનાની મુખ્ય બે પ્રવૃત્તિઓનું દિગ્દર્શન છે– (૧) આત્મઘાત અને (૨) લોક નિંદ્ય સંયમના મોટા દોષોનું સેવન. ચાર પ્રકારના આત્મઘાતનું કથન શબ્દાર્થ ભાવાર્થથી સ્પષ્ટ છે. અન્યસૂત્રોમાં આત્માઘાતના અર્થાત્ બાલમરણના અનેક ભેદોનું વર્ણન પ્રાપ્ત થાય છે. અહીં તેનું સંક્ષિપ્તમાં કથન છે. કોઈ પણ પ્રકારે આત્મઘાત કરવો, તે તીવ્ર કષાયનું પરિણામ છે. તેથી જ સૂત્રકારે તેનો સમાવેશ મોહભાવનામાં કર્યો છે. અળયાર મંડવી :- કંડ શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે– (૧) ભાંડવૃત્તિ (૨) લંડનશીલ આચરણ, (૩) ભમ્યોપકરણ. પ્રસ્તુતમાં અંતિમ અને નિકૃષ્ટ મોહભાવનાનું નિરૂપણ છે. ભંડ શબ્દના ત્રણ અર્થમાંથી ભાંડવૃત્તિ કંદર્પ ભાવનાનો વિષય છે અને ભંડોપકરણ અર્થ પ્રસ્તુતમાં સંગત નથી. તેથી બીજો “મંડનશીલ આચરણ” અર્થ પ્રસંગોચિત છે. તેનું તાત્પર્ય એ છે કે સંયમી જીવનને દૂષિત બનાવે, બહુ લોકાપવાદ-હીલના થાય તેવું કુશીલ સેવન કે ક્રૂર હિંસક પ્રવૃત્તિ આદિ ભંડનશીલ આચરણ કહેવાય છે. તેનું સેવન કરનાર મોહભાવનાનું આચરણ કરે છે. સંક્ષેપમાં આત્મઘાત અને અનાચારોનું સેવન તે મોહભાવના છે. મોહભાવની પરંપરાથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે. વદ્ધતિ - વૃદ્ધિ કરે છે. આ ક્રિયાપદનો પ્રયોગ કરનારા સાથે થયો છે તેથી જન્મમરણની વૃદ્ધિ કરે છે, તે પ્રમાણે અર્થ થાય છે. કેટલીક પ્રતોમાં વર્ઝાતિના સ્થાને વતિ ક્રિયાપદનો પ્રયોગ મળે છે. તે પાઠનો સ્વીકાર કરતાં “જન્મ-મરણ કરાવનાર કર્મોનો બંધ કરે છે.” તે પ્રમાણે અર્થ કરવામાં આવે છે. ઉપસંહાર:मन इइ पाउकरे बुद्धे, णायए परिणिव्वुए ॥ छत्तीसं उत्तरज्झाए, भवसिद्धिय सम्मए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- રૂ = આ મસિદ્ધિય સમા = ભવ્ય જીવોને માન્ય એટલે તેમને સ્વીકારવા યોગ્ય ૩ત્તરફા = ઉત્તરાધ્યયન સૂત્રના છ = છત્રીસ અધ્યયનો પા૩૨ = પ્રગટ કરીને ગયા = જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બુદ્ધ = જ્ઞાની, સર્વજ્ઞ પરીણવુ = પરિનિવૃત્ત, નિર્વાણ પ્રાપ્ત. ભાવાર્થ:- આ પ્રકારે ભવ્ય જીવોને સ્વીકાર્ય, આદરણીય એવા ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનો સર્વજ્ઞ, નિર્વાણ પ્રાપ્ત જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપ્યા છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy