SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા ૩૪૧ | ३३ અભ્યસ્ત, વિનયથી ભાવિત અંતઃકરણવાળો. અઝદને- કુતુહલ થાય તેવી ઇન્દ્રજાળ–જાદુ બતાવવા આદિ પ્રવૃત્તિ ન કરનાર, ઠઠ્ઠામશ્કરી ન કરનાર અકુતૂહલી કહેવાય છે. ગોવં- યોગવાન, યોગસિદ્ધ. મન, વચન અને કાયાને પૂર્ણ રીતે નિયંત્રણમાં રાખી શકનાર સાધક યોગનિષ્ઠ કે યોગવાન કહેવાય છે. પિયષમે- ધર્મના અનુષ્ઠાનોમાં રુચિ રાખનાર પ્રિયધર્મી કહેવાય છે. દદથ-ને- દઢતાપૂર્વક પ્રતિજ્ઞાઓનું પાલન કરનાર દેઢધર્મ કહેવાય છે. ૩વહાવ- તપસ્વી, યથા સમય તપ કરનાર તેમજ શાસ્ત્ર અધ્યયન સંબંધી તપસ્યા કરનાર ઉપધાનવાન કહેવાય છે. (૮) સ્થાન દ્વાર :। असंखिज्जाणोसप्पिणीण, उस्सप्पिणीण जे समया । સવાયા તો, નેસાઈ હતિ તાબાડું શદાર્થ - અતિજ્ઞા = અસંખ્યાત બિળ = અવસર્પિણીકાલના ૩ખળખ = ઉત્સર્પિણી- કાલના ને = જેટલા સમય = સમય છે સવાયા નો = અસંખ્ય લોકના જેટલા પ્રદેશો છે એટલા નેતાળ = લેશ્યાઓના ઠાગાઠું = સ્થાન હતિ = હોય છે. ભાવાર્થ:- અસંખ્યાત અવસર્પિણીકાલ તથા અસંખ્યાત ઉત્સર્પિણીકાલના જેટલા સમય હોય છે અથવા અસંખ્યાત લોકના જેટલા આકાશ પ્રદેશો હોય છે એટલા જ વેશ્યાઓના સ્થાન(શુભાશુભ ભાવોની ચઢતી ઉતરતી અવસ્થાઓ) હોય છે. વિવેચનઃલેયા સ્થાન- અંતઃકરણમાં ઉત્પન્ન થનારા શુભ અને અશુભ અધ્યવસાયોની તરતમતાને વેશ્યા સ્થાન કહે છે. તેના અસંખ્યાત ભેદ થાય છે. પ્રસ્તુત ગાથામાં તે અસંખ્યાતની રાશિનું પ્રમાણ, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ પ્રદર્શિત કર્યું છે. કાલની અપેક્ષાએ લેયાસ્થાન- દશ ક્રોડાક્રોડી સાગરોપમનો એક અવસર્પિણી કાળ હોય છે, દશ ક્રોડાક્રોડી સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ હોય છે. બંને કાલ મળીને વીસ ક્રોડાકોડી સાગરોપમનું કાળ ચક્ર કહેવાય છે. તેના અસંખ્યાત સમય છે. તેવી અસંખ્યાત ઉત્સર્પિણી તથા અવસર્પિણીકાળના જેટલા સમય થાય છે તેટલા વેશ્યાઓના સ્થાન છે. ક્ષેત્રની અપેક્ષાએ લેશ્વાસ્થાન- એક લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. તેવા અસંખ્યાત લોકાકાશની કલ્પના કરવામાં આવે તો તે સર્વના આકાશ પ્રદેશોની જેટલી સંખ્યા થાય તેટલા વેશ્યાઓના સ્થાન છે. લેશ્યાઓના જે સ્થાન છે તેમાં અશુભલેશ્યાઓના સંક્લેશરૂપ સ્થાન હોય છે અને શુભલેશ્યાઓના વિશુદ્ધિ રૂપ સ્થાન હોય છે. લેશ્વાસ્થાન એટલે પરિણામોની શુભાશુભ ધારા. તે અનુસાર શુભાશુભ કર્મોનો બંધ થાય છે. (૯) સ્થિતિ દ્વાર લેશ્યાની સમુચ્ચયસ્થિતિ:4 मुहुत्तद्ध तु जहण्णा, तेतीसा सागरा मुहुत्तहिया । उक्कोसा होइ ठिई, णायव्वा किण्हलेसाए ॥
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy