SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા (૬) પરિણામ દ્વાર : |२०| दुसओ तेयालो वा, लेसाणं होइ परिणामो ॥ तिविहो व णवविहो वा, सत्तावीसइ विहेक्कसिओ वा । શબ્દાર્થ:-ોસાળ = આ છએ લેશ્યાઓના તિવિદ્દો-ત્રણ સત્તાવીસવિદ = સત્યાવીસ સીઓ = - એક્યાસી ફુલો તેવાતો = બસો તેંતાળીસ પ્રકારના પરિણામો = પરિણામ હોદ્દ = હોય છે. ભાવાર્થ :- આ છએ લેશ્યાઓના ત્રણ, નવ, સત્યાવીસ, એક્યાસી અથવા બસો તેંતાળીસ પ્રકારના પરિણામ હોય છે. વિવેચનઃ ૩૩૭ પ્રસ્તુત ગાથામાં લેશ્યાના પરિણામોનું કથન છે. લેશ્યા આત્મપરિણામ—અધ્યવસાયરૂપ છે. અધ્યવસાયોના અસંખ્યાત સ્થાનો છે તેથી લેશ્યામાં પણ અસંખ્યાત પ્રકારની તરતમતા હોય છે. તેમ છતાં સૂત્રકારે અહીં સમજાવવા માટે લેશ્યાના પરિણામોના ત્રણ, નવ આદિ ભેદ કહ્યા છે. પ્રત્યેક લેશ્યાના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ હોય છે. આ ત્રણ ભેદમાં પણ પોતપોતાના સ્થાનોમાં તરતમતાનો જ્યારે વિચાર કરવામાં આવે, ત્યારે તે જઘન્ય આદિ પ્રત્યેકના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તે ત્રણ ભેદ થાય છે. આ રીતે ૩ × ૩ = ૯ ભેદ થાય છે. તે નવમાં પણ પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી ૨૭ ભેદ થાય છે. તે ૨૭માં પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી ૮૧ ભેદ થાય છે અને તે ૮૧માં પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી ૨૪૩ ભેદ થાય છે. પન્નવણા સૂત્રમાં કહ્યું છે કે– તિવિહં વા ખવવિધ વા સત્તાવીસવિદ वा इक्कासीइविहं वावि तेयालदुसयविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमइ, વં હલેસા નાવ સુતેલા । કૃષ્ણલેશ્યાથી શુક્લલેશ્યા પર્યંતની છએ લેશ્યા ૩, ૯, ૨૭, ૮૧, ૨૪૩ વગેરે ઘણા-ઘણા પ્રકારના પરિણામરૂપે પરિણમે છે. (૭) લક્ષણ દ્વાર ઃ २१ = पंचासव पवत्तो, तीहिं अगुत्तो छसु अविरओ य । तिव्वारंभ परिणओ, खुद्दो साहस्सिओ णरो ॥ णिद्धंस परिणामो, णिस्संसो अजिइंदिओ । एयजोग समाउत्तो, किण्हलेसं तु परिणमे ॥ २२ શબ્દાર્થ:- પંચાસવ-પવત્તો = પાંચ આસવમાં પ્રવૃત્તિ કરનાર તીěિ = ત્રણ ગુપ્તિઓથી અનુત્તો= અગુપ્ત(મન, વચન, કાયાથી આત્માનું ગોપન ન કરનાર) જીતુ = છ કાયના જીવો અંગે અવિર= અવિરત(છકાય જીવોની વિરાધના કરનાર) તિન્નારમ-પરિણઓ – તીવ્ર ભાવોથી આરંભાદિ કરનાર વુદ્દો = ક્ષુદ્ર, તુચ્છ સાહસિઓ = સાહસિક બિલ પરિણામો =નિર્દયતાના પરિણામવાળો ખ્રિસંસો નૃશંસ, ક્રૂર અધિવિગો = અજિતેન્દ્રિય દ્યનો સમાઽત્તો - આ ઉપરોક્ત પરિણામોથી યુક્ત =
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy