SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ ભાવાર્થ:- જિહ્વા રસને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે, રસ તેનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ રસ રાગનું કારણ છે અને અમનોજ્ઞ રસ દ્વેષનું કારણ છે. ६३ रसेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । रागाउरे बडिस विभिण्णकाए मच्छे जहा आमिसभोगगिद्धे ॥ શબ્દાર્થ:- નહીં - જે રીતે કરે = રાગાતુર આમિસમો શિદ્ધે = માંસ ખાવામાં વૃદ્ધ(આસક્ત) બનેલો મ∞ = મત્સ્ય, માછલી વહિત વિભિળાવ્ = લોખંડના કાંટાથી વીંધાય છે. ભાવાર્થ :- જેમ માંસ ખાવામાં આસક્ત રાગાતુર માછલી કાંટાથી વીંધાય છે અને અકાલમાં મૃત્યુ પામે છે, તેમ મનોજ્ઞ રસોમાં તીવ્રપણે આસક્ત જીવ અકાળે મૃત્યુ પામે છે. ૬૪ ભાવાર્થ :- જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે, તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુ:ખી થાય છે. તેમાં રસનો કોઈ દોષ નથી. एगंतरत्ते रुइरे रसम्मि, अतालिसे से कुणइ पओसं । ६५ दुक्खस्स संपील मुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ ભાવાર્થઃ– જે મનોજ્ઞ રસમાં અત્યંત આસક્ત બને છે અને અમનોજ્ઞ રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની(જીવ) દુઃખરૂપ અત્યંત પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી. |६६ रसाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिट्टे ॥ जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुद्दंत दोसेण सएण जंतू, ण किंचि रसं अवरज्झइ से ॥ ભાવાર્થઃ– મનોજ્ઞ રસની ઇચ્છાનો અનુગામી જીવ અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે અને પોતાની રસ તૃપ્તિને જ મુખ્ય માનનાર સ્વાર્થી અને ક્લિષ્ટ પરિણામી તે અજ્ઞાની જીવ, અન્ય જીવોને દુઃખ આપે છે, પીડિત કરે છે. रसाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खणसणिओगे । ६७ वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥ ભાવાર્થ :- રસમાં અનુરાગ હોવાથી અને તેની મૂર્છાથી તે જીવને પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા વ્યય અને વિયોગમાં સુખ ક્યાંથી હોય ?, તેને રસના ઉપભોગ કાલમાં પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે. ६८ रसे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ભાવાર્થ:- રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત, વિશેષ આસક્ત વ્યક્તિ ક્યારે ય સંતુષ્ટ થતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભથી વ્યાકુળ બનીને બીજાની વસ્તુઓ અદત્ત ગ્રહણ કરે છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy