SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તપોમાર્ગ ગતિ | ૨૩૩ ] છે– (૧) સકારણ– ભૂકંપ, અકસ્માતુ, મારણાંતિક ઉપસર્ગ વગેરે આયુષ્ય પૂર્ણ થવાની અણધારી કોઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આત્મસાધનાના લક્ષે અનશન સ્વીકારી લેવું તે સકારણ છે. (૨) અકારણકોઈપણ વિકટ પરિસ્થિતિ વિના આયુષ્યના અંત સમયને અનુમાન આદિથી જાણી આત્મ સાધનાના લક્ષે અનશન સ્વીકારી લેવું, તેને અકારણ અનશન કહે છે. આ સર્વ પ્રકારના મરણમાં આહારનો ત્યાગ અવશ્ય હોય છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ કે ચાર આહારનો અને ઈગિતમરણ અને પાદપોપગમન મરણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. અનશન ગ્રહણ વિધિઃ- પોતાની આયુ મર્યાદાનો કોઈ સંકેત થઈ જાય અથવા ગુરુ ભગવંતોના અનુભવ દ્વારા જાણવામાં આવે, ત્યારે સાધક પોતાની શક્તિ અને સામર્થ્યનો વિચાર કરીને ત્રણમાંથી કોઈપણ એક અનશનનો સ્વીકાર કરે; તેમાં ગુરુ સમીપે જઈને સ્વીકૃત વ્રતનિયમોમાં લાગેલા દોષોની આલોચના-પ્રતિક્રમણ કરીને તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી, વ્રતોની શુદ્ધિ કરે, જગતના સર્વ જીવો સાથે ક્ષમાયાચના તેમજ સર્વ જીવો પ્રતિ પૂર્ણ મૈત્રી ભાવ સ્થાપિત કરે, નજીકના સ્થાનમાં સ્પંડિલભૂમિની પ્રતિલેખના કરે, પોતાને આવશ્યક ઉપકરણ અને સ્થાન વગેરેની મર્યાદા નિશ્ચિત કરે; ત્યાર પછી આસન કે ઘાસ વગેરે પાથરીને પ્રતિલેખન પ્રમાર્જન કરી તેના પર સ્થિત થાય, બેસે; ત્યાર પછી વિધિ સહિત ગુરુ વંદનપૂર્વક ગુરુમુખે અથવા સ્વતઃ ત્રણ કે ચાર પ્રકારના આહાર, શરીર અને અઢાર પાપોના ત્રણ કરણ ત્રણ યોગે કરી પ્રત્યાખ્યાન કરે. આ રીતે આત્મ સાધનાના લક્ષે સ્વેચ્છાથી પાપસ્થાનનો, શરીરનો અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે મરણકાલિક અનશન તપ છે. આ તપ કોઈપણ પ્રકારના આવેશ વિના, ગંભીરતાપૂર્વક ગુરુ-વડીલની આજ્ઞા કે સ્વીકૃતિથી ગ્રહણ કરવામાં આવે છે અને તે મહાન કર્મનિર્જરાનું સાધન બને છે. (ર) બાહ્યુતપ: ઊણોદરી તપ - - ओमोयरणं पंचहा, समासेण वियाहियं । १४ दव्वओ खेत्त कालेण, भावेण पज्जवेहि य ॥ શબ્દાર્થઃ-ફળો- દ્રવ્યથી ઉત્તત્તેિ = ક્ષેત્રથી, કાળથી માવે = ભાવથી ય = અને પાર્દિપર્યાયોથી ઓનોર = ઊણોદરી તપાસનારેખ = સંક્ષેપમાં પંહ = પાંચ પ્રકારના વિવાદિયે કહ્યા છે. ભાવાર્થ - ઊણોદરી તપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયોની અપેક્ષાએ સંક્ષેપમાં પાંચ પ્રકાર છે. १५ जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे । जहण्णेणेगसित्थाई, एवं दव्वेण उ भवे ॥ શબ્દાર્થ -નર્સ = જેનો નો જેટલો આદર = આહાર છે તો તેનાથી ગોજે કં = ઓછો વરે = કરે છે ગ જ = જઘન્યથી પરિસ્થા = એક કવલ, બે કવલ આદિ ૩= પણ ઓછો કરે છે પર્વ = એ પ્રકારે પ્લેખ = દ્રવ્યથી ઊણોદરી ભવે = થાય છે. ભાવાર્થ:- જેનો જેટલો આહાર હોય તેનાથી યથા શક્તિ ઓછું ખાવું તે દ્રવ્ય ઊણોદરી તપ છે. તેમાં ઓછામાં ઓછા એક, બે આદિ કવલ ઓછાં ખાય તોપણ ઊણોદરી તપ થાય છે. | SIને બારે તહ રહાણ, fણાને ય મારે પct I खेडे कब्बडदोणमुह, पट्टणमडंब संबाहे ॥ १६ खेडे कब्बड
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy