SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ પરાક્રમ ૨૧૯ ] અને સમચતુરસ સિવાયના શેષ સંસ્થાન, તીર્થકર નામકર્મ (તેના અંતર્ગત રહેલી વિવિધ પુણ્ય પ્રકૃતિઓ) અને આહારક શરીર નામકર્મ ક્ષીણ થઈ જાય છે. બારમા ગુણસ્થાનના ચરમ સમયમાં પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને પાંચ અંતરાય તે ત્રણ ઘાતી કર્મોની પ્રકૃતિઓ એક સાથે જ ક્ષીણ થાય છે. ચાર ઘાતકર્મ રહિત તે જીવને કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. કેવળી ભગવાન જ્યાં સુધી સયોગી અવસ્થામાં વિચરે છે, ત્યાં સુધી તેની યોગની પ્રવૃત્તિ થાય છે. તેથી યોગજન્ય ઐર્યાપથિક કર્મબંધ થાય છે. કેવળી ભગવાનને કષાયનો અભાવ હોવાથી તેના કર્મબંધમાં સ્થિતિ કે અનુભાગ બંધ થતો નથી. કેવળી ભગવાન જે કર્મ બાંધે છે, તે શુભ-શાતા વેદનીયકર્મ જ હોય છે, તે કર્મ પ્રથમ સમયે બંધાય છે. તેની સ્થિતિબંધ થયો ન હોવાથી બીજા જ સમયે તે કર્મનો ઉદય થઈને વેદન થઈ જાય છે. ત્યારપછી ત્રીજા સમયમાં તે કર્મ-અકર્મ બનીને નિર્જરી જાય છે, ઐર્યાપથિક કર્મ બંધની પરંપરા તેની સયોગી અવસ્થા પર્યત રહે છે. કેવળીના યોગ નિરોધનો ક્રમ: શૈલેશી અવસ્થા - ७४ अहाउयं पालइत्ता अंतोमुहुत्तद्धावसेसाए जोगणिरोह करेमाणे सुहुमकिरियं अप्पडिवाइंसुक्कज्झाणं झायमाणे तप्पढमयाए मणजोगणिरुंभइ, णिरुभित्ता वयजोगं णिरुंभइ, णिरुभित्ता कायजोगणिरुंभइ, णिरुभित्ता आणापाणणिरोहं करेइ, करित्ता, ईसिपंचहस्सक्खरुच्चारणद्धाए य णं अणगारे समुच्छिण्णकिरियं अणियट्टि-सुक्कज्झाणं झियायमाणे वेयणिज्ज आउयं णामं गोयं च एए चत्तारि वि कम्मसे जुगवं खवेइ । શબ્દાર્થ - કેવળજ્ઞાન થયા પછી દી૩યં = પોતાનું બાકી રહેલું આયુષ્ય પરિફત્ત = ભોગવીને સંતોમુહુરદ્ધાવસા = જ્યારે આયુષ્યનો અંતર્મુહૂર્ત કાળ બાકી રહ્યો હોય ત્યારે સાધક નોળિયો = યોગોનો નિરોધ મા = કરવા માટે સુરજિરિયં અખડિવા = સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના ને = શુક્લ ધ્યાનના ત્રીજા ચરણનું કાયમ = ધ્યાન કરતાં તખદયાપ = સૌથી પહેલાં માણો = મનોયોગનો ઉગારંભ = નિરોધ કરે છે f મત્તા = નિરોધ કરીને વયળો = વચન યોગનો વાળો = કાયયોગનો બાપાપીરોટેક શ્વાસોચ્છવાસનો નિરોધ વારે = કરે છે વરિત્તા = કરીને લિવરસ-રૂશ્વા૨ા = “અ, ઇ, ઉ, ઋ, ” આ પાંચ હૃસ્વ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં ભારે = તે અણગાર(અયોગી કેવળી) સચ્છિાવિ રિએ = સમુચ્છિન્ન ક્રિયા વિસુિવવાણ = અનિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ચોથા ચરણનું શિયાથના = ધ્યાન કરતાં વેગિન્ન = વેદનીય સાચું = આયુષ્ય નામ = નામ જોયું = ગોત્ર : ૫ = આ વારિ વિ= ચારે ય તે = કર્મોના અંશને ગાવું = એક સાથે હવે = ક્ષય કરી દે છે. ભાવાર્થ - કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુષ્ય ભોગવતાં જ્યારે અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે છે, ત્યારે તે અણગાર યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. આ સમયે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લ ધ્યાનના ત્રીજા ચરણનું ધ્યાન કરતાં સર્વ પ્રથમ મનોયોગનો વિરોધ કરે છે, ત્યારપછી વચનયોગનો નિરોધ કરે છે, ત્યારપછી કાયયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી શ્વાસોચ્છવાસનો વિરોધ કરે છે અને
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy