SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ રૂ, શબ્દાર્થ - fધનતો = વૈર્યવાન જાથ = સાધુ થિ = સાધ્વી નહિં = આ (આગળ કહેવાતા) તે છÉ = છ ટાઉિં = કારણોથી જ રિઝ = આહાર-પાણી ન કરે ૩ = તો તે = તે અફfમળા હો = તીર્થકર દેવની આજ્ઞા અને સંયમનું અતિક્રમણ કરતો નથી. ભાવાર્થ :- વૈર્યવાન સાધુ અને સાધ્વી (પછીની ગાથામાં કહેલાં) છ કારણોથી આહાર-પાણીનો ત્યાગ કરે, તો સંયમનું અને તીર્થકર ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ થતું નથી. । आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेडं, सरीरवोच्छेयणट्ठाए ॥ શબ્દાર્થ - આવો = રોગગ્રસ્ત થવાથી ૩૧ = દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવવાથી વમવેરા = બ્રહ્મચર્ય ગુપ્તિ માટે નિતિયા = રક્ષા માટે પાવિત્યા = પ્રાણી, ભૂત-જીવ અને સત્વોની રક્ષા માટે તવ8 = તપ કરવાને માટે સરર વોરએવા = અંતિમ સમયમાં શરીર છોડવા માટે અર્થાત્ સંથારો કરવા માટે. ભાવાર્થ:- મુનિ (૧) રોગગ્રસ્ત થાય (૨) ઉપસર્ગ આવે (૩) બ્રહ્મચર્યરૂપ ગુપ્તિની રક્ષા માટે (૪) પ્રાણીઓની દયા માટે (૫) તપ માટે (૬) શરીરનો ત્યાગ કરવા માટે. આ છે કારણોથી આહાર-પાણીનો ત્યાગ કરે. न अवसेस भंडगं गिज्झ, चक्खुसा पडिलेहए । परमद्धजोयणाओ, विहारं विहरए मुणी ॥ શબ્દાર્થ - કુળ = મુનિ વસેd = ગોચરી માટે આવશ્યક બંદર = ભંડોપકરણને, વસ્ત્ર-પાત્રને જિજ્ઞ = લઈને વસા = આંખોથી પડિલેહ = સારી રીતે જોઈને, પછી વિહાર વિહા = વિહાર કરે, ગોચરી માટે જાય પરંતુ પર = ઉત્કૃષ્ટ અ વળો = અર્ધા યોજનથી આગળ ન જાય. ભાવાર્થ:- ગોચરી માટે આવશ્યક વસ્ત્ર અને પાત્રોનું આંખોથી પ્રતિલેખન કરે અને તે લઈને આહારપાણીની ગવેષણા માટે મુનિ ઉત્કૃષ્ટ અધિંયોજન સુધી વિચરણ કરે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં ત્રીજા પ્રહરની ભિક્ષાચર્યાનું, આહાર કરવાના અને ન કરવાના છ-છ કારણોનું તેમજ ગોચરી કરવાની ક્ષેત્ર મર્યાદાનું નિરૂપણ છે. સાધુ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં ધ્યાન કરીને નિવૃત્ત થાય, ત્યાર પછી ત્રીજા પ્રહરમાં ગોચરી કરે છે. સામાન્ય રીતે સાધુ માટે ત્રીજો પ્રહર ગોચરીનો સમય છે. મુનિ જીવનની અપ્રમત્ત સાધના આત્મલક્ષ્યની છે. તેમાં શરીર સાધન રૂપ છે. તેને ટકાવવા આવશ્યકતા અનુસાર મુનિ આહાર ગ્રહણ અને સેવનની પ્રવૃત્તિ કરે, તે જિનાજ્ઞા છે. પરંતુ તે પ્રવૃત્તિ સંયમ વિઘાતક ન થાય તેની સાવધાની માટે સૂત્રકારે અહીં આહાર કરવા અને ન કરવા, તે બંનેના છ-છ કારણ દર્શાવ્યા છે. આહાર ગ્રહણ કરવાના છ કારણો– (૧) વેયા- ભૂખ-તરસની પીડા વધી જતાં ધર્મધ્યાનમાં
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy