SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ | દેશી-ગૌતમીય [ ૫૧ ] પરિવારને બોધ આપવા કેશીકુમાર શ્રમણે છટ્ટો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે કષાયરૂપ અગ્નિ આત્મગુણોને સતત બાળતી રહે છે, તે અગ્નિને આપે કઈ રીતે શાંત કરી છે? છાયા જિાનો પુત્તા - ક્રોધ, માન, માયા અને લોભ, તે ચાર કષાયરૂપ અગ્નિ આત્મગુણોને બાળે છે અર્થાતુ કષાયોથી આત્મગુણોનો નાશ થાય છે. આ કષાયરૂપી અગ્નિને શાંત કરવા તીર્થકર ભગવાનની વાણી પાણીનું કામ કરે છે. કષાય તે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ છે. તેથી તે પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે ચારિત્ર ધર્મ અને તપ અનિવાર્ય છે. ચારિત્રધર્મ અને તપનું જ્ઞાન શ્રતથી એટલે આગમ શાસ્ત્રોથી થાય છે. આ રીતે શ્રત, શીલ(ચારિત્ર ધર્મ) અને તપથી કષાયો પાતળા પડે છે અને અંતે તેનો નાશ થાય છે. કષાયોનો નાશ થવાથી આત્મગુણોનું રક્ષણ થાય છે. મહાપર્યા - શ્રી તીર્થકર દેવ મહામેઘ સમાન છે. જેમ મેઘથી જળ ઉત્પન્ન થાય છે, તેમ તીર્થકર ભગવાનના મુખારવિંદથી શ્રુત-આગમ ઉત્પન્ન થાય છે. તેમાં વર્ણિત શ્રુતજ્ઞાન, શીલ અને તપ રૂપ જળ છે. અહીં સૂત્રકારે તીર્થકરની વાણીને સામાન્ય મેઘ નહીં પરંતુ મહામેઘની ઉપમા આપી છે. સામાન્ય મેઘ ક્યારેક વરસે, ક્યારેક વરસ્યા વિના જ વિખેરાય જાય છે. પરંતુ મહામેઘ અચૂક વરસે છે અને અવશ્ય ફળદાયી બને છે. તેમ જિનેશ્વરના મુખમાંથી પ્રવાહિત થતી વાણી પણ ફળદાયી બને છે. ભવી જીવો તે વાણીના પ્રભાવે પોતાના કષાયોને શાંત કરે છે. (૭) મનરૂપી અશ્વ અને શ્રુતરૂપી લગામ - । अयं साहस्सिओ भीमो, दुट्ठस्सो परिधावइ । | ગતિ યમ આહો, રુદ તે જ હીંસ II શબ્દાર્થ - મયંક આ સાહસો = સાહસિક બીમો= ભયાનકડુક્સો = દુષ્ટ અશ્વ પરિવાવ = ચારે બાજુ દોડે છે ગરિ = જેના પર માતો- ચઢેલા આપ તે = તે ઘોડા દ્વારા દં હીરસિ= કેમ ઉન્માર્ગે લઈ જવાતા નથી ? ભાવાર્થ:- આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ ચારે બાજુ ભાગી રહ્યો છે; હે ગૌતમ ! આપ તેના પર આરૂઢ છો છતાં તે આપને ઉન્માર્ગ પર કેમ લઈ જતો નથી ? पता पधावंतं णिगिण्हामि, सुयरस्सीसमाहियं । ण मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवज्जइ ॥ શબ્દાર્થ -પંથાવત = ઉન્માર્ગ તરફ લઈ જતાં આ દુષ્ટ ઘોડાને સુયરન્સીલમદિવંગ શ્રુતજ્ઞાનરૂપી લગામથી બાંધીને જિલ્લાનિ = હું વશ કરી લઉં છું ને = મને ૩-HT = ઉન્માર્ગે ખ = નથી છઠ્ઠ = લઈ જતો = પરંતુ મા = સન્માર્ગે કિવઝ = ચાલે છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) દોડતા આ દુષ્ટ ઘોડાને શ્રુતજ્ઞાનરૂપી લગામથી બાંધીને હું વશ કરી લઉં છું. જેથી તે મને ઉન્માર્ગે લઈ જતો નથી પરંતુ સન્માર્ગે ચાલે છે. | આણે ય ઃ જે પુરે, જેલી ગોયમમબ્લવી | સિમેવં ગુવત તુ, ગોયનો ફળમgવી II
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy