SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧ અસારને છોડી સારભૂતની સુરક્ષા :– જેમ ઘરમાં આગ લાગે ત્યારે માલિક તુચ્છ વસ્તુઓને છોડીને ઘરની મૂલ્યવાન વસ્તુને બચાવવાનો પ્રયત્ન કરે છે, તેમ વૃદ્ધાવસ્થા અને મરણથી બળતાં આ અસાર સંસારમાં નિઃસાર શરીર અને શરીર સાથે સંબંધિત દરેક પદાર્થનો ત્યાગ કરીને અથવા તેના પર અનાસક્ત કે વિરક્ત બની એકમાત્ર સારભૂત આત્માને અથવા આત્મગુણોને સુરક્ષિત રાખવા, એવો મૃગાપુત્રનો ભાવ છે. આ ગાથાઓ દ્વારા મૃગાપુત્રે ધર્માચરણમાં તત્પરતા દર્શાવી છે. શ્રમણધર્મની કઠોરતાનું દિગ્દર્શન : २५ तं बितंऽम्मा पियरो, सामण्णं पुत्त दुच्चरं । गुणणं तु सहस्सा, धारेयव्वाइं भिक्खुणो ॥ २५ ॥ શબ્દાર્થ:- તેં – તે મૃગાપુત્રને, અમ્માપિયરો - માતાપિતા, વિત – કહેવાં લાગ્યાં કે, પુત્ત – હે પુત્ર, મિવધુળો - સાધુને, ગુગળ - ગુણો, સહસ્સારૂં = હજારો, શીલના અઢાર હજાર, ધારેયબ્બારૂં ધારણ કરવા પડે છે, સામળ = શ્રમણ્ય સાધુધર્મ, કુવ્વર = પાલન કરવું અત્યંત કઠણ છે. समया सव्वभूएसु, सत्तु मित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवाए दुक्करं ॥२६॥ -3 ભાવાર્થ :- દીક્ષાની આજ્ઞા માંગનાર મૃગાપુત્રને માતાપિતાએ કહ્યું – હે પુત્ર ! શ્રમણચર્યાનું પાલન ઘણું કઠિન છે કારણ કે ભિક્ષુએ હજારો ગુણ અર્થાત્ નિયમોપનિયમો ધારણ કરવાના હોય છે. २६ = શબ્દાર્થ :- નાવખ્ખીવાર્ = જીવનપર્યંત, નને = સંસારમાં, સવ્વમૂછ્યુ = બધાં પ્રાણીઓ ૫૨, સત્તુમિત્તેપુ - શત્રુ કે મિત્ર પર, સમયા = સમભાવ રાખવો, પાળાવાયવિરર્ફ = પ્રાણાતિપાત (હિંસા)થી અળગું થવું, ટુવર = અત્યંત કઠિન છે. = ભાવાર્થ :- ભિક્ષુએ જગતના શત્રુ—મિત્ર પ્રત્યે જ નહીં પણ બધા જીવો તરફ જીવનપર્યંત સમભાવ રાખવાનો હોય છે અને સમસ્ત જીવહિંસાનો ત્યાગ કરવાનો હોય છે, તે ઘણું જ દુષ્કર છે. २७ णिच्चकालऽप्पमत्तेणं, मुसावाय विवज्जणं । भासियव्वं हियं सच्चं, णिच्चाउत्तेण दुक्करं ॥२७॥ શબ્દાર્થ :- ભિન્નાલ - સદા માટે, સદાય, અપ્પમત્તેળ = પ્રમાદ રહિત થઈને, મુસાવાય વિવજ્ઞળ – અસત્યનો ત્યાગ કરીને, ખિજ્વાત્તેન = સદા ધ્યાન રાખીને, સદા ઉપયોગપૂર્વક, હિય - - હિતકારી, સત્ત્વ = સત્ય વચન, માસિયX - બોલવું, દુર = ઘણું દુષ્કર છે. ભાવાર્થ:- સદા અપ્રમત્તભાવે અસત્યનો ત્યાગ કરવો, પ્રતિક્ષણ સાવધાન રહીને હિતકારી સત્ય બોલવું, તે વ્રત પણ બહુ કઠિન છે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy