SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ रस-गंध-फासाणुवाई हवेज्जा । दसमे बंभचेरसमाहिठाणे हवइ । भवंति इत्थ સિતોના, તેં નહા - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧ = શબ્દાર્થ :- નો સદ્ વ રસ ગંધ ાસાળુવા હૈવજ્ઞ = જે મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું સેવન કરતા નથી, સમે - દસ, વંમત્તે સમાહિ૬ાળે – બ્રહ્મચર્ય સમાધિસ્થાન, હૅવફ = છે, = હવે અહીંથી, સિલોના – શ્લોક– પધમાં પાઠ, મતિ = છે, તેં ST = તે આ પ્રમાણે છે– ભાવાર્થ :- જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતા નથી તે નિગ્રંથ કહેવાય છે. પ્રશ્ન-તેનું શું કારણ છે ? ઉત્તર-આચાર્યે કહ્યું—જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થાય છે, તે બ્રહ્મચારી નિગ્રંથને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય, બ્રહ્મચર્ય ભંગ થાય, ઉન્માદ થાય કે દીર્ઘકાલિન રોગાતંક થાય અથવા કેવળી ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિગ્રંથે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત બનવું જોઈએ નહીં. આ બ્રહ્મચર્ય સમાધિનું દસમું સ્થાન છે. અહીં આ વિષયમાં કેટલીક ગાથાઓ છે તે આ પ્રમાણે છે. વિવેચન : સદ્-વ-રસ-બંધ-ાસાળુવા:– સ્ત્રીઓનાં શબ્દ, રૂપ, સંબંધી વિવેક રાખવાનું કથન પહેલાનાં સમાધિસ્થાનોમાં છે તો પણ આ દસમા સમાધિસ્થાનમાં બીજા અનેક મનોજ્ઞ રમણીય પદાર્થો કે દશ્યોને જોવાં; ધ્વનિઓ, વાજિંત્રો વગેરે સાંભળવાં; એ જ રીતે મનોજ્ઞ, મધુર, ગંધ, રસનું સેવન તથા સુંવાળા સ્પર્શવાળા પદાર્થોનું સેવન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ સમાધિસ્થાનમાં તેનાથી નિવૃત્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે. ઉપરોક્ત દરેક સૂત્રમાં શંકા વગેરે દોષોની સંભાવનાઓ દર્શાવી છે. તેનો ભાવ એ છે કે કોઈને શંકા, કોઈને કાંક્ષા, કોઈને ઉન્માદ, રોગ કે કોઈને બ્રહ્મચર્યનો ભંગ અથવા કોઈને ધર્મભાવનાથી વિમુખ થવારૂપ સ્ખલનાઓની શક્યતાઓ છે. દસ સમાધિ સ્થાનોનું પધરૂપે નિરૂપણ : जं विवित्तमणाइण्णं, रहियं इत्थी जणेण य । बंभचेरस्स रक्खट्ठा, आलयं तु णिसेवए ॥१॥ શબ્દાર્થ :- વિવિત્ત = એકાંતસ્થાન, સ્ત્રીઓનાં આવાગમન કે દષ્ટિપથથી રહિત, સ્ત્રી આદિથી રહિત, અળાફળ = આકીર્ણતાથી રહિત, જનાકુળતા રહિત, ફી નળેખ = સ્ત્રી, પશુ, નપુંસકથી,
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy