SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ લીધું છે, તેથી પદાર્થ કે ભોગની પ્રાપ્તિ માટે ઘરમાં રહેવું, તે યોગ્ય નથી (૨) જ્યાં મૃત્યુની આગતિ એટલે પહોંચ ન હોય, તેવું કોઈ સ્થાન નથી (૩) આગતિ- આવવાથી રહિત, અપ્રાપ્ત કંઈ પણ નથી. જરા, મરણ વગેરે દુઃખો આગતિમાન એટલે આવવાનાં છે માટે ક્ષણિક જીવનમાં કામ ભોગોનું સેવન શ્રેયસ્કર નથી. જે વિખફા :- અહીં પુત્રો પિતાને પ્રેરણા વચન કહે છે કે આ સંસારમાં જ્યારે કાંઈ નવીન કે અભક્ત નથી, ત્યારે તમે અમારા મોહ કે અનુરાગ માત્રથી સુખ ભોગવવાની જે પ્રેરણા કરી રહ્યા છો, તે યોગ્ય નથી. અમે આ સંસાર ભ્રમણમાં બધું ભોગવી લીધું છે. તમો અમારા પ્રત્યે આ રાગભાવ છોડીને ધર્મની શ્રદ્ધા કરો અને અમોને દીક્ષાની આજ્ઞા કે સ્વીકૃતિ આપો, અને સાથે તમો પણ સંયમનો સ્વીકાર કરો. વાસ્તવમાં કોણ કોનું સગું છે? અને કોણ કોનું સ્વજન નથી? આગમમાં કહ્યું છે – ભંતે ! શું જીવ પૂર્વ જન્મમાં માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, પુત્રવધૂ કે પત્ની રૂપે તથા મિત્ર, સ્વજન, સંબંધી વગેરે રૂપે ઉત્પન્ન થયો છે? હા, ગૌતમ! ઘણીવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયો છે. પ્રબુદ્ધ પુરોહિતનો પત્ની સાથે વાર્તાલાપ :२० पहीणपुत्तस्स हु णत्थि वासो, वासिट्ठि भिक्खायरियाइ कालो । - साहाहि रुक्खो लहइ समाहिं, छिण्णाहि साहाहि तमेव खाणुं ॥२९॥ શબ્દાર્થ :- વસિદ્દેિ - હે વાશિષ્ઠ!, બિહારિયા હવે મારે માટે ભિક્ષાચર્યાનો, દીક્ષા અંગીકાર કરવાનો, વાતો - અવસર થઈ ગયો છે, ડાળીઓથી જ, જીલ્લો - વૃક્ષ, નહિં શોભા, તા - પ્રાપ્ત કરે છે, અને, છિપાહિ - કપાઈ જતાં, તમેવ . તે વૃક્ષ, હાવું - હૂહૂં કહેવાય છે, પહાપુરાસ - પુત્રો વગર હવે મારે, વાતો -ગૃહસ્થાવસ્થામાં રહેવું, Oિ - યોગ્ય (સારું) નથી, શક્ય નથી. ભાવાર્થ :- પ્રબુદ્ધ પુરોહિતે કહ્યું – હે વાશિષ્ઠિ! પુત્રો વિના હું આ ઘરમાં રહી શકું તેમ નથી, હવે મારો ભિક્ષાચર્યાનો સમય આવી ગયો છે. વૃક્ષ ડાળીઓથી જ શોભા પામે છે. ડાળીઓ કપાઈ જતાં તે કેવળ ઠુંઠું કહેવાય છે. બંને પુત્રો દીક્ષા લઈ રહ્યા છે, તો હવે પુત્રો વિના ગૃહવાસમાં રહેવામાં આપણી પણ શોભા નથી. ३० पंखाविहूणो व्व जहेह पक्खी, भिच्च विहूणो व्व रणे परिंदो । विवण्णसारो वणिओ व्व पोए, पहीणपुत्तोमि तहा अहं पि ॥३०॥ શબ્દાર્થ :- ન- જેમ, ફુદ આ સંસારમાં, પંલવિદૂજે - પાંખ વગર, પfહી - પક્ષી તથા, એ = સંગ્રામમાં, fમશ્વ વિદૂષો 4 = સેવકો રહિત, સેના રહિત, અરિંવો = રાજા અને, પોપ = જહાજમાં, વિવાર = દ્રવ્યરહિત, વાગો 4 = વેપારી, સફળ નથી થતા, તેરા = તેવી જ રીતે, પહvપુત્તો - પુત્રો વગર, ગાંfપ - હું પણ,મિ - શોભિત ન થતાં દુઃખી થાઉં છું.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy