SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧ સ્મરણ થયું. (તેથી તેઓ વિરકત થયા). મુનિ દર્શનથી અને જાતિસ્મરણ જ્ઞાનથી તે કુમારોનું મન જન્મ, જરા અને મરણરૂપી સંસાર ભયથી વ્યાપ્ત થઈ ગયું અને તેઓનું ચિત્ત સંયમ ગ્રહણ કરવામાં આકૃષ્ટ થયું. પરિણામે તેઓ સંસારચક્રથી મુક્ત થવા માટે માનવીય સુખ ભોગથી વિરક્ત થયા. ६ ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएस जे यावि दिव्वा । मोक्खाभिकंखी अभिजायसड्ढा, तातं उवागम्म इमं उदाहु ॥६॥ શબ્દાર્થ :- માળુસ્સછ્યુ = મનુષ્ય સંબંધી, વિજ્ઞા = દેવ સંબંધી, અસન્ગમા= આસક્ત ન થતાં, મોવામિજલી – મોક્ષની અભિલાષા કરતાં, અભિજ્ઞાય સડ્ડા - ધર્મમાં શ્રદ્ધાયુક્ત થઈ, તાત = પિતાની પાસે, વાળમ્મ = આવીને, વાદુ = કહેવા લાગ્યા. ७ ભાવાર્થ : – તે બંને પુરાહિતપુત્રો મનુષ્ય તથા દેવસંબંધી કામભોગોથી અનાસક્ત બની ગયા અને મોક્ષાભિલાષી તથા ધર્મ શ્રદ્ધાળુ થઈ, પિતા પાસે આવીને નમ્રતાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા. દીક્ષાની આજ્ઞા અર્થે પિતાને નિવેદન : असासयं दट्टु इमं विहारं, बहुअंतरायं ण य दीहमाउं । तम्हा गिहंसि ण रइं लभामो, आमंतयामो चरिस्सामु मोणं ॥७॥ શબ્દાર્થ :- મ = આ, વિજ્ઞાR = મનુષ્ય જીવન, અક્ષાલયં = અનિત્ય એટલે ક્ષણભંગુર છે, ખ ય વીમાૐ = આયુષ્ય દીર્ઘ નથી, ઘણું ઓછું છે, ય - અને તેમાં પણ, વધુ અંતરાય = ઘણાં વિઘ્ન, બાધાઓ છે, તન્હા = તેથી, વ = આ બધી વાતોને જોઈને, જિન્હસિ = ગૃહવાસમાં, રડું = આનંદ, ગ लभामो f = પ્રાપ્ત થતો નથી, મોળ – મુનિ વૃત્તિને, સંયમને, રિસ્સામુ - ગ્રહણ કરીશું, આમંતયામો * તે માટે તમારી રજા માંગીએ છીએ, સૂચિત કરીએ છીએ, જાણકારી આપીએ છીએ. ભાવાર્થ :- આ મનુષ્ય જીવન ક્ષણિક છે, જીવન વિઘ્નોથી ભરેલું છે અને મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, તેથી આ ઘરમાં કે ગૃહસ્થજીવનમાં મને જરાપણ આનંદ પ્રાપ્ત થતો નથી માટે મુનિધર્મના આચરણની, ત્યાગ માર્ગે જવાની અમને આજ્ઞા આપો. વિવેચન : નહિં વિહામિળિવિદુષિતા :– (૧) બહિ– સંસારથી બહાર, વિહાર–સ્થાન અર્થાત્ મોક્ષ. મોક્ષમાં જેનું ચિત્ત તલ્લીન બની ગયું. (૨) સંસારથી બહાર એટલે સંયમ, વિહાર એટલે વિચરણ, સંયમમાં વિચરણ કરવામાં જેનું ચિત્ત લાગી ગયું છે તે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy