SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ । १२४ । શ્રી નિરયાવલિકા સૂત્ર ત્યારે રાષ્ટ્રકૂટ સોમા બ્રાહ્મણીને કહેશે- હે દેવાનુપ્રિયે! હમણાં તું મુંડિત થઈને યાવત ગૃહત્યાગ કરી પ્રવ્રજિત ન બન. પરંતુ હે દેવાનુપ્રિયે ! હમણાં મારી સાથે વિપુલ ભોગોને ભોગવ; ત્યાર પછી ભુક્તભોગી થઈને, સુવ્રતાઆર્યાની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી પ્રવ્રજિત થજે. ३५ तए णं सा सोमा माहणी हाया जाव विभूसिय सरीरा चेडियाचक्कवालपरिकिण्णा साओ गिहाओ पडिणिक्खमिस्सइ, पडिणिक्खमित्ता विभेलं संणिवेसं मज्झमज्झेणं जेणेव सुव्वयाणं अज्जाणं उवस्सए, तेणेव उवागच्छहिइ, उवागच्छित्ता सुव्वयाओ अज्जाओ वंदिस्सइ, णमंसिस्सइ, पज्जुवासिहिइ । तए णं ताओ सुव्वयाओ अज्जाओ सोमाए माहणीए विचित्तं केवलिपण्णत्तं धम्मपरिकहेहिति । तए णंसासोमा माहणी सुव्वयाणं अज्जाणं अतिए दुवालसविह सावगधम्म पडिवज्जिहिइ पडिवज्जित्ता सुव्वयाओ अज्जाओ वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भविस्सइ तामेव दिसि पडिगमिस्सइ ।। तए णं सा सोमा माहणी समणोवासिया भविस्सइ अभिगयजीवाजीवा जावबहूहिं सीलव्वयगुणवेरमणपच्चक्खाणपोसहोववासेहि य अप्पाणं भावेमाणी विहरिस्सइ । तएणं ताओ सुव्वयाओ अज्जाओ अण्णया कयाइ विभेलाओ सण्णिवेसाओ पडिणिक्खमिस्संति पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरिस्संति । ભાવાર્થ :- ત્યારે તે સોમા બ્રાહ્મણી સ્નાન કરીને વાવત વસ્ત્રાલંકારથી અલંકૃત બનીને દાસીઓના સમૂહ સાથે પોતાના ઘરેથી નીકળી, બિભેલ સન્નિવેશના મધ્યભાગમાં થઈને સુવ્રતા આર્યાના ઉપાશ્રયમાં આવશે અને સુવ્રતા આર્યાને વંદન-નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરશે. ત્યાર પછી તે સુવ્રતા આર્યા સોમા બ્રાહ્મણીને વિવિધ પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી તે સુવ્રતા આર્યા પાસેથી બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરશે અને પછી વંદન-નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી જશે. આ રીતે તે સોમા બ્રાહ્મણી શ્રાવિકા બનશે. તે જીવ–અજીવ આદિ તત્ત્વની જાણકાર થશે યાવત્ વિધિપૂર્વક ગ્રહણ કરેલાં વિવિધ પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત १२ती २३शे. ત્યાર પછી તે સુવ્રતા આર્યા કોઈવારબિભેલ સન્નિવેશમાંથી વિહાર કરીને બીજા દેશમાં ક્ષેત્રમાંવિચરશે. विवेयन : પ્રસ્તુત સૂત્રમાં સુવ્રતા આર્યાના સમાગમે સોમા બ્રાહ્મણી શ્રાવક વ્રતોનો સ્વીકાર કરશે. તે વિષયનું
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy