SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૂત-૩ . ઉત્તરાયણમાં બહારથી અંદર પ્રવેશતા બંને સૂર્યના મંડળ ભિન્ન-ભિન્ન અને સ્વતંત્ર તો છે જ, પરંતુ દક્ષિણાયનમાં જે મંડળ ઉપર ચાલીને બહાર આવ્યા હતા, તે મંડળના કેટલાક ભાગ ઉપર ચાલી તે માર્ગનું ઉલ્લંઘન કરી અંદર પ્રવેશે છે, તેને પડવર પુનઃ ચાલવું કહે છે. અMT-પરલ્સ :- પોતાના ચાલેલા મંડળ અને પરના- અન્યના ચાલેલા મંડળ. દક્ષિણાયનમાં ભારતીય સૂર્યે જે મંડળ ઉપર પરિભ્રમણ કર્યુ હોય તે જ મંડળ ઉપર ઉત્તરાયણમાં પરિભ્રમણ કરે, તો તે મંડળ ભારતીય સૂર્ય માટે પોતાનું-સ્વનું ચાલેલું-સ્વચલિત મંડળ કહેવાય છે અને ઐરવતીય સૂર્યો દક્ષિણાયનમાં જે મંડળ ઉપર પરિભ્રમણ કર્યું હોય, તે મંડળ ઉપર ભારતીય સૂર્ય ઉત્તરાયણમાં પરિભ્રમણ કરે તો, તે મંડળ ભારતીય સૂર્ય માટે બીજાએ ચાલેલું-પરચલિત મંડળકહેવાય છે. તે જ રીતે ઐરવતીય સુર્ય માટે દક્ષિણાયનમાં પોતાનું ચાલેલું મંડળ સ્વચલિત મંડળ કહેવાય છે અને ભારતીય સૂર્યે ચાલેલું મંડળ પરચલિત મંડળ કહેવાય છે. ગંગૂઠ્ઠીવર્સ..નવાઈ – જંબૂઢીપની પૂર્વ-પશ્ચિમ લાંબી જીવા તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવા એકબીજાને છેદે છે, તેથી તેના ચાર વિભાગ થાય છે. પ્રસ્તુતમાં જેબૂદ્વીપના ચાર વિભાગની વિવક્ષા નથી પરંતુ સૂર્ય મંડળના ચાર વિભાગની વિવક્ષા છે અને સૂર્ય જેબૂદ્વીપની ઉપર મેરુ પર્વતની ફરતે પ્રદક્ષિણાકારે ફરે છે. તેથી જંબૂદ્વીપના પણ બંને જીવાના છેદથી થતાં વિભાગ દ્વારા સૂર્ય ભ્રમણના ક્ષેત્રના ચાર વિભાગનું કથન છે. આ ચાર વિભાગમાંથી ચારે વિદિશામાં બંને સૂર્ય પૂર્વે ચાલેલા માર્ગ ઉપર ચાલે છે. ભારતીયઐરવતીય સૂર્યના પ્રતિચરણ મંડળ - મંડલગત ચતુર્થ ભારતીય સુર્ય ઐરવતીય સૂર્ય વિભાગ મંડળ સંખ્યા સ્વ–પર પુનઃ મંડળ સંખ્યા સ્વ–પર પુનઃ મંડળ સંખ્યા | ચલિત મંડળ ચલિત મંડળ અગ્નિકોણ | ૯૨ સ્વચલિત સ્વચલિત વાયવ્યકોણ સ્વ ચલિત સ્વચલિત ઈશાન કોણ પર ચલિત ૯૧ | પર ચલિત નૈઋત્યકોણ ૯૧ | પર ચલિત | ૯૨ પર ચલિત પ્રતિચરણના ૧૪૪ ભાગની ગણના - બંને સૂર્ય એક-એક અહોરાત્રમાં એક-એક અર્ધમંડળને પાર કરે છે અને બીજા અહોરાત્રમાં બીજા અર્ધમંડળને પાર કરે છે. આ રીતે એક પૂર્ણ મંડળ પાર કરવામાં તેને બે અહોરાત્ર થાય છે. આવા એક પૂર્ણ મંડળના પ્રત્યેક ચતુર્થ ભાગની વિદિશામાં ઉત્તરાયણમાં બંને સૂર્ય પૂર્વે ચાલેલા મંડળના કેટલાક ભાગ ઉપર પ્રતિચરણ કરે છે અને તે મંડળને ઉલ્લંઘીને અંદર-અંદરના મંડળ ઉપર પ્રવેશ કરે છે. એક સૂર્ય એક મંડળ ઉપર ૪ વાર પ્રતિચરણ કરે છે, તે બંને સૂર્યના મળીને ૮ વાર પ્રતિચરણ થાય છે. બંને સૂર્ય સંપૂર્ણ ચતુર્થ વિભાગ ગત મંડળ ઉપર પ્રતિચરણ કરતાં નથી. એક મંડળના એક સો ચોવીસ(૧૨૪) વિભાગમાંથી ૧૮ ભાગ જેટલા મંડળ ઉપર બંને સૂર્ય પ્રતિચરણ કરે છે. न परिपूर्ण चतुर्भागमात्राणि, किन्तु स्व-स्वमंडलगतचतुर्विशत्यधिकशतसत्काष्टादशाष्टादश માનિતના – વૃત્તિ. સૂર્ય પરિપૂર્ણ ચતુર્થ ભાગ ઉપર નહીં, પરંતુ પોત-પોતાના (૯૨ કે ૯૧) પ્રત્યેક
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy