SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ता से णं केवइए मुहुत्तग्गे णं आहिएति वएज्जा ? ता एक्कारस पण्णासे मुहुत्तसए चत्तारि य बावट्ठिभागे मुहुत्तस्स, बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता दुवालस चुण्णिया भागा मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- નોયુગ(ઉપરોક્ત પાંચે સંવત્સરને સાથે ગણીને અપૂર્ણ યુગ)ના કેટલા અહોરાત્ર છે ? ઉત્તર- પૂર્વોક્ત પાંચે સંવત્સરવાળા નીયુગના એક હજાર સાતસો એકાણું અહોરાત્ર, ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા સત્તાવન ભાગ તથા સડસઠીયા પંચાવન ચૂર્ણિકા ભાગ (૧૭૯૧ અહોરાત્ર અને ૧૯૫૬, ૫ મુહૂત) હોય છે. પ્રશ્ન- તે નોયુગના કેટલા મુહૂર્ત હોય છે? ઉત્તર- તે નોયુગના ત્રેપન હજાર સાતસો ઓગણ પચાસ પૂર્ણાક સત્તાવન બાસઠાંશ તથા પંચાવન સડસઠાંશ મુહૂર્ત(૫૩૭૪૯ ૫, ૭ મુહૂત) હોય છે. પ્રશ્ન- તે નોયુગમાં કેટલા અહોરાત્ર ઉમેરવાથી પરિપૂર્ણ યુગની પ્રાપ્તિ થાય છે? ઉત્તર- તે નોયુગમાં આડત્રીસ અહોરાત્ર, દસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ચાર ભાગ તથા સડસઠીયા બાર ચૂર્ણિકા ભાગ(૩૮ અહોરાત્ર અને ૧૦ર, મુહૂત) ઉમેરવાથી પરિપૂર્ણ યુગની પ્રાપ્તિ થાય છે. પ્રશ્નતે નોયુગમાં કેટલા મુહૂર્ત ઉમેરવાથી પરિપૂર્ણ યુગની પ્રાપ્તિ થાય છે? ઉત્તર- તે નોયુગમાં એક હજાર એકસો પચાસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ચાર ભાગ તથા સડસઠીયા બાર ચૂર્ણિકા ભાગ(૧૧૫૦, કે મુહૂત) ઉમેરવાથી પરિપૂર્ણ યુગની પ્રાપ્તિ થાય છે. |८ ता केवइयं जुगे राइदियग्गे णं आहिएति वएज्जा ? ता अट्ठारस तीसे राइदियसए राइदियग्गे णं आहिएति वएज्जा, ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता चउप्पण्णं मुहुत्तसहस्साई णव य मुहुत्तसयाई मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ता से णं केवइए बावट्ठिभागं मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता चउत्तीसं सयसहस्साइं अद्रुतीसं च बाट्ठिभागमुहुत्तसए बावट्ठिभागं मुहुत्तग्गेणं आहिएति વાળા ભાવાર્થ :- પ્રશ્ન-એકયુગના કેટલા અહોરાત્ર છે? ઉત્તર-એકયુગના અઢારસો ત્રીસ(૧,૮૩૦) અહોરાત્ર છે. પ્રશ્ન- એક યુગમાં કેટલા મુહૂર્ત હોય છે? ઉત્તર- એક યુગમાં ચોપન હજાર નવસો(૫૪,૯૦૦ મુહૂત) હોય છે. પ્રશ્ન- એક યુગમાં મુહૂર્તના બાસઠીયા ભાગ કેટલા હોય છે ? ઉત્તર- એક યુગમાં મુહૂર્તમાં ૩૪,૦૩,૮૦૦(ચોત્રીસ લાખ, ત્રણ હજાર આઠસો) બાસઠીયા ભાગ હોય છે. વિવેચન : - પાંચ વરસનો એક યુગ કહેવાય છે. પાંચ સૂર્ય સંવત્સરનો એક સૂર્ય યુગ કહેવાય છે, પાંચ ચંદ્ર
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy