SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામૃત-૧૦ પ્રતિપ્રામૃત-૧૦ અર્થાત્ શ્રાવણ વદી આઠમના દિવસે તે ખીલાની છાયા ૨૫ અંગુલ પ્રમાણવાળી થાય છે. પંદર દિવસે તેમાં બે અંગુલની વૃદ્ધિ થાય છે અને મહિનાના અંતે-અંતિમ દિવસે છાયા ચાર અંશુલ પ્રમાણ વૃદ્ધિ પામતા ૨૪ અંગુલ પ્રમાણ ઢીંચણ સુધીના પગની છાયા ૨૮ અંશુલ પ્રમાણ થાય છે. અહીં ૧૨ અંગુલનો ૧ પાદ છે, તેથી ૨ પાદ અને ચાર અંગુલની પૌરુષી છાયા છે, તેમ પણ કહી શકાય છે. ૧૯૯ શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં ક્ષેત્ર પ્રમાણમાં અંગુલનું સ્વરૂપ દર્શાવેલ છે(ગુરુપ્રાણ આગમ બત્રીસીના અનુયોગદ્વાર સૂત્ર પેજ–૩૦૧) તે પ્રમાણે ૬ અંશુલ પ્રમાણ એક પાદ થાય છે, પરંતુ અહીં ૧૨ અંગુલનો એક પાદ ગણવાનો છે. पादद्वितयमानश्च जानुः स्यात्पादमूलत: દાવાગુલમાનોઽત્ર પાવો ન તુ પસ્તુત: લોકપ્રકાશ સર્ગ–૨૮ / ગા. ૧૦૧૩ ગાથાર્થ : પગને પગના મૂળભાગથી માપવામાં આવે, તો જાનુ(ઘૂંટણ) સુધીના પગનું પ્રમાણ બે પાદ થાય છે અહીં એક પાદના બાર અંગુલ જાણવા, છ અંશુલ નહીં. પૌરુષી છાયા હાનિ–વૃદ્ધિ ધ્રુવાંક :– – પ્રત્યેક વસ્તુની છાયા પ્રતિદિન તે વસ્તુના પ્રમાણના ૧૮૩મા અંશ પ્રમાણ વૃદ્ધિ અને હાનિને પામે છે. સર્વાયંતર મંડળે સૂર્ય હોય ત્યારે ૨૪ અંગુલ પ્રમાણ વસ્તુની છાયા ૨૪ અંગૂલની હોય છે તે વૃદ્ધિ પામતા ૧૮૩ દિવસે ૪૮ અંગૂલની હોય છે. આ રીતે ૧૮૩ દિવસે ૨૪ અંગુલની વૃદ્ધિ થાય, તો એક દિવસે કેટલી વૃદ્ધિ થાય ? આ રીતે ત્રિરાશિ મૂકતા ૪× ટેલુ = પ્રાપ્ત થાય, તેનો ત્રણથી છેદ ઉડાડતાં પ્રાપ્ત થાય છે. ૧૮૩ આ રીતે પ્રતિદિન અંગુલની વૃદ્ધિ થતાં સાધિક ૭ : દિવસે છાયા ૧ અંશુલ વધી જાય છે. પ્રત્યેક માસે ૪ અંગુલની વૃદ્ધિ—હાનિ થાય છે. આષાઢી | પૂનમના ૨૪ અંગુલની વસ્તુની છાયા દિવસનો ચોથા ભાગ વ્યતીત થાય કે ચોથો ભાગ શેષ હોય ત્યારે ૨૪ અંશુલ પ્રમાણ હોય છે. નવમા પ્રાભૂતમાં કહ્યું છે તે રીતે તે દિવસના ત્રીજા ભાગે ૧૨ અંગુલની છાયા હોય છે અને દિવસના પાંચમા ભાગે ૩૬ અંગુલ પ્રમાણ છાયા હોય છે. દક્ષિણાયનમાં એક માસ પછી છાયા ચાર અંગુલ વૃદ્ધિ પામે છે અર્થાત્ શ્રાવણ સુદ પુનમના દિવસે ૨૮ અંગુલ પ્રમાણ છાયા હોય છે. નવમા પ્રાકૃતમાં કહ્યું છે તે અનુસાર તે દિવસે દિવસનો ચોથો ભાગ વ્યતીત થાય કે શેષ હોય ત્યારે ર૮ અંગુલ પ્રમાણ છાયા હોય છે, દિવસનો ત્રીજો ભાગ વ્યતીત થાય ત્યારે ૨૮ અંગુલ કરતાં અર્ધી એટલે ૧૪ અંગુલ પ્રમાણ છાયા હોય અને દિવસનો પાંચમો ભાગ વ્યતીત થાય ત્યારે દોઢ ગુણી એટલે ૪ર અંગુલ પ્રમાણ છાયા હોય છે અને દિવસનો છઠ્ઠો ભાગ વ્યતીત થાય ત્યારે બમણી અર્થાત્ ૫૬ અંગુલની છાયા હોય છે. અહીંમાં છાયાનું જે માપ દર્શાવેલ છે તે, તે માસના અંતિમ દિવસે દિવસના ચોથા ભાગે હોય છે અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી નવમા પ્રાભૃતમાં કહ્યું છે, તે પ્રમાણે છાયાનું માપ બદલાતું રહે છે. યુગના પર્વમાં તિથિની પોરસી છાયા જાણવાની વિધિ :- જે યુગમાં જે પર્વ અને જે તિથિની પોરસી છાયા જાણવી હોય, તે યુગની આદિથી જેટલા પર્વ ગયા હોય તે અંકને ૧૫ શ્રી ગુણવા. વિવક્ષિત તિથિથી જેટલી તિચિઓ વીતી ગઈ હોય તેટલી ઉમેરવી. ઉદાહરણ એક યુગના ૧૨૪ પર્વમાંથી ૮૫મા પર્વની પાંચમી તિથિના દિવસે કેટલા પાદની પોરસી હોય, તે જાણવું હોય તો, તેમાં ૮૪ પર્વ વ્યતીત થયા છે માટે
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy