SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ | શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫ ચંદ્ર મંડળની વચ્ચે ૧૪ આંતરા છે. પ્રત્યેક ચંદ્રમંડળ વચ્ચે ૩૫ , ૐ યોજનાનું અંતર છે. (૩પ યોજન પૂરા, ૩૬માં યોજનના ભાગ કરીએ તો તેમાંથી ૩૦ ભાગ અર્થાત્ ૩૦ એકસઠીયા ભાગ અને ૩૧માં એકસઠીયા ભાગના ૭ ભાગ કરીએ તો તેમાંથી ૪ સાતીયા ભાગ) ૧૪ x ૩૫ ફેં= ૪૯૭ . યોજન આંતરાઓના થાય છે. મંડળોનું ક્ષેત્ર ૧૩ હૈ યો. + ૧૪ આંતરાનું ક્ષેત્ર ૪૯૭ = ૫૧૦ યોજનનું મંડળ ચાર ક્ષેત્ર જાણવું. તેની અંક સ્થાપના. ચંદ્રમંડલો વચ્ચેનું અંતર :७१ चंदमंडलस्स णं भंते! चंदमंडलस्स केवइयाए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! पणतीसं-पणतीसं जोयणाई, तीसं च एगसट्ठिभाए जोयणस्स, ए गसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए, चंदमंडलस्स- चंदमंडलस्स अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક ચંદ્રમંડલ અને બીજા ચંદ્રમંડલ વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ ! એક ચંદ્ર મંડલથી બીજા ચંદ્રમંડલ વચ્ચે સ્વાભાવિક અંતર પાંત્રીસ યોજન પુરા અને એક યોજનના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીસ ભાગ તથા એક એકસઠીયા ભાગના સાત ચૂર્ણિકા ભાગ કરીએ તેવા ચાર ચૂર્ણિકા ભાગ (૩પ કૈંયોજન) પ્રમાણ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર મંડળ અબાધા અંતર દ્વાર' નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. અબાધા = બાધા રહિત એટલે સ્વાભાવિક અંતરને અબાધા અંતર કહેવાય છે. પ્રત્યેક ચંદ્ર મંડળ વચ્ચે ૩૫ યોજન, ૩૦ એકસઠીયા ભાગ અને ૪ પ્રતિભાગ-ચૂર્ણિકા ભાગ (૩૫ ,ડૅ યોજન) પ્રમાણ ક્ષેત્રનું અંતર છે. ચંદ્ર મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિ - ચંદ્રમંડળના ચાર ક્ષેત્રમાંથી, ૧૫ મંડળના કુલ મંડળ ક્ષેત્રને બાદ કરવાથી કુલ આંતરાનું ક્ષેત્ર પ્રાપ્ત થાય છે, તેને ૧૪ આંતરાના ક્ષેત્રમાં વિભક્ત કરવા ૧૪ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય, તેટલું અંતર પ્રત્યેક મંડળ વચ્ચેનું જાણવું. હવે આ અંતર ક્ષેત્રનું પ્રમાણ કાઢવા તેના એકસઠીયા ભાગ કરવા ૬૧ થી ગુણવામાં આવે છે. - ૫૧૦ઇંક યોજનનું ચાર ક્ષેત્ર છે. ૫૧૦ ચાર ક્ષેત્ર ૪ (એકસઠીયા ભાગ કરવા) ૬૧ = ૩૧,૧૧૦ + ૪૮ (ચાર ક્ષેત્રના ૪૮ એકસઠીયા ભાગ) = ૩૧,૧૫૮ યોજનાંશ ચાર ક્ષેત્રના થાય છે. ચાર ક્ષેત્રમાંથી મંડળ ક્ષેત્ર બાદ કરતા અંતર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેથી ૩૧,૧૫૮-૮૪૦ = ૩૦,૩૧૮ યોજનાંશનું કુલ અંતર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેને ચંદ્ર મંડળના ૧૪ અંતરમાં વિભક્ત કરતા ૩૦,૩૧૮ + ૧૪ = ૨,૧૫ăયોજનાંશનું આંતરું પ્રત્યેક મંડળનું પ્રાપ્ત થાય છે. તેમાં કૅપ્રતિભાગ કહેવાશે અને ૨,૧૫
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy