SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ભોગવવામાં અનુરત, સુખદાયી તેજ યુક્ત, મંદ તેજ યુક્ત અને મંદ તાપ અને તેજ યુક્ત, આ રીતે મિશ્રિત લેશ્યાતાપ યુક્ત છે. ચંદ્ર, સૂર્યનો પ્રકાશ પરસ્પરાવગાઢ છે. તે પર્વતના શિખરોની જેમ પોતપોતાના સ્થાનમાં સ્થિત, બધી બાજુથી પોતાની નજીક રહેલા પ્રદેશોને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે. ६६ तेसि णं भंते ! देवाणं जाहे इंदे चुए से कहमियाणिं पकरेंति । ___ गोयमा ! ताहे चत्तारि पंच वा सामाणिया देवा तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति, जाव तत्थ अण्णे इंदे उववण्णे भवइ । इंदट्ठाणे णं भंते ! केवइयं कालं उववाएणं विरहिए ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं छम्मासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે માનુષોત્તર પર્વતના બહિર્વર્તી આ જ્યોતિષ્કદેવોના ઇન્દ્ર ચ્યવી (મૃત્યુ પામી) જાય ત્યારે તેઓ કેવી રીતે કામ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જ્યાં સુધી નવા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિકદેવ મળીને તે ઇન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે, ત્યાંનું કાર્યસંચાલન કરે છે. પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રસ્થાન કેટલા સમય સુધી ઇન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે? ઉત્તર- હે ગૌતમ ! તે ઇન્દ્ર સ્થાન ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી ઇન્દ્ર વિનાનું રહે છે. દ્વાર–૧૫ વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અઢીદ્વીપની બહાર રહેલા જ્યોતિષ્ક દેવોનું સ્વરૂપ વર્ણન છે. તેઓ સ્થિર છે, ગતિશીલ નથી. જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપનકાદિ - ઊર્ધ્વપપનક|કલ્પોપનક વિમાનો૫૫નકચારો૫૫નકી ચાર સ્થિતિક| ગતિરતિક| ગતિ ૯ રૈવેયક, |૧૨ દેવલોક | જ્યોતિષ્ક દેવો| ચાર = ગતિ ચાર = ગતિના ગતિની સમાપનકઅનુત્તરવાસી કરનારા | અભાવવાળા|પ્રીતિવાળા|નિરંતર ગતિ કરનાર અઢીદ્વીપગત જ્યોતિક નથી | નથી | છે | છે | નથી | છે | દવો
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy