SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વણાટ | ૪૬૭ | દષ્ટિપથ પ્રાપ્તિ, ચક્ષુ સ્પર્શ, પુરુષ છાયા આ ત્રણે એકાર્થ શબ્દ છે. સૂત્રકારે પ્રસ્તુત સૂત્રોમાં ચક્ષસ્પર્શ અને પુરુષ છાયા આ બંને શબ્દનો પ્રયોગ કર્યો છે. દષ્ટિપથ પ્રાપ્ત કરવાની વિધિઃ- પ્રત્યેક મંડળે સૂર્યની જે મુહૂર્ત ગતિ હોય તેની સાથે તે જ મંડળ સૂર્યનું જે દિનમાન હોય અર્થાત્ જેટલા મુહૂર્તનો દિવસ હોય તેનાથી ગુણતા સૂર્યનું તાપક્ષેત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ સૂર્ય તેટલા ક્ષેત્રને એક દિવસમાં પ્રકાશિત કરે છે અને સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરતો હોય તેનાથી બરાબર અર્ધક્ષેત્ર પ્રમાણ દૂર રહેલા મનુષ્યને સૂર્ય ઉદય-અસ્ત સમયે દષ્ટિગોચર થાય છે. જેમ કે સૂર્યાસ્વંતર મંડળ ઉપર સૂર્યની સૂર્યગતિ પ,ર૫૧ છે અને દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે. તેથી પ૨૫૧ x ૧૮ = ૯૪,પર યોજનનું તાપક્ષેત્ર અથવા ઉદય-અસ્ત વચ્ચેનું અંતર પ્રાપ્ત થયું. તેનું અર્ધ કરતાં અર્થાત્ ૨ થી ભાગ આપતા (૯૪,પરદ તાપ ક્ષેત્ર + રન) ૪૭,ર૩ ૪ યોજન દૂરથી સૂર્ય દષ્ટિગોચર થાય છે. વં સંવછર અયમા - નવા સંવત્સર(વર્ષ) અને દક્ષિણાયનના પ્રથમ અહોરાત્રમાં સૂર્ય સર્વાભ્યતર પછીના અર્થાત્ બીજા મંડળ ઉપર ભ્રમણ કરે છે. દક્ષિણાયન :- નવા વરસના પ્રથમના છ માસ, કે જેમાં બંને સૂર્યો અંદરના મંડળ ઉપરથી અંતિમ ૧૮૪મા મંડળ તરફ પ્રયાણ કરે છે. સૂર્ય બહાર નીકળે ત્યારે ૧૮૪મા મંડળ પર્વતના ૧૮૩ મંડળ ઉપર ગતિ કરવાના ૧૮૩ અહોરાત્ર દક્ષિણાયનના કહેવાય છે. અર્થાત્ સૂર્યના સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ તરફના ગમનને દક્ષિણાયન કહે છે. શાસ્ત્રીય શ્રાવણ વદ-૧, ગુજરાતી અષાઢ વદ-૧થી સૂર્ય સંવત્સરનો પ્રારંભ થાય છે. શ્રાવણ વદ-૧ નિષધ પર્વત સમીપે રહી બીજા મંડળ પર ભ્રમણ શરૂ કરી ભારતીય સૂર્ય ભરતક્ષેત્રમાં અને ઐરવતીય સુર્ય નીલવાન સમીપે રહી ઐરાવત ક્ષેત્રમાં નવા વરસનો પ્રારંભ કરે છે. આત્યંતર મંડળથી બાહ્ય મંડળ તરફ ગતિ કરતાં(દક્ષિણાયનના) સૂર્યો બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફ ગતિ કરતાં (ઉત્તરાયણના) સૂર્યો પવન સૂરિજી વોવે છગ્ગા – ઉત્તરાયણના પ્રથમ અહોરાત્રમાં સૂર્ય સર્વ બાહ્ય પછીના બીજા અર્થાત્ ૧૮૩મા મંડળ ઉપર ભ્રમણ કરે છે. ઉત્તરાયણ - સૂર્ય વરસના દ્વિતીય છ માસ કે જેમાં બંને સૂર્ય બહારના બીજા મંડળ ઉપરથી સર્વાત્યંતરપ્રથમ મંડળ તરફ પ્રયાણ કરે છે. સૂર્ય અંદર પ્રવેશ કરે ત્યારે ૧૮૩થી પ્રથમ મંડળ પર્વતના ૧૮૩ મંડળના ૧૮૩
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy