SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર બંને સૂર્યો વચ્ચેનું અંતર અથવા મંડળની બાઈ-પહોાઈ જબુઢીપ સીમાથી પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન અંદર છે. બંને બાજુના ગણતા ૩૬૦ યોજન થાય છે. જંબૂદીપના ૧ લાખ યોજનના વ્યાસમાંથી તે બાદ કરતાં (૧,૦૦,૦૦૦–૩૬૦ =) ૯૯,૬૪૦ યોજન પ્રાપ્ત થાય છે તે સર્વાશ્ચંતર પ્રથમ મંડળની લંબાઈ પહોળાઈ છે. ro ૧,૦૦,૭૬ એજન બોનું યોજન P સર્વે બાણ મંડળ લવણસમુદ્રમાં ૩૩૦ યોજન દૂર છે. તેથી જબૂતીપ વ્યાસમાં ૩૩૦+ ૩૩૦ કુલ ૬૦ યોજન ઉમેરતા (૧,૦૦,૦૦૦ + ૬૦ =) ૧,૦૦,૬૬૦ યોજન પ્રાપ્ત થાય છે તે સર્વ બાહ્ય મંડળની લંબાઈ- પહોળાઈ છે. પ્રત્યેક સૂર્યમંડળની લંબાઈ-પહોળાઈ હાનિ-વૃદ્ધિનો ધ્રુવક :– દક્ષિણાયનમાં સૂર્ય પ્રત્યેક મંડળે લંબાઈ- પહોળાઈ ૫ રૂપ યોજન વૃદ્ધિ કરે છે; તે આ પ્રમાણે– એક મંડળથી બીજું મંડળ ૨ યોજન દૂર છે, તે બંને બાજુના ૨, ૨ યોજન = ૪ યોજન અને પ્રત્યેક મંડળ માર્ગ ર યોજનાંશ પહોળા છે; બંને બાજુના મંડળ માર્ગની પહોળાઈ ૧ રૂપ યોજન ઉમેરતા (૪ +૧ રૂપ યોજન =) ૫ રૂપ યોજન પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંડળ મંડળની લંબાઈ-પહોળાઈમાં(વ્યાસમાં) ૫ મૈં યો. ની વૃદ્ધિ થાય છે. ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે તેટલી જ(૫ રૂપ યોજનની) હાનિ થાય છે. સર્વાત્મ્યતર-સર્વ બાહ્ય સૂર્ય મંડળની પરિધિ :– સર્વાયંતર મંડળનો વ્યાસ-લંબાઈ પહોળાઈ ૯૯,૬૪૦ યોજન છે. ત્રિગુણકરણ પદ્ધતિએ તેની પરિધિ કાઢતા ૩,૧૫,૦૮૯ યોજનની થાય છે અને સર્વ બાહ્ય મંડળની પરિધિ ૩,૧૮,૩૩૫ યોજનની થાય છે. પ્રત્યેક સૂર્ય મંડળની પરિધિ હાનિવૃદ્ધિનો ધ્રુવાંક :– દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળ, લંબાઈ પહોળાઈ મૈં યોજન વધે છે. આ વર્ધિત ક્ષેત્રની પરિધિ કાઢીએ તો ૧૭ ૨ યોજન આવે છે તેથી પ્રત્યેક મંડળે પરિધિમાં ૧૭ યોજનની વૃદ્ધિ થાય છે અને ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે ૧૭ યોજનની હાનિ થાય છે. સૂત્રકારે સુગમતા માટે સ્થૂલ વ્યવહારનયથી ૧૮ યોજનની વૃદ્ધિ કરવાનું કહ્યું છે. જેમ કે પ્રથમ મંડળની ૩,૧૫,૦૮૯ યોજન પરિધિમાં ૧૮ યોજન ઉમેરતા બીજા મંડળની પરિધિ ૩,૧૫,૧૦૭ યોજન પ્રાપ્ત થાય છે. આ રીતે ૧૮૩ મંડળમાં ૧૮, ૧૮ યોજનની વૃદ્ધિથી ૧૮૩ મંડળ × ૧૮ = ૩,૨૯૪ યોજનની વૃદ્ધિ થાય છે. પ્રથમ મંડળની પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન છે, તેમાં ૩,૨૯૪ યોજનની વૃદ્ધિને ઉમેરતા ૩૧,૦૮,૩૮૩ યોજન સર્વ બાહ્ય મંડળની પરિધિ થાય છે પરંતુ સૂત્રકારે ર૦માં સૂત્રમાં સર્વ બાહ્ય મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન કહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે પરિધિમાં ૧૮ યોજનની વૃદ્ધિનું કથન વ્યવહારની અપેક્ષાએ છે. વાસ્તવિક રીતે પ્રત્યેક મંડળની પરિધિમાં ૧૭ ૪ યોજનની વૃદ્ધિ થાય છે. આ રીતે ગણના કરતા ૧૮૩ મંડળે ૧૮૩ × ૧૭ ૬ - ૩,૧૮,૩૧૪ | યોજન થાય છે. સૂત્રકારે સુગમતા માટે અહીં ૩,૧૮,૩૧૫ યોજનનું કથન કર્યું છે. સૂત્રકારે સૂત્ર ૧૬, ૧૭, ૧૮માં સર્વાત્મ્યતર ત્રણ મંડળની પરિધિનું કથન ૧૮ યોજનની
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy