SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ | છઠ્ઠો વક્ષસ્કાર ૪૩૯. વિવેચન : વિષય:- ચક્રવર્તી છ ખંડ પર વિજય મેળવે છે. તેવા છ ખંડ રૂપ ક્ષેત્ર વિભાગને વિજય કહે છે. ભારતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજય તેમ કુલ ૩૪ વિજય છે. તેની ૧-૧ રાજધાની એમ કુલ ૩૪ રાજધાની હોય છે. વૈતાઢય પર્વતમાં તિમિસ અને ખંડપ્રપાત ગુફાઓ છે. આ ૩૪ ક્ષેત્ર વિભાગમાં ૩૪ ઋષભકૂટ પર્વતો છે. જંબૂદ્વીપની દ્રહ સંખ્યા :|१५ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया महदहा पण्णत्ता ? गोयमा ! सोलस महद्दहा पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં કેટલા મહાદ્રહ છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં સોળ મહાદ્રહ છે. વિવેચન : જંબુદ્વીપમાં છ વર્ષધર પર્વત ઉપર એક-એક મહાદ્રહ છે તથા ઉત્તરકુરુમાં સીતા નદી પર પાંચ અને દેવકુરુમાં સીતોદા નદી પર પાંચ મહાદ્રહો છે. આ રીતે કુલ ૬+ પ + ૫ = ૧૬ મહાદ્રહો થાય છે. જંબૂદ્વીપની મહાનદી સંખ્યા : १६ जंबुद्दीवेणं भंते ! दीवे केवइयाओ महाणईओ वासहरपवहाओ, केवइयाओ महाणईओ कुंडप्पवहाओ पण्णत्ताओ? __ गोयमा ! जंबुद्दीवे दीवे चोइस महाणईओ वासहरपवहाओ, छावत्तरि महाणईओ कुंडप्पवहाओ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे णउई महाणईओ भवंतीति- मक्खाय । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં વર્ષધરપર્વતોમાંથી(પર્વતના દ્રહોમાંથી) કેટલી મહાનદીઓ નીકળે છે અને કંડોમાંથી કેટલી મહાનદીઓ નીકળે છે? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં વર્ષધર પર્વતોમાંથી ચૌદ મહાનદીઓ નીકળે છે તથા છોત્તેર મહાનદીઓ કંડોમાંથી નીકળે છે. જંબૂદ્વીપમાં બધી મળીને કુલ ૧૪+૭૬ = ૯૦(નવું) મહાનદીઓ છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy