SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ | ૫૦૮ ] શ્રી પન્નવણા સત્ર: ભાગ-૨ કરાવે તેને ઉદયપ્રાપ્ત કહે છે. જો ૩વસંતાડું- કર્મોને ઉપશાંત ન કરવા તેના અહીં બે અર્થ છે(૧) કર્મબંધનો સર્વથા અભાવ થયો ન હોય, (૨) નિકાચિત આદિ અવસ્થાથી રહિત ન કર્યા હોય. (૬) ચક્રવર્તી દ્વાર:| ४६ रयणप्पभापुढविणेरइए णं भंते ! अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा । से केणतुणं भंते । एवं वुच्चइ ? गोयमा ! जहा रयणप्पभापुढविणेरइयस्स तित्थयरत्ते ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નરકમાંથી નીકળીને શું ચક્રવર્તીપદ પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે છે અને કેટલાક પ્રાપ્ત કરતા નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક જીવો ચક્રવર્તી પદ પામે છે અને કેટલાક જીવો પામતા નથી ? ઉત્તર- હે ગૌતમ ! જેવી રીતે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના તીર્થકરપદ પ્રાપ્તિના વિષયમાં કથન કર્યું છે, તે જ રીતે અહીં ચક્રવર્તીપદ પ્રાપ્તિ માટે સમજી લેવું જોઈએ. |४७ सक्करप्पभापुढविणेरइए णं भंते ! अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा णो इणढे समढे । एवं जाव अहेसत्तमापुढविणेरइए । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શું શર્કરા પ્રભાપૃથ્વીના નૈરયિક નરકમાંથી નીકળીને ચક્રવર્તીપદ પામે છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. આ જ રીતે સાતમી અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક સુધી જાણવું જોઈએ. |४८ तिरियमणुएहितो णं भंते ! अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તિર્યંચયોનિકો અને મનુષ્યો પોત-પોતાના ભવમાંથી નીકળીને મનુષ્યભવ પામીને ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. | ४९ भवणवइवाणमंतस्जोइसिक्वेमाणिएहितो णं भंते ! अणंतर उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ પોત-પોતાના ભવમાંથી નીકળીને મનુષ્યભવ પામીને ચક્રવર્તીપદ પામે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક ચક્રવર્તીપદ પામે છે અને કેટલાક પામતા નથી. વિવેચનઃ પ્રસ્તુત સાતમાં દ્વારમાં ૨૪ દંડકના જીવોને ચક્રવર્તીપદ પ્રાપ્તિની વિચારણા કરવામાં આવી છે. પ્રથમ નરકના નારકી તથા ચારે ય પ્રકારના દેવો, પોત-પોતાના ભવમાંથી નીકળીને મનુષ્ય ભવ પામી ચક્રવર્તી પદને પ્રાપ્ત કરે છે. શેષ સ્થાનોથી નીકળીને મનુષ્ય ભવને પ્રાપ્ત કરનારા કોઈપણ જીવો ચક્રવર્તીપદ પામતા નથી.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy