SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ | વિસામું પદ : અંતક્રિયા ૫૦૩] તે જ રીતે અવધિજ્ઞાન પ્રગટ થાય ત્યાર પછી જ મન:પર્યવજ્ઞાન થાય તેવો પણ નિયમ નથી. કેટલાક જીવોને મતિ-શ્રુતજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કેટલાક જીવોને અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન ન હોવા છતાં મતિ-શ્રુતજ્ઞાન પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે દશે બોલની પ્રાપ્તિ ક્યારેક ક્રમશઃ પણ થાય અને ક્યારેક તેમાં વ્યુત્ક્રમ પણ થઈ શકે છે. વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોની ગતિ અને ધર્મશ્રવણાદિની પ્રાપ્તિ - |३४ वाणमंतर-जोइसिय-वेमाणिए जहा असुरकुमारे । ભાવાર્થ:- આ જ પ્રમાણે વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના ઉત્પાદનું કથન અસુરકુમાર દેવોની સમાન જાણવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની ગતિ તથા તેને પ્રાપ્ત થતાં ધર્મ શ્રવણ આદિ દસ બોલોનું પ્રતિપાદન અસુરકુમારદેવોના અતિદેશપૂર્વક કર્યું છે. ઉપરોક્ત ત્રણે પ્રકારના દેવો મરીને સીધા પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ધર્મ શ્રવણાદિ પ્રાપ્ત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં ધર્મ શ્રવણ આદિ છ બોલ અને મનુષ્યોમાં ધર્મ શ્રવણાદિ દશે બોલ પામી શકે છે. જીવોને ધર્મ શ્રવણ આદિ ૧૦ બોલની પ્રાપ્તિ -[(૧) ધર્મ શ્રવણ (૨) કેવલબોધિ-ધર્મ સમજણ (૩) શ્રદ્ધા (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન (૬) વ્રત-નિયમ (૭) સંયમ (૮) મન:પર્યવજ્ઞાન (૯) કેવલ જ્ઞાન (૧૦) અંતક્રિયા- મોક્ષ) - જીવ | બોલ સંખ્યા વિવરણ નારકી–દેવતા | | પ્રારંભના પાંચ બોલ પામે, વ્રત-નિયમાદિ પામે નહીં એકેન્દ્રિય | X શ્રવણની યોગ્યતા નથી વિકસેન્દ્રિય | X | યોગ્યતા નથી. અપર્યાપ્તાવસ્થામાં મતિ-શ્રુતજ્ઞાન હોય તિર્યંચ પંચેન્દ્રિય ૬ | પ્રારંભના છ બોલ પામે, સંયમાદિ ચાર બોલ પામે નહીં મનુષ્ય | ૧૦ દશે બોલ પામી શકે છે. ૨૪ દંડકમાંથી ચારે ગતિમાં આવેલા જીવોને દશ બોલની પ્રાપ્તિ :આગત જીવ | |નરકગતિમાં દેવગતિમા, સતી ત.માં મનુષ્યમાં વિવરણ ૫ બોલમાં| ૫ બોલ | બોલ | ૧૦ બોલ ૧ થી ૪ નરકમાંથી ૬ | 10 મનુષ્ય અને તિર્યંચમાં યથાયોગ્ય સર્વ બોલ પામે. ૫ મી નરકમાંથી મનુષ્યગતિમાં સંયમ સ્વીકારે પણ મન:પર્યવ | જ્ઞાનાદિ ત્રણ બોલ પામે નહીં | | X | | X | |
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy