SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૪] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ ત્રણ પલ્યોપમનું છે. તેમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહુર્ત ન્યૂન કરતાં પર્યાપ્તા તિર્યંચાદિની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. ચારે ગતિના અપર્યાપ્તા-પર્યાપ્તા જીવોની કાયસ્થિતિને જોતાં સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત પ્રસંગમાં સુત્રકારે એક ભવની અપેક્ષાએ જ પર્યાપ્તા-અપર્યાપ્તા જીવોની કાયસ્થિતિનું કથન કર્યું છે. તેથી અહીં કરણ અપર્યાપ્તા અને કરણ પર્યાપ્તા જીવોને જ ગ્રહણ કર્યા છે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય તે જીવોને કરણ અપર્યાપ્તા અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય તે જીવોને કરણપર્યાપ્તા કહે છે. કોઈ પણ જીવ ઉત્પત્તિના પ્રારંભમાં અંતર્મુહૂર્ત પર્યત અપર્યાપ્તાવસ્થામાં રહે છે ત્યાર પછી જીવનપર્યત પર્યાપ્તપણે રહે છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ થતાં જ્યાં જન્મ થાય ત્યાં પુનઃ અપર્યાપ્તાવસ્થા જ પ્રાપ્ત થાય છે, તેથી કરણ અપર્યાપ્તા કે કરણ પર્યાપ્તાવસ્થાની નિરંતરતા એકભવ પૂરતી સીમિત રહે છે. ગતિની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર જઘન્ય સ્થિતિ|ઉત્કૃષ્ટ સ્થિતિ કારણ ૧-૨ નારકી–દેવ ૧૦,૦૦૦ વર્ષ | ૩૩ સાગરોપમ |ભવસ્થિતિ અને કાયસ્થિતિ સમાન છે. ૩ દિવી ૧૦,000 વર્ષ | પપ પલ્યોપમ ભવસ્થિતિ અને કાયસ્થિતિ સમાન છે. ૪ તિર્યંચ અંતર્મુહૂર્ત | અનંતકાળ વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ પ-૭ તિર્યંચાણી, અંતર્મુહૂર્ત | અનેક ક્રોડપૂર્વ સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યના ક્રોડપૂર્વ વર્ષના મનુષ્ય, મનુષ્યાણી (૭ ક્રોડપૂર્વ વર્ષ)|આયુષ્યના સાત ભવ અને આઠમો ભવ ત્રણ અધિક ત્રણ પિલ્યોપમવાળા યુગલિકનો થાય ત્યારે પલ્યોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે. આ ૭ બોલના અપર્યાપ્તા | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અપર્યાપ્તાવસ્થાની સ્થિતિ જ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તા નારકી–દેવ | અંતર્મુહૂર્ત ન્યૂન | અંતર્મુહૂર્ત ન્યૂન સમુચ્ચય સ્થિતિમાંથી અપર્યાતાવસ્થાનું ૧૦,૦૦૦ વર્ષ | ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત ન્યૂન થાય છે. પર્યાપ્તા દેવી અંતર્મુહૂર્ત ન્યૂન | અંતર્મુહૂર્ત ન્યૂન સમુચ્ચય સ્થિતિમાંથી અપર્યાતાવસ્થાનું ૧૦,૦૦૦ વર્ષ | પપ પલ્યોપમ અંતર્મુહૂર્ત ન્યૂન થાય છે. પર્યાપ્તા તિર્યંચ-તિર્યંચાણી, અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ચૂત કરણ પર્યાપ્તા જીવોના એક ભવની સ્થિતિની પર્યાપ્તા મનુષ્ય-મનુષ્યાણી ત્રણ પલ્યોપમ |ગણના થાય છે. સાદિ અનંત સિદ્ધોની આદિ છે પરંતુ અંત નથી. * નારકી, દેવો લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી, તેથી અહીં કરણ અપર્યાપ્તા-પર્યાપ્તાની અપેક્ષાએ કાયસ્થિતિ છે. વિશેષ :- (૧) જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય અન્ય કોઈપણ પ્રકારે અલ્પાધિક આયુષ્યના ભવ થાય તો તેને મધ્યમ કાયસ્થિતિ સમજી લેવી જોઈએ (૨) નારકી દેવતા અને યુગલિક જીવો માત્ર કરણ અપર્યાપ્તા જ હોય છે. લબ્ધિ અપર્યાપ્ત હોતા નથી. તેથી તેઓની પર્યાપ્તાની કાયસ્થિતિ પણ કરણ પર્યાપ્તની અપેક્ષાએ તેની સમુચ્ચય સ્થિતિમાંથી એક અંતર્મુહૂર્ત ન્યૂન થાય છે. તે સિવાય સર્વ પર્યાપ્તાની કાયસ્થિતિના કથનમાં લબ્ધિ પર્યાપ્તાની ગણના થાય છે. સિદ્ધ
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy