SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ સાતે નરકમાં લેશ્યા અને અવધિજ્ઞાનનો વિષય : નરક શ્યા કાપોતલેશી નારકી કાપોતલેશી નારકી પ્રથમ નરક બીજી નરક ત્રીજી નરક ચોથી નરક પાંચમી નરક છઠ્ઠી નરક સાતમી નરક જઘન્ય વિષય સાડા ત્રણ ગાઉ ત્રણ ગાઉ કાપોત-નીલલેશી નારકી | અઢી ગાઉ બે ગાઉ દોઢ ગાઉ એક ગાઉ અર્ધો ગાઉ નીલલેશી નારકી નીલ-કૃષ્ણલેશી નારકી કૃષ્ણલેશી નારકી કૃષ્ણલેશી નારકી શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨ ઉત્કૃષ્ટ વિષય ચાર ગાઉ કૃષ્ણાદિ લેશ્યાયુક્ત જીવોમાં જ્ઞાન : १७ कहलेस्से णं भंते ! जीवे कइसु णाणेसु होज्जा ? સાડા ત્રણ ગાઉ ત્રણ ગાઉ અઢી ગાઉ બે ગાઉ દોઢ ગાઉ એક ગાઉ બે કૃષ્ણલેશી નૈરયિકોના જ્ઞાનમાં તરતમતા– બે કૃષ્ણલેશી નારકીના અવધિજ્ઞાનના વિષયમાં તરતમતા હોય છે. કૃષ્ણલેશ્યા પાંચમી, છઠ્ઠી અને સાતમી ત્રણ નરકના નારકીને હોય છે અને તેમાં કંઈક હીનાધિકતા હોય છે, જેમ એક પુરુષ સમતલ પૃથ્વી પર ઊભો હોય અને એક પુરુષ એકાદ—બે પગથિયા જેટલા નીચેના ક્ષેત્રમાં ઊભો હોય, તો તે બંને પુરુષના દષ્ટિગત ક્ષેત્રમાં આંશિક તરતમતા થાય છે. તેમ સમાન લેશ્યા- વાળા નૈરયિકોના અવધિજ્ઞાનમાં આંશિક ચૂનાધિકતા હોય છે. સાતમી નરકના કૃષ્ણલેશી નૈરયિકની અપેક્ષાએ છઠ્ઠી અને પાંચમી નરકના નૈયિકોના અવધિજ્ઞાનની ક્ષેત્ર સીમા અધિક હોય છે. = કૃષ્ણ, નીલ અને કાપોતલેશી નૈરયિકના જ્ઞાનમાં તરતમતાઃ– કૃષ્ણલેશી નારકીના અવધિજ્ઞાનથી નીલલેશી નારકીના અવધિજ્ઞાનની તરતમતા અધિક હોય છે. જેમ સમતલ પૃથ્વી પરથી જોનાર પુરુષની અપેક્ષાએ પર્વત પરથી જોનાર પુરુષ ચારે દિશા-વિદિશાઓમાં અધિક જોઈ શકે છે, દૂર સુધી જોઈ શકે અને સ્પષ્ટ જોઈ શકે છે તેમ કૃષ્ણલેશી નારકીની અપેક્ષાએ નીલલેશી નારકી અધિક ક્ષેત્રને જોઈ શકે, દૂરવર્તી ક્ષેત્રને જાણી શકે અને વિશુદ્ધ રૂપે જાણી શકે છે. તે જ રીતે નીલલેશી નારકીની અપેક્ષાએ કાપોતલેશી નારકીના અવધિજ્ઞાનનું ક્ષેત્ર અધિક હોય છે અને તેનું જ્ઞાન વિશુદ્ધ હોય છે. આ રીતે અવિશુદ્ધ લેશ્યાવાળા જીવોની અપેક્ષાએ વિશુદ્ધ, વિશુદ્ધતર લેશ્યા- વાળા જીવોનું જ્ઞાન અધિક હોય છે. गोमा ! दोसु वा तिसु वा चउसु वा णाणेसु होज्जा, दोसु होमाणे आभिणिबोहियसुयणाणेसु होज्जा, तिसु होमाणे आभिणिबोहिय-सुयणाण - ओहिणाणेसु होज्जा, अहवा तिसु होमाणे आभिणिबोहिय-सुयणाण-मणपज्जवणाणेसु होज्जा, चउसु होमाणे आभिणिबोहियणाण-सुयणाण-ओहिणाण-मणपज्जवणाणेसु होज्जा । एवं जाव पम्हलेस्से। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી જીવ કેટલા જ્ઞાનમાં હોય છે અર્થાત્ કૃષ્ણલેશી જીવોને કેટલા જ્ઞાન હોય છે ?
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy