SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ | શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ ભાવાર્થ:- બેઇન્દ્રિય જીવ ગતિ પરિણામથી તિર્યંચગતિક છે; ઇન્દ્રિય પરિણામથી તેને બે ઇન્દ્રિયો હોય છે; શેષ કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે બેઇન્દ્રિય જીવો યોગ પરિણામથી-વચન યોગી અને કાયયોગી; જ્ઞાન પરિણામથી મતિજ્ઞાની અને શ્રુતિજ્ઞાની; અજ્ઞાન પરિણામથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની છે. દર્શન પરિણામથી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, શેષ કથન પૂર્વવત્ જાણવું. આ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોનું કથન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં એક-એક ઇન્દ્રિયની વૃદ્ધિ થાય છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં વિકસેન્દ્રિય જીવોના પરિણામોનું કથન નારકીના અતિદેશપૂર્વક છે. નારકીના પરિણામથી વિકસેન્દ્રિય જીવોના પરિણામોમાં પાંચ પ્રકારે વિશેષતા છે. (૧) ગતિ-વિકલેન્દ્રિય જીવો તિર્યંચગતિક હોય છે. (૨) ઈન્દ્રિયપરિણામ-બેઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય બે ઇન્દ્રિય પરિણામ, તે ઇન્દ્રિયમાં સ્પર્શન, રસન, ઘાણ આ ત્રણ ઇન્દ્રિય પરિણામ અને ચૌરેન્દ્રિયમાં, સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ, આ ચાર ઇન્દ્રિય પરિણામ હોય છે. (૩) યોગ પરિણામ– વિકલૈંદ્રિયોમાં વચનયોગ અને કાયયોગ આ બે યોગ પરિણામ હોય છે. (૪) જ્ઞાન-અજ્ઞાન પરિણામસાસ્વાદન સમ્યકત્વી જીવ મૃત્યુ પામી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે કરણ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાએ મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન આ બે જ્ઞાન પરિણામ હોય છે. સાસ્વાદન સમકિતના અભાવમાં મતિ અજ્ઞાન અને શ્રતઅજ્ઞાન પરિણામ, આ બે અજ્ઞાન પરિણામ હોય છે (૫) દર્શન પરિણામવિકલેન્દ્રિયોમાં સાસ્વાદન સમકિતની અપેક્ષાએ સમ્યગદર્શન પરિણામ અને મિથ્યાત્વની અપેક્ષાએ મિથ્યાદર્શન પરિણામ આ બે દર્શન પરિણામ હોય છે. શેષ પરિણામ નારકીની સમાન છે. આ રીતે બેઇન્દ્રિયમાં ગતિ-૧, ઇન્દ્રિય-૨, કષાય-૪, વેશ્યા-૩, યોગ–૨, ઉપયોગ-૨, જ્ઞાન–૨, અજ્ઞાન-૨, દર્શન-૨, અચારિત્ર-૧, વેદ–૧ = ર૨ પ્રકારના પરિણામ હોય છે. તે ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય વધતાં ૨૩ અને ચૌરેન્દ્રિયમાં એક ઇન્દ્રિય વધતાં ૨૪ પ્રકારના પરિણામ હોય છે. १८ पंचेंदियतिक्खजोणिया गइपरिणामेणं तिरियगईया । सेसं जहा णेरइयाणं, णवरं लेस्सापरिणामेणं जाव सुक्कलेस्सा वि, चरित्तपरिणामेणं णो चरित्ती, अचरित्ती वि चरित्ताचरित्ती वि, वेदपरिणामेणं इत्थिवेयगा वि पुरिसवेयगा वि णपुंसगवेयगा वि । ભાવાર્થ - પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો ગતિ પરિણામથી તિર્યંચગતિક છે. શેષ કથન નૈરયિકોની સમાન જાણવું. વિશેષતા એ છે કે તિર્યંચ યોનિક જીવ લેશ્યા પરિણામથી કૃષ્ણ યાવત શુકલલેશી પણ હોય છે; ચારિત્ર પરિણામમાં તેઓને ચારિત્ર નથી, અચારિત્ર અને ચારિત્રાચારિત્રી(દેશ ચારિત્ર) હોય છે; વેદ પરિણામથી સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસક વેદી હોય છે. વિવેચન : નારકીઓ કરતાં તિર્યંચ પંચેંદ્રિયોના ચાર પરિણામોમાં તફાવત છે– (૧) ગતિ પરિણામતિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ ગતિક છે (૨) વેશ્યા પરિણામ– તિર્યંચ પંચેન્દ્રિયમાં છ એ વેશ્યાના પરિણામો છે (૩) ચારિત્ર પરિણામ– તિર્યંચ પંચેન્દ્રિયમાં સર્વ વિરતિ ચારિત્ર નથી, પરંતુ કેટલાક તિર્યંચો દેશ
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy