SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અઠ્ઠાવીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ ઓગણત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २६ उवरिममज्झिमगेवेज्जगा देवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा ! जहण्णेणं एगूणतीसाए पक्खाणं उक्कोसेणं तीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-મધ્યમ ગ્રેવેયક વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીસ પખવાડિયે અને ઉત્કૃષ્ટ ત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २७ उवरिमउवरिमगेवेज्जगदेवा णं भते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा ! जहण्णेणं तीसाए पक्खाणं उक्कोसेणं एक्कतीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-ઉપરિતન ગ્રેવેયક વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ત્રીસ પખવાડિયે ઉત્કૃષ્ટ એકત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २८ विजयवेजयंतजयंता-अपराजितविमाणेसुणं भंते !देवा केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा ! जहण्णेणं एक्कतीसाए पक्खाणं उक्कोसेणं तेत्तीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! વિજય, વેજયન્ત, જયંત અને અપરાજિત વિમાનવાસી દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એકત્રીસ પખવાડિયે અને ઉત્કૃષ્ટ તેત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २९ सव्वट्ठसिद्धगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तेत्तीसाए पक्खाणं आणमंति वा जावणीससंति। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્ય-અનુત્કૃષ્ટ(જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી રહિત) તેત્રીસ પખવાડિયે અંતર્બાહા શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની શ્વાસોચ્છવાસની ક્રિયાનું કથન છે. દેવોમાં વ્યંતર દેવોથી જ્યોતિષી દેવો, જ્યોતિષી દેવોથી વૈમાનિક દેવો વિશેષ સુખી અને દીર્ઘ સ્થિતિવાળા છે. વૈમાનિક દેવોમાં પણ ઉપર-ઉપરના દેવલોકના દેવો ક્રમશઃ વિશેષ સુખી છે. તેથી શ્વાસોચ્છવાસની ક્રિયાનું કાલમાન ક્રમશઃ વધતું જાય છે. તેની શ્વાસોચ્છવાસની ક્રિયા અત્યંત મંદ, મંદતર, મંદતમ થતી જાય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy