SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨૬ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ જ્યોતિષી દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી | શાન-દર્શનથી વૈમાનિક–દેવ | (૨૦બોલ) જઘન્ય અને | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | હિટ્ટાણવડિયા |સ્વસ્થાનથી તુલ્ય, ૯ ઉપયોગ છઠ્ઠાણ ઉત્કૃષ્ટ વર્ણાદિ શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા મધ્યમ વર્ણાદિ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય અને | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | સ્વસ્થાનમાં તુલ્ય, ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન શેષમાં છઠ્ઠાણવડિયા મધ્યમ જ્ઞાનાદિ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા જ્ઞાન-દર્શનના પર્યવોને સમજવા માટે જ્ઞાતવ્ય નોંધ :- (૧) સમ્યગ્દષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયથી ૩ જ્ઞાન હોય છે અને મિથ્યાત્વી સંજ્ઞી પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયથી ૩ અજ્ઞાન હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેને પ્રથમ અંતર્મુહુર્તમાં બે અજ્ઞાન હોય છે. તેને અપર્યાપ્તાવસ્થામાં વિલંગશાન હોતું નથી, અંતમુહૂર્ત પછી પર્યાપ્ત બને ત્યારે વિભંગ જ્ઞાન પ્રાપ્ત થાય છે (૨) વિકલેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગુદર્શન હોય શકે છે, પર્યાપ્તાવસ્થામાં મિથ્યાદર્શન જ હોય છે. લબ્ધિ અપર્યાપ્તા જીવોને સાસ્વાદન સમ્યગ્દર્શન હોત નથી. જઘન્ય સ્થિતિવાળા વિકલેક્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે. તેથી તેઓને સાસ્વાદન સમ્યગુદર્શન ન હોય. ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિવાળા કરણ અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયને સાસ્વાદન સમ્યગુદર્શન હોય છે. (૩) તિર્યંચ પંચેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન હોય છે. તેને વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. (૪) તિર્યંચ પંચેન્દ્રિયને જઘન્ય અવગાહના અપર્યાપ્તાવસ્થામાં જ હોવાથી તે જીવોને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી. (૫) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એટલે 1000 યોજનના તિર્યંચ પંચેન્દ્રિય જીવ કર્મભૂમિજ હોય છે, તે યુગલિક હોતા નથી. યુગલિક તિર્યંચો મધ્યમ અવગાહનાવાળા જ હોય છે. (૬) ઉત્કૃષ્ટ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન કર્મભૂમિજ જીવને જ હોય છે. (૭) જઘન્ય મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનવાળા જીવને અવધિજ્ઞાન હોતું નથી. (૮) જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પર્યાપ્ત મનુષ્યને જ હોય અને તે પરભવથી સાથે આવતું નથી. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ભાવ ચારિત્રી જીવને જ હોય છે. મધ્યમ અવધિજ્ઞાન અપર્યાપ્ત મનુષ્યને હોય શકે છે અને તે પરભવથી આવે છે. (૯) સંમૂર્છાિમ મનુષ્ય જઘન્ય સ્થિતિવાળા અને મિથ્યાષ્ટિ જ હોય છે. અજીવ પર્યાયોના ભેદપ્રભેદ:४२ अजीवपज्जवा णं भंते कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता । तं जहारूविअजीवपज्जवा य अरूविअजीवपज्जवा य । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અજીવ પર્યાયોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે; તે આ પ્રમાણે છે– (૧) રૂપી અજીવ પર્યાયો અને (૨) અરૂપી અજીવ પર્યાયો.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy