SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ | પાંચમું પદ વિશેષ (પર્યાય પદ) . [ ૩૯૭] વર્ણાદિ અપેક્ષાએ નૈરયિકોના પર્યાયો - |१८ जहण्णगुणकालयाणं भंते ! णेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । सेकेणटेणं भंते ! एवं वुच्चइ जहण्णगुणकालयाणं णेरइयाणं अणता पज्जवा पण्णत्ता ? गोयमा ! जहण्णगुणकालए णेरइए जहण्णगुणकालगस्स णेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णगंधरसफासपज्जवेहि, तिहिं णाणेहिं, तिहिं अण्णाणेहिं, तिहिं दसणेहि य छट्ठाणवडिए, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जहण्णगुणकालयाणं णेरइयाणं अणंता पज्जवा पण्णत्ता । __एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव । णवरं कालवण्णपज्जवेहिं वि छट्ठाणवडिए ।एवं अवसेसा चत्तारि वण्णा दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્યણકાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણકાળા નૈરયિકોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્યગુણકાળો એક નૈરયિક, જઘન્યગુણકાળા બીજા નૈરયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશની અપેક્ષાએ તુલ્ય અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; કાળા વર્ણના પર્યાયની અપેક્ષાએ તુલ્ય છે પરંતુ શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે “જઘન્યગુણ કાળા નારકીના અનંત પર્યાય છે.” આ પ્રમાણે ઉત્કૃષ્ટગુણકાળા નૈરયિકના પર્યાયોના વિષયમાં સમજી લેવું જોઈએ. આ પ્રમાણે અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ)ગુણ કાળા નૈરયિકોના પર્યાયના વિષયમાં પણ જાણી લેવું જોઈએ. વિશેષતા એ છે કે કાળા વર્ણના પર્યાયોની અપેક્ષાએ પણ છઠ્ઠાણવડિયા(હીનાધિક) હોય છે. કાળા વર્ણના પર્યાયોની જેમ શેષ ચારે ય વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શની અપેક્ષાએ પણ જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમના આલાપક સમજી લેવા જોઈએ. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વીસ ભેદની અપેક્ષાએ નૈરયિકના પર્યાયોનું કથન કરવામાં આવ્યું છે. વર્ણાદિ વીસ બોલ શરીરના વર્ણાદિની અપેક્ષાએ સમજવા. શરીરના વર્ણાદિનો સંબંધ તેની અવગાહના, સ્થિતિ કે જ્ઞાનાદિ સાથે હોતો નથી. તેથી સમુચ્ચય નૈરયિકોની જેમ અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને જ્ઞાન, દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy