SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૧૮ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ | ९ कहि णं भंते ! सुहुमतेउकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं च ठाणा पण्णत्ता ? गोयमा ! सुहुमतेउकाइया जे पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोगपरियावण्णगा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોના સ્થાન ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ!પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો બધા એકસમાન, વિશેષતા રહિત, ભેદરહિત છે, હે આયુષ્યમાન શ્રમણો! તેઓ સર્વલોકમાં હોય છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં તેજસ્કાયિકોના સ્થાનોની પ્રરૂપણા છે. પર્યાપ્ત બાદર અગ્નિકાયિક જીવોના સ્વાસ્થાન :- બાદર અગ્નિનું સ્વસ્થાન મનુષ્યક્ષેત્ર જ છે. બાદર અગ્નિની ઉત્પત્તિ મનુષ્યક્ષેત્રમાં જ થાય છે. સૂત્રકારે તેના સ્વસ્થાનનું કથન બે અપેક્ષાએ કર્યું છે. (૧) વ્યાઘાતની અપેક્ષાએ અત્યંત સ્નિગ્ધકાલ કે અત્યંત રૂક્ષકાલમાં બાદર અગ્નિની ઉત્પત્તિ થતી નથી. આ કાલ બાદર અગ્નિને માટે વ્યાઘાતકાલ-પ્રતિબંધરૂપ કાલ છે. ભારત અને ઐરવતક્ષેત્રમાં સુષમ સુષમા, સુષમા અને સુષમ-દુષમા નામના યુગલિક કાળ વિભાગમાં અત્યંત સ્નિગ્ધ કાલ હોય છે અને દુઃષમદુઃષમનામના કાળમાં અત્યંત રૂક્ષકાલ હોય છે. તે સમયે ભારત અને ઐરાવતક્ષેત્રમાં બાદર અગ્નિ હોતો નથી. આ રીતે વ્યાઘાતકાલ પ્રવર્તતો હોય ત્યારે પંચમહાવિદેહક્ષેત્રમાં જ બાદર અગ્નિ હોય છે. (૨) નિર્વાઘાતકાલની અપેક્ષાએ જ્યારે ભરત અને ઐરાવતક્ષેત્રમાં બાદર અગ્નિનો વ્યાઘાતકાલપ્રતિબંધ કાલ ન હોય અર્થાત્ અવસર્પિણી કાળના ત્રીજા આરામાં યુગલિક કાલ પૂર્ણ થયા પછી અંતિમ ત્રીજો ભાગ અને ચોથો-પાંચમો આરો તેમજ ઉત્સર્પિણી કાળનો બીજો, ત્રીજો તથા ચોથા આરાનો પ્રથમ ભાગ પ્રવર્તતો હોય ત્યારે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહક્ષેત્ર, આ પંદર કર્મભૂમિમાં બાદર અગ્નિ હોય છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છેકે બાદર અગ્નિના સ્વસ્થાન મનુષ્યક્ષેત્રમાં પણ પંદર કર્મભૂમિમાં જ હોય છે. અકર્મભૂમિના ક્ષેત્રોમાં અતિ સ્નિગ્ધકાલ હોવાથી બાદર અગ્નિ હોતો નથી. પંદર કર્મભૂમિનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે, તેથી તેના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પર્યાપ્ત બાદર અગ્નિના ઉપપાત-સમુદ્યાત સ્થાન- પૃથ્વીકાયિક જીવોની જેમ ઉ૫પાત અને સમુદ્દઘાતની અપેક્ષાએ તે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અપર્યાપ્ત બાદર અગ્નિના સ્વસ્થાન- પર્યાપ્ત જીવોની જેમ અપર્યાપ્ત બાદર અગ્નિકાયિક જીવોના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. અપર્યાપ્ત બાદર અગ્નિના ઉપપાત સ્થાન- ઉપપાતની અપેક્ષાએ લોકના બે ઊર્ધ્વ કપાટોમાં તથા તિર્યગુલોકના તટ્ટમાં અપર્યાપ્ત બાદર અગ્નિકાયિક જીવો હોય છે. दोसु उड કે સિરિયો કે – બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક જીવોના ઉપપાત સ્થાન બે ઊર્ધ્વકપાટ અને તિર્યશ્લોક તટ(થાળ) છે. બે ઊર્ધ્વકપાટ- અઢીદ્વીપ-સમુદ્ર પ્રમાણ ૪૫ લાખ યોજન પહોળા, પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લોકાંતે સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકાને સ્પર્શતા બે કપાટ છે. અહીં કમાડ-બારણાના આકારવાળા છએ દિશામાં લોકાન્તને સ્પર્શતા ક્ષેત્રને કપાટ કહ્યા છે. તે બે કપાટ કેવળી સમુદ્યાતના કપાટની જેમ ઊર્ધ્વ
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy